PM નરેન્દ્ર મોદી GIDM અને પ્રોફેસર શર્માને સુભાષ ચંદ્ર બોઝ આપદા પ્રબંધન પુરસ્કારથી કરશે સન્માનિત

|

Jan 23, 2022 | 1:53 PM

ગૃહ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા નિવેદન અનુસાર, GIDM અને પ્રોફેસર શર્માને "આપત્તિ વ્યવસ્થાપનમાં તેમના ઉત્કૃષ્ટ કાર્ય માટે" સન્માનિત કરવામાં આવશે.

PM નરેન્દ્ર મોદી GIDM અને પ્રોફેસર શર્માને સુભાષ ચંદ્ર બોઝ આપદા પ્રબંધન પુરસ્કારથી કરશે સન્માનિત
PM Narendra Modi (PC: Twitter)

Follow us on

ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ (GIDM) અને નેશનલ સેન્ટર ફોર ડિઝાસ્ટર મેનેજમેન્ટના સ્થાપક સંયોજક પ્રોફેસર વિનોદ શર્માને આ વર્ષના સુભાષ ચંદ્ર બોઝ આપદા પ્રબંધન પુરસ્કાર માટે પસંદ કરવામાં આવ્યા છે. નેતાજી સુભાષ ચંદ્ર બોઝની 125મી જન્મજયંતિ નિમિત્તે રવિવારે સાંજે એક સમારોહમાં તેઓ વડા પ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) પાસેથી તેમના પુરસ્કારો પ્રાપ્ત કરશે. ગૃહ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા નિવેદન અનુસાર, GIDM અને પ્રોફેસર શર્માને “આપત્તિ વ્યવસ્થાપનમાં તેમના ઉત્કૃષ્ટ કાર્ય માટે” સન્માનિત કરવામાં આવશે.

જ્યારે જીઆઈડીએમને સંસ્થાકીય કેટેગરી હેઠળ પસંદ કરવામાં આવી હતી, જ્યારે પ્રોફેસર શર્માને વ્યક્તિગત શ્રેણી હેઠળ પસંદ કરવામાં આવ્યા હતા. 2019, 2020 અને 2021માં પસંદગી પામેલને રવિવારે સમારોહમાં પુરસ્કારો પણ આપવામાં આવશે.

2012 માં સ્થપાયેલ, ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ (GIDM) રાજ્યની આપત્તિ જોખમ ઘટાડવાની ક્ષમતાને વધારવા માટે કામ કરી રહી છે. ગૃહ મંત્રાલયના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “વ્યૂહાત્મક રીતે રચાયેલ ક્ષમતા નિર્માણ કાર્યક્રમોની શ્રેણી દ્વારા, GIDM એ 12,000 થી વધુ વ્યાવસાયિકોને રોગચાળા દરમિયાન બહુ-સંકટ જોખમ સંચાલન અને શમન સંબંધિત વિવિધ મુદ્દાઓ પર તાલીમ આપી છે.”

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ

દરમિયાન, કેન્દ્રએ પ્રોફેસર વિનોદ શર્માને ” આપત્તિ જોખમને ઘટાડવા (ડીઆરઆર)ને રાષ્ટ્રીય એજન્ડામાં સૌથી મોખરે લાવવાની દિશામાં અથાક પ્રયાસ કરવા માટે” કહ્યું છે. શર્મા ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશનમાં વરિષ્ઠ પ્રોફેસર અને સિક્કિમ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના વાઇસ ચેરમેન છે. તેઓ નેશનલ સેન્ટર ફોર ડિઝાસ્ટર મેનેજમેન્ટના સ્થાપક-સંયોજક પણ છે, જે હવે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ તરીકે ઓળખાય છે.

ભારતમાં આપત્તિ વ્યવસ્થાપન ક્ષેત્રે દેશમાં વ્યક્તિઓ અને સંસ્થાઓ દ્વારા આપવામાં આવેલ અમૂલ્ય યોગદાન અને નિઃસ્વાર્થ સેવાને ઓળખવા અને સન્માન આપવા માટે કેન્દ્રએ વાર્ષિક પુરસ્કારની સ્થાપના કરી. તેની જાહેરાત દર વર્ષે 23 જાન્યુઆરીએ નેતાજી સુભાષ ચંદ્ર બોઝની જન્મજયંતિના રોજ કરવામાં આવે છે.

આ પણ વાંચો: SEBI Recruitment 2022: સેબીમાં આસિસ્ટન્ટ મેનેજર સહિતની ઘણી જગ્યાઓ માટે અરજી કરવાની આવતીકાલે છેલ્લી તારીખ, આ રીતે કરો અરજી

આ પણ વાંચો: PAN Card માં ઘર બેઠા બદલી શકો છો પોતાની અટક, આ છે ઓનલાઈન પ્રોસેસ

Next Article