PM Narendra Modi: ભારતીય સંસ્કૃતિના વિકાસ માટે વડાપ્રધાન મોદી હંમેશા અગ્રેસર, હવે 13 ડિસેમ્બરે કાશી-વિશ્વનાથ કોરિડોરનું ઉદ્ઘાટન કરશે

|

Dec 11, 2021 | 5:51 PM

વડાપ્રધાન મોદીને શરૂઆતથી જ ભારતીય સંસ્કૃતિ અને પરંપરાઓ પ્રત્યે ઘણું સન્માન આપતા રહ્યા છે. તે ભારતીય પરંપરાઓનું ચુસ્તપણે પાલન કરે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખાસ કરીને આધ્યાત્મિક શહેર કાશી સાથે ઊંડો સંબંધ ધરાવે છે.

PM Narendra Modi: ભારતીય સંસ્કૃતિના વિકાસ માટે વડાપ્રધાન મોદી હંમેશા અગ્રેસર, હવે 13 ડિસેમ્બરે કાશી-વિશ્વનાથ કોરિડોરનું ઉદ્ઘાટન કરશે
PM Narendra Modi (File Photo)

Follow us on

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) આધુનિક ભારતમાં આધ્યાત્મિકતા(Spirituality)નો પાયો નાખી રહ્યા છે. તે દેશમાં અનેક મંદિરોના જીર્ણોદ્ધાર કરાવી રહ્યા છે. ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધ્યાત્મિક શહેર કાશી (Kashi) સાથે ઊંડો સંબંધ ધરાવે છે. તેઓએ વડાપ્રધાન બન્યા પહેલા અને પછી પણ કાશીની મુલાકાત લીધી છે. કાશી વિશ્વનાથ મંદિર(Kashi Vishwanath Temple)નું નવીનીકરણ વડાપ્રધાન મોદીનું જીવનભરનું સ્વપ્ન રહ્યું છે. તે દિશામાં કાશીના વિકાસ (Development) માટે કામ કરી રહ્યા છે. હવે તેઓ 13 ડિસેમ્બરે વારાણસીનો પ્રવાસ કરશે અને કાશી-વિશ્વનાથ કોરિડોરનું ઉદ્ઘાટન કરશે.

કાશીમાં શું વિકાસ થશે?

વડાપ્રધાન મોદીએ કાશી શહેરની આધ્યાત્મિકતાને વધુ વધારવા અને કાશીએ ગુમાવેલું ગૌરવ પાછું લાવવા માટે તેમના પ્રયાસોને વેગ આપ્યો છે. વડાપ્રધાન કાશી સંસ્કૃતિ અને વારસાને ધ્યાનમાં રાખીને વિકાસને વેગ આપી રહ્યા છે. કાશી વિશ્વનાથ કોરિડોર કાશી વિશ્વનાથ મંદિરની આસપાસના વિસ્તારને બદલી નાખશે. 20-25 ફૂટ પહોળો કોરિડોર ગંગા નદી પરના લલિતા ઘાટને મંદિર પરિસરમાં મંદિર ચોકથી જોડે છે. પ્રાચીન કાળની જેમ ભક્ત દરરોજ સવારે પવિત્ર નદીમાં સ્નાન કરી શકે છે અને મંદિરમાં ભગવાન શિવની પૂજા કરી શકે છે.

મંદિર સંકુલ સુંદર બનાવવા પ્રોજેક્ટસ

SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો

ગુજરાતના મુખ્યપ્રધાન તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન, નરેન્દ્ર મોદીએ મંદિર સંકુલોને સુંદર બનાવવા માટે ઘણા પ્રોજેક્ટ્સ શરૂ કર્યા હતા. તાજેતરમાં જ વડાપ્રધાન મોદીએ સોમનાથ મંદિર સંકુલમાં દરિયા કિનારે આવેલા સ્થળો અને એક્ઝિબિશન સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું હતું. મોદી સરકારે કેદારનાથ ધામનો પણ પુનઃવિકાસ કર્યો છે, જે 2013ના પૂરમાં વ્યાપકપણે નાશ પામ્યો હતો. મોદીએ તાજેતરમાં કેદારનાથ મંદિર પરિસરનું ઉદ્ઘાટન કર્યું હતું.

