Russia Ukraine War: પીએમ મોદીએ યુપી પ્રવાસ અધવચ્ચે રદ્દ કર્યો, યુક્રેન સંકટ પર કરશે ઉચ્ચ સ્તરીય બેઠક

|

Feb 27, 2022 | 7:21 PM

તમને જણાવી દઈએ કે છેલ્લા ચાર દિવસથી બંને દેશો વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. ગુરુવારે રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ શરૂ થયું હતું. ત્યારથી, રશિયન સેના યુક્રેનમાં સતત અંદરની તરફ આગળ વધી રહી છે.

Russia Ukraine War: પીએમ મોદીએ યુપી પ્રવાસ અધવચ્ચે રદ્દ કર્યો, યુક્રેન સંકટ પર કરશે ઉચ્ચ સ્તરીય બેઠક
PM Narendra Modi

Follow us on

યુક્રેન (Ukraine) અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધને જોતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Narendra Modi) ઉત્તર પ્રદેશનો પ્રવાસ અધવચ્ચે જ છોડી દીધો છે. દિલ્હી પહોંચતાની સાથે જ તેઓ યુક્રેન સંકટ પર ઉચ્ચ સ્તરીય બેઠક કરશે. તમને જણાવી દઈએ કે છેલ્લા ચાર દિવસથી બંને દેશો વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. ગુરુવારે રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ શરૂ થયું હતું. ત્યારથી, રશિયન સેના યુક્રેનમાં સતત અંદરની તરફ આગળ વધી રહી છે. રશિયાએ યુક્રેનના 471 સૈનિકોની ધરપકડ કરવાનો પણ દાવો કર્યો છે. આ ઉપરાંત, રશિયન સેનાએ કહ્યું છે કે તેણે યુક્રેનના 975 સૈન્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો નાશ કર્યો છે. બીજી તરફ યુક્રેનના સંરક્ષણ મંત્રાલયે દાવો કર્યો છે કે આ લડાઈમાં અત્યાર સુધીમાં લગભગ 4,300 રશિયન સૈનિકો માર્યા ગયા છે. આ સાથે લગભગ 146 ટેન્ક, 27 એરક્રાફ્ટ અને 26 હેલિકોપ્ટર નષ્ટ થયા છે.

યુક્રેનિયન સૈન્યએ ખાર્કિવ પર કબજો કર્યો

યુદ્ધની વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે કે યુક્રેનની સેનાએ ખાર્કિવ પર કબજો કરી લીધો છે. ન્યૂઝ એજન્સી એએફપીએ યુક્રેનના સ્થાનિક ગવર્નરને ટાંકીને કહ્યું કે યુક્રેનની સેનાએ ખાર્કીવ પર ફરીથી પોતાનો સંપૂર્ણ નિયંત્રણ મેળવી લીધો છે. ખાર્કિવને યુક્રેનનું બીજું સૌથી મોટું શહેર માનવામાં આવે છે. તે રશિયન સરહદથી 20 કિલોમીટર દૂર છે.

આ પહેલા, તેઓ શહેરની બહાર હતા અને શહેરમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો ન હતો. રશિયન દળોએ રવિવારે યુક્રેનના બીજા સૌથી મોટા શહેર ખાર્કિવમાં અનેક એરપોર્ટ, ફ્યુઅલ સ્ટેશન અને અન્ય ઇન્સ્ટોલેશન પર હુમલા કર્યા બાદ પ્રવેશ કર્યો હતો.

પુતિને રશિયાના પરમાણુ વિરોધી દળોને ‘અલર્ટ’ રહેવા આદેશ આપ્યો

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુક્રેન પરના હુમલા બાદ પશ્ચિમી દેશો સાથેના તણાવમાં વધારો થતાં દેશના પરમાણુ વિરોધી દળોને સતર્ક રહેવાનો આદેશ આપ્યો છે. ટોચના અધિકારીઓ સાથેની બેઠકમાં, પુતિને રવિવારે ભારપૂર્વક જણાવ્યું હતું કે નાટોના મુખ્ય સભ્ય દેશોએ આક્રમક નિવેદનો કર્યા છે અને પશ્ચિમી દેશોએ તેમની (પુતિન) અને રશિયા સામે સખત આર્થિક પ્રતિબંધો લાદ્યા છે.

પુતિને રશિયાના સંરક્ષણ પ્રધાન અને ‘મિલિટરી જનરલ સ્ટાફ’ના વડાને પરમાણુ વિરોધી દળોને ‘યુદ્ધ સંબંધિત જવાબદારી માટે તૈયાર’ રાખવાનો આદેશ આપ્યો હતો.

આ પણ વાંચો : Russia Ukraine War: યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને લઈને રાહુલ ગાંધીએ કહ્યું- આપણા દેશને કાર્યવાહીની જરૂર છે, પીએમ માત્ર ધ્યાન ભટકાવે છે

આ પણ વાંચો : Russia Ukraine War: ભારતીય દૂતાવાસ દ્વારા તેના નાગરિકોને અપીલ, યુદ્ધગ્રસ્ત વિસ્તારોથી દૂર રહો, સરહદ ચોકીઓ પર જવાનું ટાળો

Next Article