પ્રશાંત કિશોરના ભવિષ્ય અંગેની અટકળોનો અંત આવ્યો, મમતા બેનર્જીએ કહ્યું- PK હજુ પણ TMC સાથે

મમતા બેનર્જીએ કહ્યું કે તૃણમૂલ કોંગ્રેસે (TMC) પણ આ જ ચિંતા વ્યક્ત કરી હતી, પરંતુ તેમને સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે પાર્ટી તેમની સાથે તેનું જોડાણ ચાલુ રાખશે.

પ્રશાંત કિશોરના ભવિષ્ય અંગેની અટકળોનો અંત આવ્યો, મમતા બેનર્જીએ કહ્યું- PK હજુ પણ TMC સાથે
Prashant Kishor - Mamata Banerjee
| Edited By: | Updated on: Apr 30, 2022 | 4:51 PM

કોંગ્રેસ સાથે ચૂંટણીના રાજકીય વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોર (Prashant Kishore) વચ્ચેના અણબનાવ વચ્ચે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસ સુપ્રીમો મમતા બેનર્જીનું (Mamata Banerjee) એક મોટું નિવેદન સામે આવ્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના વડા મમતા બેનર્જીએ કહ્યું કે તેમની પાર્ટી રાજકીય વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોર સાથે કામ કરવાનું ચાલુ રાખશે. પ્રશાંત કિશોર બંગાળની ચૂંટણીમાં મમતા બેનર્જીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ સાથે સંકળાયેલા હતા, જેમાં TMCને પ્રચંડ જીત મળી હતી. તૃણમૂલ કોંગ્રેસનું આ નિવેદન કોંગ્રેસ અને પ્રશાંત કિશોર વચ્ચેની તાજેતરની વાતચીત નિષ્ફળ રહ્યા બાદ આવ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, મુખ્યમંત્રી અને હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશોની બેઠક દરમિયાન સીએમ મમતા બેનર્જીએ પીએમ નરેન્દ્ર મોદીને તેમના ભાષણ માટે અભિનંદન પાઠવ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કોંગ્રેસના એક વર્ગે તેલંગાણાની સત્તાધારી પાર્ટી અને TMC સાથે IPAC વચ્ચેની ડીલને ટાંકી હતી, જેના કારણે પ્રશાંત કિશોરને કોંગ્રેસમાં સામેલ કરવામાં આવ્યા ન હતા.

મમતા બેનર્જીએ કહ્યું- TMC અને પ્રશાંત કિશોરનું જોડાણ ચાલુ રહેશે

મમતા બેનર્જીએ કહ્યું કે તૃણમૂલ કોંગ્રેસે પણ આ જ ચિંતા વ્યક્ત કરી હતી, પરંતુ તેમને સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે પાર્ટી તેમની સાથે તેનું જોડાણ ચાલુ રાખશે. તમને જણાવી દઈએ કે લોકસભા ચૂંટણી 2018માં મમતા બેનર્જીની પાર્ટી ટીએમસીને બીજેપીથી હારનો સામનો કરવો પડ્યો હતો. ભાજપે રાજ્યની 42માંથી 18 બેઠકો કબજે કરી હતી.

એવું લાગતું હતું કે 2021ની વિધાનસભા ચૂંટણીમાં રાજ્યની સત્તામાંથી TMCનો સફાયો થઈ જશે અને બંગાળમાં ભાજપની સરકાર બનશે, પરંતુ તે જ સમયે પ્રશાંત કિશોર અને TMC વચ્ચે સમજૂતી થઈ અને પ્રશાંત કિશોરે રણનીતિ બનાવી. 2021ની ચૂંટણી પછી મમતા બેનર્જી અને TMC ફરી સત્તામાં પાછા ફર્યા.

પ્રશાંત કિશોરની કોંગ્રેસ સાથે સમજૂતી ન થઈ

મીડિયા અહેવાલો અનુસાર, પ્રશાંત કિશોરે પાર્ટીના ‘એમ્પાવર્ડ એક્શન ગ્રૂપ’ માં જોડાવાની ઓફરને ઠુકરાવી દીધી હતી જ્યારે કોંગ્રેસ પાર્ટીને પુનર્જીવિત કરવાના પ્રસ્તાવને સ્વીકારે છે. પીકે કોંગ્રેસ અધ્યક્ષના રાજકીય સચિવ અથવા ઉપાધ્યક્ષ બનવાનું વિચારી રહ્યા હતા. પ્રશાંત કિશોર અને કોંગ્રેસના નજીકના સૂત્રોએ સંકેત આપ્યો કે પાર્ટી તેમના દ્વારા સૂચવવામાં આવેલા સુધારા માટે તૈયાર નથી.

આ પણ વાંચો : EDએ બોલાવ્યો બેંગલુરુમાં ચીની ટેલિકોમ કંપની Xiaomi પર સપાટો, 5,551 કરોડની સંપત્તિ જપ્ત કરી

આ પણ વાંચો : Uttar Pradesh: ઇટાવાના ભરથાણા રેલવે સ્ટેશન નજીક કોલસાથી ભરેલી માલગાડી ટ્રેન પલટી, દિલ્હી-હાવડા રેલ માર્ગ પર ટ્રેનોની અવર-જવર ખોરવાઈ

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો