PM Cares For Children Scheme: કોરોનાના સમયગાળા દરમિયાન નિરાધાર બાળકો માટે મોટી ભેટ, બાળકોને દર મહિને મળશે 4 હજાર રૂપિયા

|

May 30, 2022 | 12:42 PM

પીએમ મોદીએ કહ્યું, બીજી મોટી ચિંતા સ્વાસ્થ્ય સાથે જોડાયેલી છે, પરંતુ કોઈ બાળકને તેની પણ ચિંતા કરવાની જરૂર નથી. પીએમ કેર ફોર ચિલ્ડ્રન દ્વારા આયુષ્માન હેલ્થ કાર્ડ પણ આપવામાં આવી રહ્યું છે, જેના કારણે 5 લાખ સુધીની મફત સારવારની સુવિધા પણ મળશે.

PM Cares For Children Scheme: કોરોનાના સમયગાળા દરમિયાન નિરાધાર બાળકો માટે મોટી ભેટ, બાળકોને દર મહિને મળશે 4 હજાર રૂપિયા
PM Narendra Modi
Image Credit source: PTI

Follow us on

વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Narendra Modi) સોમવારે પીએમ કેર્સ ફોર ચિલ્ડ્રન યોજના (PM Cares For Children Scheme) હેઠળ આપવામાં આવતી સુવિધાઓને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા જાહેર કરી. આ દરમિયાન તેમણે કહ્યું કે આજે હું તમારી સાથે વડાપ્રધાન તરીકે નહીં, પરંતુ તમારા પરિવારના સભ્ય તરીકે વાત કરી રહ્યો છું. આજે હું તમારા બધા બાળકોની વચ્ચે રહીને ખૂબ જ રાહત અનુભવું છું. જીવન ક્યારેક આપણને અણધાર્યા વળાંક પર લાવે છે. કોરોનાએ ઘણા લોકોના જીવનમાં, ઘણા પરિવારો સાથે કંઈક આવું જ કર્યું છે. હું જાણું છું કે જે લોકો કોરોનાને કારણે પોતાના પ્રિયજનોને ગુમાવી ચૂક્યા છે તેમના જીવનમાં આ પરિવર્તન કેટલું મુશ્કેલ છે.

પીએમ મોદીએ આગળ કહ્યું, જે પણ જાય છે, આપણી પાસે તેની થોડીક જ યાદો છે, પરંતુ જે બાકી છે, તે પડકારોનો સામનો કરે છે. આવા પડકારોમાં, પીએમ કેર્સ ફોર ચિલ્ડ્રન એ તમારા બધા કોરોના પ્રભાવિત બાળકોની મુશ્કેલીઓ ઘટાડવાનો એક નાનકડો પ્રયાસ છે. પીએમ કેર્સ ફોર ચિલ્ડ્રન એ પણ એ હકીકતનું પ્રતિબિંબ છે કે દરેક દેશવાસી અત્યંત સંવેદનશીલતા સાથે તમારી સાથે છે. મને સંતોષ છે કે બાળકોના સારા શિક્ષણ માટે તેઓને તેમના ઘરની નજીકની સરકારી કે ખાનગી શાળાઓમાં દાખલ કરવામાં આવ્યા છે.

PM Cares દ્વારા વ્યાવસાયિક અભ્યાસક્રમો માટે મદદ આપવામાં આવશે: PM મોદી

તેમણે કહ્યું, જો કોઈને વ્યાવસાયિક અભ્યાસક્રમો માટે, ઉચ્ચ શિક્ષણ માટે એજ્યુકેશન લોનની જરૂર હોય, તો પીએમ કેર્સ તેમાં પણ મદદ કરશે. અન્ય રોજિંદી જરૂરિયાતો માટે, તેમના માટે દર મહિને રૂ. 4000ની અન્ય યોજનાઓ દ્વારા પણ વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યારે આવા બાળકો તેમનું શાળાકીય અભ્યાસ પૂર્ણ કરશે, ત્યારે ભવિષ્યના સપના માટે વધુ પૈસાની જરૂર પડશે. આ માટે 18-23 વર્ષના યુવાનોને દર મહિને સ્ટાઈપેન્ડ મળશે અને જ્યારે તમે 23 વર્ષના થશે તો એકસાથે 10 લાખ રૂપિયા મળશે.

રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે

પીએમ મોદીએ કહ્યું, બીજી મોટી ચિંતા સ્વાસ્થ્ય સાથે જોડાયેલી છે. કોઈપણ રોગ આવે તો સારવાર માટે પૈસાની જરૂર પડે છે, પરંતુ કોઈ બાળકને તેની પણ ચિંતા કરવાની જરૂર નથી. તમને પીએમ કેર ફોર ચિલ્ડ્રન દ્વારા આયુષ્માન હેલ્થ કાર્ડ પણ આપવામાં આવી રહ્યું છે, જેના કારણે 5 લાખ સુધીની મફત સારવારની સુવિધા પણ મળશે.

કરોડો દેશવાસીઓએ PM Cares માં તેમની મહેનત અને પરસેવાની કમાણીનો ઉમેરો કર્યો

તેમણે કહ્યું, હું જાણું છું કે તમારા માતા-પિતાના સ્નેહની ભરપાઈ કોઈપણ પ્રયાસ અને સહકારથી નહીં થઈ શકે, પરંતુ તમારા પિતા અને માતાની ગેરહાજરીમાં, મા ભારતી આ સંકટની ઘડીમાં તમારા બધા બાળકોની સાથે છે. PM Cares દ્વારા દેશ આ જવાબદારી નિભાવવાનો પ્રયાસ કરી રહ્યો છે. આ પ્રયાસ કોઈ એક વ્યક્તિ, સંસ્થા કે સરકારનો માત્ર પ્રયાસ નથી. PM Cares માં આપણા કરોડો દેશવાસીઓએ તેમની મહેનત અને પરસેવાની કમાણી ઉમેરી છે.

Published On - 12:34 pm, Mon, 30 May 22

Next Article