PMC બેંક કૌભાંડના કેસમાં સુપ્રીમ કોર્ટે ખાતાધારકોને કોઈ રાહત આપી નથી. સુપ્રીમ કોર્ટે સુનાવણીનો ઈનકાર કરતા કહ્યું કે ખાતાધારકોએ હાઈકોર્ટમાં અપીલ કરવી જોઈએ. બેંકના 15 લાખથી વધુ ખાતાધારકોના નાણાં ફસાયા છે. રિઝર્વ બેંકે અગાઉ ફરમાન બહાર પાડ્યું હતું કે 6 મહિનામાં 40 હજાર રૂપિયાથી વધુની રકમ ઉપાડી નહી શકાય.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પ્રતિબંધના વિરોધમાં ખાતાધારકોએ અરજી કરી હતી. જો કે આ અરજીની સુનાવણી માટે સુપ્રીમ કોર્ટે ઈનકાર કર્યો છે. ત્યારે આ અંગે દિલ્લીના બિજોન કુમારે તમામ ખાતાધારકોને 100 ટકા વીમો મળે તેવી માગ કરી છે. જેથી ખાતાધારકોને તેમના રૂપિયા મળી રહે સાથે જ નાણા ઉપાડ પર લાગેલા પ્રતિબંધને હટાવવા પણ માગ કરાઈ છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો