
શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીની જામીન અરજી પર આવતીકાલે (27 ફેબ્રુઆરી)અલાહાબાદ હાઈકોર્ટમાં સુનાવણી થવાની છે. જેલ કે પછી બેલ એ કાલે સ્પષ્ટ થઈ જશે. અવિમુક્તેશ્વારનંદની બગી જેલ પહોંચશે કે તેમને આગોતરા જામીન મળશે તે તો કાલે કોર્ટ કાર્યવાહી બાદ જ સામે આવશે. પરંતુ આ મામલો હવે ઘણો ગંભીર બની ગયો છે કારણ કે જે બટુકોએ સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી સામે યૌન શોષણનો આરોપ લગાવ્યો છે તે બાળકોનો મેડિકલ રિપોર્ટ આવી ગયો છે અને મેડિકલ રિપોર્ટમાં યૌન શોષણ થયુ હોવાની પુષ્ટિ થઈ છે. તો આ તરફ સ્વામી અવિમુક્તેશ્વારનંદ સરસ્વતીએ પણ મેડિકલ રિપોર્ટ પર સવાલ ઉઠાવ્યા છે. મીડિયા સાથેની વાતચીતમાં પીડિત બટુકોએ એ પણ દાવો કર્યો છે કે અવિમુક્તેશ્વરાનંદના આશ્રમમાં તેમની સાથે ગંદી હરકતો કરવામાં આવી, બટુકોને મઠમાં પ્રતાડિત કરવામાં આવતા હતા અને આપત્તિજનક કામ કરવામાં આવતુ હતુ. દાવો તો ત્યાં સુધી પણ કરાયો છે કે 20 થી વધુ બટુકો યૌન શોષણનો શિકાર થયા, તેમનુ કહેવુ છે કે માત્ર તેઓ નહીં અન્ય પણ બટુકો છે જેઓ સામે આવવાથી ડરી રહ્યા છે.
અવિમુક્તેશ્વરાનંદ વિરુદ્ધ ભૂમિકા દ્વીવેદી નામની એક લેખિકા પણ સામે આવી છે. તેમનું કહેવુ છે કે તેઓ પણ આશ્રમમાં રહેતા હતા. તેમના કહેવા મુજબ આશ્રમનો માહોલ બિલકુલ પવિત્ર નથી. તેમના મતે મઠમાં અનેક સિક્રેટ રૂમ છે. જ્યાં અન્ય કોઈ જવાની મંજૂરી નથી હોતી. ભૂમિકા દ્વીવેદીનો દાવો છે કે અવિમુક્તેશ્વરાનંદના આશ્રમમાં સ્વિમિંગ પૂલ જેવી આલિશાન સુવિધાઓ છે. આટલુ જ નહીં એક સખી અવિમુક્તેશ્વારનંદની ઘણી નજીક છે.
ભૂમિકા દ્વીવેદી એક લેખક છે અને એક સંશોધન પેપર તૈયાર કરવા માટે તેઓ અવિમુક્તેશ્વરાનંદના આશ્રમમાં લાંબા સમય સુધી રોકાઈ હતી. જેના આધારે જ તેઓ દાવો કરી રહ્યા છે કે આશ્રમમાં અનેક ગુપ્ત રૂમ છે, સ્વિમિંગ પૂલ છે.
આ મામલે રાજનીતિ પણ સક્રિય થઈ છે. સમાજવાદી પાર્ટી બાદ હવે કોંગ્રેસ પણ ખૂલીને ફ્રન્ટ ફુટ પર રમવા માટે આવી ગઈ છે. અવિમુક્તેશ્વારનંદ તો આ બહાને ભાજપને સનાતન વિરોધી ગણાવી રહ્યા છે. અત્રે એ પણ નોંધનિય છે કે અવિમુક્તેશ્વરાનંદ સામે યૌન શોષણની FIR કોર્ટના ઓર્ડરના આધારે થઈ અન મેડિકલ રિપોર્ટમાં યૌન શોષણ થયુ હોવાની પુષ્ટિ થઈ છે. જો કે આ રિપોર્ટની સત્યતા પર સ્વામી અવિમુક્તેશ્વરાનંદ એ સવાલ ઉઠાવ્યા છે. તેમણે જણાવ્યુ કે એક વ્યક્તિ ખુલ્લેઆમ દાવો કરી રહ્યો છે કે 20 બટુકો સામે દુષ્કૃત્ય કરાયુ છે છતા દોઢ મહિનાથી તેઓ તેને પોતાની સાથે રાખીને છુપાવી રહ્યા છે. શા માટે છુપાવી રહ્યા છો? શું પોક્સો એક્ટમાં એવુ છે કે કોઈ ફરિયાદ થાય એટલે તરત કોઈની ધરપકડ કરી લેવી?
