કૃષિ કાયદા અંગે PM MODIનું નિવેદન, “સરકાર હજુ પણ ચર્ચા કરવા તૈયાર”

|

Jan 30, 2021 | 3:04 PM

કેન્દ્રીય બજેટ પૂર્વેની સર્વદલીય બેઠકમાં વડાપ્રધાન મોદીએ આ નિવેદન આપ્યું છે. PM MODIએ વિપક્ષને પણ આ અંગે પ્રસ્તાવ રજૂ કરવા કહ્યું છે.

કૃષિ કાયદા અંગે PM MODIનું નિવેદન, સરકાર હજુ પણ ચર્ચા કરવા તૈયાર

Follow us on

દિલ્હીમાં કૃષિ કાયદાઓ અંગે ખેડૂતોના વિરોધ અને પ્રદર્શનને લઈને સરકારે થોડું કુણું વલણ દર્શાવ્યું છે. કૃષિ કાયદા અંગે PM MODIએ નિવેદન આપતા કહ્યું કે સરકાર કૃષિ કાયદાઓ અંગે ખેડૂતો સાથે ચર્ચા કરવા તૈયાર છે. PM MODIએ વિપક્ષને પણ આ અંગે પ્રસ્તાવ રજૂ કરવા કહ્યું છે. કેન્દ્રીય બજેટ પૂર્વેની સર્વપક્ષીય બેઠકમાં  વડાપ્રધાન મોદીએ આ નિવેદન આપ્યું છે.

ઉલ્લેખનીય છે કે સરકારે ખેડૂત નેતાઓ સમક્ષ પહેલા જ 18 મહીંના માટે કૃષિ કાયદાઓ લાગુ ન કરવાનો પ્રસ્તાવ મુક્યો હતો. ત્યારબાદ સુપ્રીમ કોર્ટે પણ ત્રણેય કૃષિ કાયદાઓ પર રોક લગાવી હતી. બજેટસત્રની શરૂઆતમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદેનાં અભિભાષણમાં પણ કહ્યું હતું કે સરકાર સુપ્રીમ કોર્ટના નિર્ણયનો આદર કરે છે. કૃષિ કાયદાને લઈને જ વિપક્ષીઓએ રાષ્ટ્રપતિ અભિભાષણનો પણ ત્યાગ કર્યો હતો.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

કૃષિ કાયદાના અંગે ખેડૂત નેતાઓ લગભગ 60 દિવસથી વિરોધ અને પ્રદર્શન કરી રહ્યા છે. આ ઉપરાંત સરકાર સાથે 10 જેટલી બેઠકો પણ કરી છે. પણ હજી સુધી કોઈ સમાધાન સધાયું નથી. હવે વડાપ્રધાન મોદીએ આ નિવેદન આપતા જલ્દી જ કૃષિ કાયદાઓ અંગે સરકાર અને ખેડૂતો વચ્ચે સમાધાન આવી શકે છે.

Published On - 3:03 pm, Sat, 30 January 21

Next Article