Ganesh Chaturthi 2022 : ગણેશ ચતુર્થીના અવસર પર પીએમ મોદીએ પીયૂષ ગોયલના ઘરે કરી આરતી, જુઓ Video

|

Sep 01, 2022 | 8:19 AM

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Prime minister narendra modi) બુધવારે દેશની રાજધાની દિલ્હીમાં કેન્દ્રીય પ્રધાન પીયૂષ ગોયલના (Piyush Goyal) નિવાસસ્થાનની મુલાકાત લીધી હતી અને ગણેશ ચતુર્થીના અવસર પર આરતી કરી હતી.

Ganesh Chaturthi 2022 : ગણેશ ચતુર્થીના અવસર પર પીએમ મોદીએ પીયૂષ ગોયલના ઘરે કરી આરતી, જુઓ Video
PM Modi

Follow us on

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Prime minister narendra modi) બુધવારે દેશની રાજધાની દિલ્હીમાં કેન્દ્રીય પ્રધાન પીયૂષ ગોયલના (Piyush Goyal) નિવાસસ્થાનની મુલાકાત લીધી હતી અને ગણેશ ચતુર્થીના (Ganesh Chaturthi 2022) અવસર પર આરતી કરી હતી. આ પહેલા દિવસે વડાપ્રધાને ગણેશ ચતુર્થીના દિવસે લોકોને શુભેચ્છા પાઠવી હતી. તેમની શુભેચ્છાઓ આપતા, વડાપ્રધાને સંસ્કૃતમાં એક શ્લોક શેર કર્યો અને ટ્વિટર પર લખ્યું, ‘હેપ્પી ગણેશ ચતુર્થી. ભગવાન ગણેશના આશીર્વાદ હંમેશા અમારી સાથે રહે.” તેમના સિવાય રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ (Draupadi Murmu) પણ આ ખાસ દિવસની શુભેચ્છા પાઠવી અને નાગરિકોના જીવનમાં શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી.

ગણેશ ચતુર્થીનો તહેવાર દર વર્ષે ભારતમાં ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે, હજારો ભક્તો તેમની પ્રાર્થના કરવા માટે મંદિરો અને ‘ગણેશોત્સવ પંડાલો’ની મુલાકાત લે છે. આ તહેવાર 31 ઓગસ્ટથી શરૂ થયો છે અને 9 સપ્ટેમ્બરના રોજ સમાપ્ત થશે. ભગવાન ગણેશની મૂર્તિઓના અંતિમ વિસર્જન સાથે ઉત્સવની સમાપ્તિ થશે. આ તહેવાર મહારાષ્ટ્ર, તમિલનાડુ, કર્ણાટક અને ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં ખૂબ જ ભવ્યતા સાથે ઉજવવામાં આવે છે.

મહારાષ્ટ્રમાં દસ દિવસીય ગણેશ ચતુર્થી ઉત્સવનો પ્રારંભ

જણાવી દઈએ કે, મહારાષ્ટ્રમાં દસ દિવસીય ગણેશ ચતુર્થી ઉત્સવ બુધવારથી પૂરા ઉલ્લાસ અને ઉત્સાહ સાથે શરૂ થયો છે. ભક્તોએ તેમના ઘરો અને પૂજા પંડાલોમાં ભગવાન વિનાયકની મૂર્તિઓ સ્થાપિત કરીને ઉત્સાહપૂર્વક તેમનું સ્વાગત કર્યું. છેલ્લા બે વર્ષ દરમિયાન, આ તહેવાર કોરોના વાયરસના ચેપને કારણે ઘણા પ્રતિબંધોના પડછાયા હેઠળ ઉજવવામાં આવ્યો હતો. રાજ્યના શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં લોકોએ ‘ગણપતિ બાપ્પા મોર્યા’ના નાદ સાથે ઉત્સાહ સાથે આ તહેવારની શરૂઆત કરી હતી.

Surat Name : ગુજરાતના સુરત શહેરનું પ્રાચીન નામ શું છે? ઉપનામ કેટલા છે?
આજનું રાશિફળ તારીખ : 15-05-2024
આખો દિવસ ACમાં રહો છો, તો સાવધાન, થઇ શકે છે આ બીમારી
જ્યારે AC નહોતા, ત્યારે ટ્રેનના AC કોચને ઠંડા કેવી રીતે રાખતા હતા?
દરિયા કિનારે યોજાશે અનંત-રાધિકાનું બીજું પ્રી-વેડિંગ સેલિબ્રેશન
આજનું રાશિફળ તારીખ : 14-05-2024

બે વર્ષ બાદ ગણેશ પંડાલોમાં ભક્તોની ભીડ ઉમટી હતી

સામાન્ય લોકો ઉપરાંત, બોલિવૂડ કલાકારો સહિતની પ્રખ્યાત હસ્તીઓએ ભગવાન ગણેશનું સ્વાગત કર્યું અને ‘મોદક’નું વિતરણ કર્યું, જે ‘પ્રસાદ’નું પરંપરાગત મહારાષ્ટ્ર સ્વરૂપ છે. વિઘ્નહર્તા તરીકે પૂજવામાં આવતા ભગવાન ગણેશની મૂર્તિઓ રાજ્યભરના લોકો દ્વારા તેમના ઘરોમાં સ્થાપિત કરવામાં આવી હતી. આ વર્ષે મહામારીની અસર ઓછી થયા બાદ જાહેર સ્તરે ભવ્ય પંડાલોમાં ગણેશ મૂર્તિઓની સ્થાપના કરવામાં આવી હતી. દક્ષિણ-મધ્ય મુંબઈમાં લાલબાગ-ચા-રાજા જેવા મુખ્ય ગણેશ પંડાલોમાં ભક્તોની ભીડ જામી હતી. લોકો કેટલાય કલાકો સુધી લાઈનમાં ઊભા હતા.

Next Article