વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે દક્ષિણ ગોવામાં શ્રી સંસ્થાન ગોકર્ણ જીવોત્તમ મઠ ખાતે ભગવાન રામની ભવ્ય અને દિવ્ય પ્રતિમાનું અનાવરણ કર્યું. આ પ્રતિમા 77 ફૂટ ઊંચી અને કાંસાની બનેલી છે. ગુજરાતમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ડિઝાઇન કરનાર શિલ્પકાર રામ સુતાર દ્વારા બનાવવામાં આવેલી, તે વિશ્વની ભગવાન રામની સૌથી ઊંચી પ્રતિમા છે. ગોવાના રાજ્યપાલ અશોક ગજપતિ રાજુ, મુખ્યમંત્રી પ્રમોદ સાવંત, કેન્દ્રીય મંત્રી શ્રીપદ નાઈક અને રાજ્ય કેબિનેટ મંત્રીઓએ સમારોહમાં હાજરી આપી હતી.
મઠ પરંપરાની 550મી વર્ષગાંઠ નિમિત્તે 27 નવેમ્બરથી 7 ડિસેમ્બર સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. ગોવામાં મઠ સંકુલ 370 વર્ષ પહેલાં કાનાકોના (દક્ષિણ ગોવા જિલ્લો) ના પર્તાગલ ગામમાં બનાવવામાં આવ્યું હતું. આ દિવસો દરમિયાન અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. દરરોજ 7,000 થી 10,000 લોકો મઠ સંકુલની મુલાકાત લે તેવી અપેક્ષા છે.
‘ …
As Partagali Math marks 550 years of its spiritual legacy, PM Shri @narendramodi unveiled Asia’s tallest 77-foot bronze idol of Lord Rama in Canacona, Goa. pic.twitter.com/2qVPC3oKer
— BJP (@BJP4India) November 28, 2025
ભગવાન રામની આ પ્રતિમા નોઈડા સ્થિત પ્રખ્યાત શિલ્પકાર રામ સુતારના માર્ગદર્શન હેઠળ બનાવવામાં આવી હતી, જેમણે ગુજરાતમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની પણ રચના કરી હતી. ભગવાન રામને ધનુષ્ય અને તીર ધારણ કરેલું દર્શાવતી આ પ્રતિમા મનમોહક છે. આ પ્રતિમામાં ભગવાન રામની દિવ્યતા અને સૌમ્યતા જોઈ અને અનુભવી શકાય છે.
#WATCH | Goa | Prime Minister Narendra Modi unveiled a 77-foot statue of Lord Ram made up of bronze at Shree Samsthan Gokarn Partagali Jeevottam Math.
The Prime Minister is visiting the math on the occasion of ‘Sardha Panchashatamanotsava’, the 550th-year celebration of the… pic.twitter.com/LgSQEvASbc
— ANI (@ANI) November 28, 2025
આજે શ્રી સંસ્થાન ગોકર્ણ પર્તાગલ જીવોત્તમ મઠની 550મી વર્ષગાંઠ છે. આ પ્રસંગે ભગવાન રામની સૌથી ઊંચી પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. પ્રતિમાની સાથે, રામાયણ થીમ પાર્ક અને રામ સંગ્રહાલય પણ બનાવવામાં આવી રહ્યું છે. શ્રી સંસ્થાન ગોકર્ણ પાર્થગલી જીવોત્તમ મઠ એ પ્રથમ ગૌડ સારસ્વત બ્રાહ્મણ વૈષ્ણવ મઠ છે.
તે દ્વૈત સંપ્રદાયને અનુસરે છે. 13મી સદીમાં જગદગુરુ માધવાચાર્ય દ્વારા સ્થાપિત, આ મઠનું મુખ્ય મથક કુશાવતી નદીના કિનારે દક્ષિણ ગોવાના એક નાના શહેર પાર્થગલી ખાતે સ્થિત છે.