20 વર્ષમાં ઘણા મંદિરના જીર્ણોદ્ધાર કર્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી માને છે કે આધ્યાત્મિક જાગૃતિ ત્યારે જ આવે છે જ્યારે ભારત ધાર્મિક અને દૈવી સ્થાનોનું ભૂતપૂર્વ ગૌરવ પ્રાપ્ત કરે છે. આથી ધાર્મિક, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક કેન્દ્રોની ભવ્યતા પુનઃસ્થાપિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. દેશભરમાં આપણા પ્રસિદ્ધ મંદિરો અને મંદિરોના જીર્ણોદ્ધારનું અભિયાન શરૂ થઈ ગયું છે. છેલ્લા 20 વર્ષોમાં, વડાપ્રધાન મોદીએ દેશભરમાં ઘણા મંદિરોના જીર્ણોદ્ધારમાં મુખ્ય ભૂમિકા ભજવી છે.

રામ મંદિરનો શિલાન્યાસ કર્યો

9 નવેમ્બર, 2019 ના રોજ, સાત દાયકાથી વધુના લાંબા અંતરાલ પછી, સુપ્રીમ કોર્ટે રામ જન્મભૂમિ કેસમાં હિન્દુઓની તરફેણમાં ચુકાદો આપ્યો. ચુકાદા બાદ નરેન્દ્ર મોદી સરકાર રામ મંદિર બનાવવા માટે આગળ આવ્યા હતા. વડાપ્રધાન મોદીએ ઓગસ્ટ 2020માં રામ મંદિરનો શિલાન્યાસ કર્યો હતો.

મોદી સરકારે યમુનોત્રી, ગંગોત્રી, કેદારનાથ અને બદ્રીનાથના મંદિરોને જોડતા આધુનિક અને વ્યાપક ચાર ધામ રોડ નેટવર્કને મંજૂરી આપી છે. ચાર ધામ રોડ આ ચાર પવિત્ર સ્થળોની મુલાકાત લેતા તીર્થયાત્રીઓ માટે એક લોકપ્રિય સ્થળ છે. રોડ નેટવર્કની સમાંતર રેલવે લાઇનનું કામ પણ ઝડપથી ચાલી રહ્યું છે. મોદી સરકાર પવિત્ર શહેર ઋષિકેશને કર્ણ પ્રયાગ સાથે જોડવાનું કામ કરી રહી છે.

કલમ 370 નાબૂદ કરવા સાથે, સરકાર શ્રીનગર, કાશ્મીરમાં ઘણા ધાર્મિક સ્થળોને પુનઃસ્થાપિત કરવા માટે આગળ વધી છે. કાશ્મીરમાં કુલ 1,842 મંદિરો, તીર્થસ્થાનો અને ગુફાઓ છે. 952 મંદિરોમાંથી 212 ચાલી રહ્યા છે અને 740 ખંડેર હાલતમાં છે. શ્રીનગરમાં ઝેલમ નદીના કિનારે આવેલ રઘુનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે. દૂરંદેશી સાથે નરેન્દ્ર મોદી આધુનિક ભારતમાં આધ્યાત્મિકતાનો પાયો નાખે છે.

 

આ પણ વાંચોઃ અમેરિકામાં વાવાઝોડાનો કહેર, 50 લોકોના મોત, ઝડપી પવન ફૂ્ંકાતા લોકોના ઘરની છત ઉડી

આ પણ વાંચોઃ કચ્છના બેન્ટોનાઇટ ઉદ્યોગ પર સંકટના વાદળો, નીતિ બદલવા ગુજરાતના સીએમને પત્ર લખ્યો

Next Article