ત્રિપુરામાં PMAY-G લાભાર્થીઓને પ્રથમ હપ્તો ટ્રાન્સફર કરવામાં આવ્યો, PM મોદીએ કહ્યું- દર વર્ષે 15 નવેમ્બરે ઉજવવામાં આવશે જનજાતિ ગૌરવ દિવસ

|

Nov 14, 2021 | 5:37 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રી આવાસ યોજના- ગ્રામીણનો પ્રથમ હપ્તો ત્રિપુરાના 1.47 લાખથી વધુ લાભાર્થીઓને ટ્રાન્સફર કર્યો. 700 કરોડથી વધુ રકમ સીધા લાભાર્થીઓના બેંક ખાતામાં જમા કરવામાં આવી હતી.

ત્રિપુરામાં PMAY-G લાભાર્થીઓને પ્રથમ હપ્તો ટ્રાન્સફર કરવામાં આવ્યો, PM મોદીએ કહ્યું- દર વર્ષે 15 નવેમ્બરે ઉજવવામાં આવશે જનજાતિ ગૌરવ દિવસ
Narendra Modi

Follow us on

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Narendra Modi) રવિવારે પ્રધાનમંત્રી આવાસ યોજના- ગ્રામીણ (PMAY-G)નો પ્રથમ હપ્તો ત્રિપુરાના 1.47 લાખથી વધુ લાભાર્થીઓને ટ્રાન્સફર કર્યો. પીએમ મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા લાભાર્થીઓના ખાતામાં પૈસા ટ્રાન્સફર કર્યા. 700 કરોડથી વધુ રકમ સીધા લાભાર્થીઓના બેંક ખાતામાં જમા કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ત્રિપુરાના મુખ્યમંત્રી બિપ્લબ કુમાર દેબ (Biplab Kumar Deb) અને કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રી ગિરિરાજ સિંહે પણ ભાગ લીધો હતો.

આ અવસરે વડાપ્રધાન મોદીએ કહ્યું કે, અમારો પ્રયાસ છે કે દેશનો સામાન્ય માણસ ન તો કોઈ યોજના માટે ભટકવો જોઈએ અને ન તો કોઈ વચેટિયા દ્વારા તેના પૈસા પડાવી લેવા જોઈએ. તેમણે કહ્યું કે, પ્રધાનમંત્રી આવાસ યોજનામાં પારદર્શી રીતે પસંદગી, ઘરોનું જિયો-ટેગિંગ, ગ્રામસભામાં નામની જાહેરાત, ન્યાયી સર્વેક્ષણ અને DBT આ વિચારનો ભાગ છે. તમને પહેલાની સરકારો પણ યાદ હશે, જ્યાં કટ કલ્ચર વગર કોઈ કામ થતું ન હતું.

ડબલ એન્જિન સરકાર વિકાસમાં વ્યસ્ત
લોકોને સંબોધિત કરતા પીએમ મોદીએ કહ્યું કે, આજે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ આપવામાં આવેલા પ્રથમ હપ્તાએ ત્રિપુરાના સપનાઓને નવી પ્રેરણા આપી છે. હું ત્રિપુરાના તમામ લોકોને, લગભગ દોઢ લાખ પરિવારોને હૃદયપૂર્વક અભિનંદન આપું છું જેમને પ્રથમ હપ્તાનો લાભ મળ્યો છે. તેમણે કહ્યું કે, હવે ત્રિપુરાને ગરીબ રાખવાવાળા, ત્રિપુરાના લોકોને સુવિધાઓથી દૂર રાખવાવાળા વિચારોને ત્રિપુરામાં કોઈ સ્થાન નથી. હવે અહીં ડબલ એન્જિનની સરકાર પૂરી તાકાત અને ઇમાનદારી સાથે રાજ્યના વિકાસમાં લાગેલી છે.

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ

પહેલા વિકાસની ગંગા અહીં પહોંચતા પહેલા જ સંકોચાઈ જતી
વડાપ્રધાને કહ્યું કે, આજે દેશના વિકાસને ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ની ભાવના સાથે જોવામાં આવે છે. વિકાસ હવે દેશની એકતા-અખંડિતતાનો પર્યાય ગણાય છે. પહેલા આપણી નદીઓ દેશના ઉત્તર અને પશ્ચિમ ભાગોમાંથી પૂર્વમાં આવતી હતી. પરંતુ વિકાસની ગંગા અહીં પહોંચતા પહેલા જ સંકોચાઈ જતી હતી.

15 નવેમ્બરે ઉજવવામાં આવશે જનજાતિ ગૌરવ દિવસ
પીએમ મોદીએ કહ્યું કે, આઝાદીના ઈતિહાસમાં આપણા પૂર્વોત્તર અને દેશના આદિવાસી લડવૈયાઓએ દેશ માટે બલિદાન આપ્યું છે. આ પરંપરાને માન આપવા માટે, દેશ આ વારસાને આગળ વધારવા માટે સતત કામ કરી રહ્યો છે. દેશે અમૃત ઉત્સવ દરમિયાન વધુ એક મોટો નિર્ણય લીધો છે. હવે દર વર્ષે 15મી નવેમ્બરે ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ જનજાતિ ગૌરવ દિવસ તરીકે ઉજવવામાં આવશે.

 

આ પણ વાંચો : UP Assembly Election: લખનૌમાં સીએમ યોગીએ કહ્યું- જિન્નાનું સમર્થન કરનારા જ તાલિબાનના સમર્થક

આ પણ વાંચો : કોરોનાથી સાજા થયેલા લોકો બની રહ્યા છે ડાયાબિટીસનો શિકાર, જાણો શું છે તેની પાછળનું કારણ ?

Next Article