PM Modi Varanasi Visit: વડાપ્રધાન મોદીએ કહ્યું, કાશી વિશ્વનાથ ધામ મહાદેવના ચરણોમાં અર્પિત,બનારસનો વિકાસ ભારતનો રોડમેપ બનાવે છે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીકાશીની બે દિવસીય મુલાકાતે છે. વડાપ્રધાને અહીં ભાજપ શાસિત 12 રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં સરકારની નીતિઓ(Government policies), યોજનાઓના પ્રચાર, આગામી વિધાનસભાની ચૂંટણી(Assembly elections)ને લઈને મંથન થયું હતું.

PM Modi Varanasi Visit: વડાપ્રધાન મોદીએ કહ્યું, કાશી વિશ્વનાથ ધામ મહાદેવના ચરણોમાં અર્પિત,બનારસનો વિકાસ ભારતનો રોડમેપ બનાવે છે
PM Narendra Modi
| Edited By: | Updated on: Dec 14, 2021 | 4:45 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Prime Minister Narendra Modi) એ કહ્યું કે, ગઈકાલે કાશી(Kashi)એ મહાદેવના ચરણોમાં ભવ્ય વિશ્વનાથ ધામ અર્પણ કર્યું હતું અને આજે આ અદ્ભુત કાર્યક્રમનું આયોજન વિહંગમ યોગ સંસ્થા દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ દિવ્ય ભૂમિ પર ભગવાન પોતાની અનેક મનોકામનાઓની પૂર્તિ માટે માત્ર સંતોને જ સાધન બનાવે છે.

 

ભારતમાં સમય વિપરીત હોય ત્યારે કોઈ વ્યક્તિ અવતાર લે છે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આજે ગીતા જયંતિનો શુભ અવસર છે. આ દિવસે જ્યારે કુરુક્ષેત્રના યુદ્ધભૂમિમાં સેનાઓ સામ-સામે હતી ત્યારે માનવતાને યોગ, અધ્યાત્મ અને પરમાર્થનું પરમ જ્ઞાન મળ્યું હતું. સદગુરુ સદફલદેવજીએ સમાજના જાગૃતિ માટે વિહંગમ યોગને લોકો સુધી પહોંચાડવા માટે યજ્ઞ કર્યો હતો. આજે એ સંકલ્પ બીજ આટલા વિશાળ વટવૃક્ષના રૂપમાં આપણી સામે ઊભું છે. આપણો દેશ એટલો અદ્ભુત છે કે, અહીં જ્યારે પણ સમય વિપરીત હોય છે, ત્યારે સમયના પ્રવાહને વાળવા માટે કોઈક સંત-વિભૂતિ ઉતરી આવે છે. તે ભારત છે જેના સ્વતંત્રતાના સૌથી મોટા હીરોને વિશ્વ મહાત્મા કહે છે.

કાશી વિશ્વનાથ ધામ મહાદેવના ચરણોમાં અર્પિત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ગઈકાલે કાશીએ મહાદેવના ચરણોમાં ભવ્ય વિશ્વનાથ ધામ અર્પણ કર્યું હતું અને આજે આ અદ્ભુત કાર્યક્રમનું આયોજન વિહંગમ યોગ સંસ્થા દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ દિવ્ય ભૂમિ પર ભગવાન પોતાની અનેક મનોકામનાઓની પૂર્તિ માટે માત્ર સંતોને જ સાધન બનાવે છે.

લોકો જાણે છે કે રસ્તા પહોળા થતા કેટલો ફરક પડ્યો છે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, કાશીએ પણ રેકોર્ડ સમયમાં રિંગરોડનું કામ પૂર્ણ કર્યું છે. બનારસ આવતા ઘણા રસ્તાઓ પણ પહોળા કરવામાં આવ્યા છે. જે લોકો રોડ માર્ગે બનારસ આવે છે, તેઓ સારી રીતે સમજે છે કે આ સુવિધાથી કેટલો ફરક પડ્યો છે.

બનારસનો વિકાસ ભારતનો રોડમેપ બનાવે છે

આજે દેશ સ્વતંત્રતા સંગ્રામમાં પોતાના ગુરુઓ, સંતો અને તપસ્વીઓના યોગદાનને યાદ કરીને નવી પેઢીને તેમના યોગદાનથી વાકેફ કરી રહ્યો છે. મને ખુશી છે કે વિહંગમ યોગ સંસ્થા પણ આમાં સક્રિય ભૂમિકા ભજવી રહી છે. બનારસ જેવા શહેરોએ કપરા સમયમાં પણ ભારતની ઓળખ, કલા, ઉદ્યોગસાહસિકતાના બીજ સાચવ્યા છે. આજે, જ્યારે આપણે બનારસના વિકાસની વાત કરીએ છીએ, ત્યારે તે સમગ્ર ભારતના વિકાસનો રોડમેપ પણ બનાવે છે.

હું દિલ્હીથી પણ કાશીના વિકાસને ઝડપી રાખું છું

તેમણે કહ્યું કે હું જ્યારે પણ કાશી આવું છું અથવા તો દિલ્હીમાં રહું છું, ત્યારે બનારસમાં થઈ રહેલા વિકાસ કાર્યો સાથે ગતિ રાખવાનો પ્રયાસ કરવામાં આવે છે. ગઈકાલે રાત્રે 12 વાગ્યા પછી, તક મળતાં જ હું મારી કાશીમાં જે કામ ચાલી રહ્યું છે, જે કામ થઈ ગયું છે તે જોવા માટે ફરી નીકળી ગયો.

ગઢડોલિયામાં જે બ્યુટીફીકેશનનું કામ થયું છે તે જોવાલાયક બન્યું છે. મેં મદુવાડીહમાં બનારસ રેલ્વે સ્ટેશન પણ જોયું. આ સ્ટેશન

લોકલને ગ્લોબલ બનાવવામાં આવી રહ્યુ છે

વડાપ્રધાને કહ્યુ કે, સ્વાતંત્ર્ય સંગ્રામના સમયે સદગુરુએ આપણને મંત્ર આપ્યો હતો  સ્વદેશીનો. આજે એ જ ભાવનાથી દેશે હવે ‘આત્મનિર્ભર ભારત મિશન’ શરૂ કર્યું છે. આજે દેશના સ્થાનિક વેપાર-રોજગારને ઉત્પાદનોને બળ આપવામાં આવી રહ્યું છે, સ્થાનિકને વૈશ્વિક બનાવવામાં આવી રહ્યું છે.

મહત્વવનું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીકાશીની બે દિવસીય મુલાકાતે છે. વડાપ્રધાને અહીં ભાજપ શાસિત 12 રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં સરકારની નીતિઓ(Government policies), યોજનાઓના પ્રચાર, આગામી વિધાનસભાની ચૂંટણી(Assembly elections)ને લઈને મંથન થયું હતું.

આ પણ વાંચો : Gold Price Today : આજે 1 તોલા સોનાનો INDIA અને DUBAI માં ભાવ શું છે? જાણો અહેવાલ દ્વારા

આ પણ વાંચો : Multibagger Stock: રોકાણકારોના 1 લાખ રૂપિયા 3 વર્ષમાં બન્યા 5.67 કરોડ, શું છે આ સ્ટોક તમારા પોર્ટફોલિયોમાં?

Published On - 4:19 pm, Tue, 14 December 21