આ તરફ આરોપ લગાવનારા આશુતોષ બ્રહ્મચારીએ સ્વામી અવિમુક્તેશ્વારનંદ સામે આરોપ લગાવ્યો છે કે માત્ર 2 નહીં 20 થી વધુ બટુકો સામે દુષ્કૃત્ય થયુ છે ન માત્ર બટુકો પરંતુ મહિલા પણ સામેલ છે. તેમણે શંકરાચાર્યને પડકાર ફેંક્યો કે એટલા જ સાચા હોય તો આવી જાય સામે. અખીલેશ કે રાહુલ જેને બચાવવા હોય એ આવી જાય, એવા એવા પુરાવા છે .
આશુતોષ બ્રહ્મચારીનો દાવો છે કે યુપી પોલીસ તેમની FIR નહોંતી લઈ રહી આથી જ તેમણે કોર્ટના શરણે જવુ પડ્યુ છે. અને તેમની યાચિકાને ધ્યાને લઈને જ કોર્ટ સ્વામી અવિમુક્તેશ્વારનંદ વિરુદ્ધ POCSO એક્ટ હેઠળ FIR દાખલ કર છે.
આશુતોષ બ્રહ્મચારી શ્રીકૃષ્ણ જન્મભૂમિ મુક્તિ નિર્માણ ટ્ર્સ્ટના અધ્યક્ષ છે. તે શાકંભરી પીઠાધીશ્વર છે. આશુતોષ બ્રહ્મચારી કથિત રીતે જગદ્દગુરુ રામભદ્રચાર્યના શિષ્ય છે. તેવો આરોપ પણ તેમની સામે લાગે છે. અત્રે ઉલ્લેખનિય છે કે જગદગુરુ રામભદ્રાચાર્ય અગાઉ સ્વામી અવિમુક્તેશ્વારનંદને પાખંડી ગણાવી ચુક્યા છે અને તેમની શંકરાચાર્યની ઉપાધિ પર પણ તેમણે અનેકવાર સવાલ ઉઠાવ્યા છે. ત્યારે આશુતોષ બ્રહ્મચારી રામભદ્રાચાર્યના શિષ્ય હોવાના નાતે શુ તેમના ઈશારે અવિમુક્તેશ્વરાનંદની સામે પડ્યા છે તે પણ સવાલ ઉઠવો સ્વાભાવિક છે.
આશુતોષ બ્રહ્મચારીએ 8 ફેબ્રુઆરીએ પ્રયાગરાજની પોક્સો કોર્ટમાં અવિમુક્તેશ્વારનંદ સામે FIR દાખલ કરવાની યાચિકા દાખલ કરી હતી. આ યાચિકામાં આરોપ લગાવાયો હતો કે અવિમુક્તેશ્વારનંદ સરસ્વતિ ગુરુકુળની આડમાં બાળકોનું યૌન ઉત્પીડન કરે છે. કોર્ટમાં પીડિત બાળકોને રજૂ કરવામાં આવ્યા અને તેમના નિવેદન ઓન કેમેરા રેકોર્ડ કરવામાં આવ્યા. આશુતોષ બ્રહ્મચારીનો દાવો છે કે તેમણે કોર્ટમાં બાળકોની યૌન શોષણ સંબંધિત સીડી પણ કોર્ટમાં સોંપી છે. તેમનો દાવો છે કે તેમની પાસે 7 થી 8 ડીવીડી છે.
આપને જણાવી દઈએ કે અવિમુક્તેશ્વરાનંદ સામે કોર્ટમાં જનારા આશુતોષ બ્રહ્મચારી વિરુદ્ધ પણ અનેક કેસમાં FIR દાખલ થયેલી છે. આથી ખુદ અવિમુક્તેશ્વરાનંદ અને કોંગ્રેસનો આરોપ છે કે આશુતોષ બ્રહ્મચારીને યુપી સીએમ યોગી આદિત્યનાથનો વિરોધ કરવાને કારણે ટાર્ગેટ કરાઈ રહ્યા છે.
શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતિના વિવાદનું ભૂત મૌની અમાસના દિવસે પ્રયાગરાજમાં પ્રશાસન સાથે થયેલા સ્નાન વિવાદથી ધુણી રહ્યુ છે. પ્રયાગરાજમાં માઘ મેળા દરમિયાન અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતિ અને યુપી પ્રયાગરાજ પ્રશાસન વચ્ચે માઘ મેળા દરમિયાન ઘર્ષણ થયુ હતુ. જ્યાં તેમને પવિત્ર સ્નાન કરવાથી રોકવામાં આવ્યા હતા.
દરમિયાન, સ્વામી અવિમુક્તેશ્વરાનંદના શિષ્યો અને મેળા પ્રશાસન વચ્ચે અથડામણ થઈ. આ વિવાદ વધુ વકર્યો અને રાજકીય વળાંક લીધો. આરોપ-પ્રત્યારોપ વચ્ચે, મેળા પ્રશાસને સ્વામી અવિમુક્તેશ્વરાનંદને નોટિસ મોકલીને પૂછ્યું કે તેમણે કયા આધારે શંકરાચાર્ય હોવાનો દાવો કર્યો છે. આ તરફ
જે બાદ સમગ્ર વિવાદ રાજકીય સ્વરૂપ લઈ રહ્યો છે અને ખુદ સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતિએ યોગી આદિત્યનાથની સરકાર સામે ગૌહત્યા સહિત અન્ય મુદ્દાઓને લઈને સવાલ કર્યા. જે બાદ આરોપ પ્રતિ આરોપ અને તીખી પ્રતિક્રિયાઓ સામે આવી.
મેળા પ્રશાસને તરફથઈ આ શંકરાચાર્યનો પુરાવો માગતો સવાલ સુપ્રીમ કોર્ટના એક આદેશના આધારે પૂછ્યો હતો જેમાં શંકરાચાર્યની નિમણૂક અને અભિષેક પર રોક લગાવવામાં આવી હતી. સ્વામી અવિમુક્તેશ્વરાનંદને 2022 થી જ્યોતિર્મઠના શંકરાચાર્ય તરીકે ઓળખવામાં આવે છે. જોકે, આ પદ પર તેમની નિમણૂક શરૂઆતથી જ વિવાદાસ્પદ માનવામાં આવે છે.
આ કહાનીની શરૂઆત 1941 થી શરૂ થાય છે. સૌ પ્રથમ, જ્યોતિર્મઠ ખાતે શંકરાચાર્યની બેઠક 1941 પહેલા લગભગ 168 વર્ષ સુધી ખાલી રહી હતી. આ પહેલા, 18મી સદીમાં, સ્વામી રામકૃષ્ણ તીર્થ શંકરાચાર્યનું પદ સંભાળતા હતા. જોકે, ઘણી જગ્યાએ તેમના માટે શંકરાચાર્યનું પદ નોંધાયેલું ન હોવા છતાં, મઠ તેમના આશ્રય હેઠળ રહ્યો. તેમના નિર્વાણ (મૃત્યુ) પછી, મઠ લગભગ 165 વર્ષ સુધી નિષ્ક્રિય રહ્યો. આ સમયગાળા દરમિયાન, ઘણા સાધુઓ અને ગુરુઓએ શંકરાચાર્યના પદ પર દાવો કર્યો, જેના કારણે 1900ના દાયકાથી અનેક દિવાની મુકદ્દમા દાખલ થયા.