
વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભામાં ગઈ કાલે કાવ્યાત્મક શૈલીમાં દેખાયા હતા. મંગળવારે પોતાના ભાષણમાં વડાપ્રધાને મોદી સરકારને ઘેરવા બદલ કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી પર પીએમએ કટાક્ષ કર્યો હતો.આ સાથે સાથે તેઓ બોલિવૂડ ફિલ્મોની પ્રસંશા કરતા જોવા મળ્યા હતા. શાહરુખ ખાન દીપિકા પાદુકોણ અને જોન અબ્રાહમની ફિલ્મ હાલ થિયેટરોમાં છવાયેલી છે. વડાપ્રધાન મોદી સંસદમાં શ્રીનગરના થિયેટરોનો ઉલ્લેખ કરતા જોવા મળ્યા હતા.
વડાપ્રધાન મોદી સામાન્ય દર્શકો પર હાલમાં આવેલી ફિલ્મના પ્રભાવ વિશે જણાવતા કહ્યું કે, શ્રીનગરના થિયેટરો દશકો પછી હાઉસફુલ ચાલી રહ્યાં છે. વડાપ્રધાન મોદીના ભાષણનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં વડાપ્રધાન મોદી ફિલ્મના નામનો ઉલ્લેખ કર્યા વગર પ્રસંશા કરતા જોવા મળી રહ્યાં છે.
The man himself Respected PM Shri @narendramodi in parliament taking about Housefull shows of #Pathaan in @INOXMovies Cinema @ Ram Munshi Bagh, Srinagar, Jammu & Kashmir. https://t.co/Dr7Ua3XwV8
— Rohan Malhotra (@rohan_m01) February 8, 2023
J&K | Kashmir’s first multiplex is all set to open today. J&K LG Manoj Sinha will Inaugurate the multiplex. With the opening of this, Kashmiris will get a chance to see movies on the big screen after more than three decades. pic.twitter.com/9jOy1JhcJQ
— ANI (@ANI) September 20, 2022
#Pathaan‘s heart-winning spree continues ❤️💥 Have you watched Pathaan yet? Book your tickets now! https://t.co/SD17p6x9HI | https://t.co/VkhFng6vBj
Celebrate #Pathaan with #YRF50 only at a big screen near you, in Hindi, Tamil and Telugu. pic.twitter.com/0LYk30KH6p
— Yash Raj Films (@yrf) February 8, 2023
25 જાન્યુઆરીના રોજ રિલીઝ થયેલી પઠાણ ફિલ્મનો બોક્સ ઓફિસ પર ભારે ક્રેઝ જોવા મળી રહ્યો છે. આ ફિલ્મોએ વર્લ્ડ વાઈડ તાબડતોડ 850 કરોડની કમાણી કરી છે. ભારતમાં શાહરુખ ખાનની આ ફિલ્મે 550 કરોડની કમાણી કરી છે. શ્રીનગરના થિયેટરોના ફોટો પણ હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યાં છે.
તેમણે વધુમાં કહ્યું કે, કેટલાક લોકોના ભાષણ પછી આખી ઇકો સિસ્ટમના સમર્થકો ઉછળી પડ્યા હતા અને ખુશીથી કહેવા લાગ્યા હતા કે આવું ન થયું અને તેઓ સારી રીતે ઊંઘી ગયા અને જાગી શક્યા નહીં. કેટલાક લોકોએ રાષ્ટ્રપતિના ભાષણનો અપવાદ લીધો અને એક નેતા (અધિર રંજન)એ તો રાષ્ટ્રપતિનું અપમાન કર્યું. એ અલગ વાત છે કે બાદમાં પત્ર લખીને માફી માંગવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.આદિવાસી સમાજ પ્રત્યે નફરત અને તેમના પ્રત્યે તેમની વિચારસરણી શું છે તે પણ જોવા મળ્યું છે.
રાહુલ ગાંધીના ભાષણ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, અહીં ઘણા લોકોએ પોતાની વાત રાખી, દરેકની વાત સાંભળતી વખતે એ પણ ખ્યાલ આવે છે કે કોની પાસે કેટલી ક્ષમતા છે અને કોની પાસે કેટલી સમજ છે.