Poonch Attack: પાકિસ્તાનની શાહબાઝ સરકારે કરાવ્યો આતંકવાદી હુમલો, ISI સાથે મળીને ઘડ્યું કાવતરું

બે દિવસ પહેલા પાકિસ્તાન સરકારે કોર્ટમાં કહ્યું હતું કે મે મહિનામાં ભારત તરફથી પાકિસ્તાન સાથેના સંબંધો તણાવપૂર્ણ રહેશે અને ઓક્ટોબરમાં સામાન્ય થઈ જશે. શ્રીનગરમાં યોજાઈ રહેલી G-20 દેશોના પર્યટન પ્રતિનિધિઓના કાર્યકારી જૂથની બેઠકથી પાકિસ્તાન ચોંકી ગયું છે.

Poonch Attack: પાકિસ્તાનની શાહબાઝ સરકારે કરાવ્યો આતંકવાદી હુમલો, ISI સાથે મળીને ઘડ્યું કાવતરું
| Edited By: | Updated on: Apr 21, 2023 | 1:13 PM

જમ્મુ-કાશ્મીરના પુંછમાં થયેલા આતંકી હુમલાને લઈને મોટા ખુલાસા થઈ રહ્યા છે. હવે એ વાત સામે આવી છે કે આ હુમલાનું કાવતરું પાકિસ્તાનમાં ઘડવામાં આવ્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર, શાહબાઝ શરીફ સરકારે પાકિસ્તાનમાં ચૂંટણી રોકવા માટે પૂંચમાં આતંકવાદી હુમલો કરાવ્યો છે. તેમની સરકારની સેના અને ISI સાથે મળીને એક મોટું કાવતરું ઘડવામાં આવ્યું હતું. કહેવામાં આવી રહ્યું છે કે કાશ્મીરમાં વધુ પ્રાયોજિત હુમલાનો પ્રયાસ કરી શકે છે.

વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો મે મહિનામાં ગોવામાં SCO વિદેશ મંત્રીઓની બેઠકમાં હાજરી આપશે

બે દિવસ પહેલા પાકિસ્તાન સરકારે કોર્ટમાં કહ્યું હતું કે મે મહિનામાં ભારત તરફથી પાકિસ્તાન સાથેના સંબંધો તણાવપૂર્ણ રહેશે અને ઓક્ટોબરમાં સામાન્ય થઈ જશે. શ્રીનગરમાં યોજાઈ રહેલી G-20 દેશોના પર્યટન પ્રતિનિધિઓના કાર્યકારી જૂથની બેઠકથી પાકિસ્તાન ચોંકી ગયું છે. આ બેઠક 22 થી 24 મે દરમિયાન યોજાવાની છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફ ભારતમાં 27 થી 29 એપ્રિલ દરમિયાન SCO સંરક્ષણ પ્રધાનોની બેઠકમાં ભાગ લેશે.

આ પણ વાંચો : G-20 મીટિંગ પહેલા J&Kમાં આતંકી હુમલો, NIAની ટીમ પુંછમાં તપાસમાં લાગી, સર્ચ ઓપરેશન ચાલુ

જોકે, વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો મે મહિનામાં ગોવામાં SCO વિદેશ મંત્રીઓની બેઠકમાં વ્યક્તિગત રીતે હાજરી આપશે. SCO ની બેઠકમાં ભાગ લેવાનો પાકિસ્તાનનો નિર્ણય આ ષડયંત્રનો એક ભાગ હોવાનું કહેવાય છે. પાકિસ્તાન આ પ્લેટફોર્મનો ઉપયોગ કરીને કાશ્મીરને દુનિયાને અસ્થિર બતાવવા માંગે છે અને તે પહેલા આતંકવાદી હુમલા કરવાની યોજના પાકિસ્તાનની આ ડિઝાઇનનો એક ભાગ છે.

આતંકી હુમલામાં સેનાના 5 જવાન શહીદ થયા

ગત દિવસે પૂંચમાં આતંકીઓએ આર્મીની ટ્રક પર ગ્રેનેડથી હુમલો કર્યો હતો. આ હુમલામાં 5 જવાન શહીદ થયા હતા અને એક ગંભીર રીતે ઘાયલ થયો હતો, જેની સારવાર ચાલી રહી છે. હુમલા બાદ રાજૌરી અને પૂંચમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને સઘન સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. છુપાયેલા આતંકવાદીઓ પર ડ્રોન દ્વારા પણ નજર રાખવામાં આવી રહી છે.

કહેવામાં આવી રહ્યું છે કે આ હુમલામાં 4 આતંકવાદીઓ સામેલ હતા. બાટા-દોરિયામાં હુમલાના સ્થળને કોર્ડન કરી લેવામાં આવ્યું છે. હુમલાની તપાસ માટે બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ પણ પહોંચી ગઈ છે અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) પણ સ્થળ પર હાજર છે. આ હુમલાની જવાબદારી જૈશ સમર્થિત આતંકવાદી જૂથ પીપલ્સ એન્ટી ફાસીસ્ટ ફ્રન્ટે લીધી છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

દેશ ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Published On - 1:13 pm, Fri, 21 April 23

Follow Us