વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) બુધવારે વીડિયો કોન્ફરન્સ દ્વારા તમિલનાડુમાં (Tamil Nadu) નવી 11 સરકારી મેડિકલ કોલેજો અને ચેન્નાઈમાં (Chennai) સેન્ટ્રલ ઈન્સ્ટિટ્યૂટ ઑફ ક્લાસિકલ તમિલના નવા કેમ્પસનું ઉદ્ઘાટન કર્યું. આ પછી, તેમણે કાર્યક્રમને સંબોધિત કરતા કહ્યું, ‘2014 પહેલા આપણા દેશમાં 387 મેડિકલ કોલેજ હતી, હવે આ આંકડો વધીને 596 થઈ ગયો છે. જે લગભગ 54 ટકાનો વધારો દર્શાવે છે. 2014 પહેલા, મેડિકલ ક્ષેત્રે અંડરગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટની 82,000 બેઠકો હતી. પરંતુ આજે આ આંકડો વધીને 1.48 લાખ થયો છે, જે લગભગ 80 ટકાનો વધારો છે.
AIIMS મા વધારો કરાયો
પીએમે કહ્યું, ‘ભારત સરકારે મેડિકલ ક્ષેત્રમાં ઘણા સુધારા કર્યા છે. આયુષ્માન ભારતને કારણે ગરીબોને ઉચ્ચ ગુણવત્તા અને સસ્તી આરોગ્યસંભાળ મેળવવાની તક મળી છે. ઘૂંટણના પ્રત્યારોપણ અને સ્ટેન્ટનો ખર્ચ અગાઉની સરખામણીમાં ત્રીજા ભાગનો થઈ ગયો છે. 2014માં દેશમાં માત્ર સાત AIIMS હતી. 2014 પછી AIIMSની સંખ્યા વધીને 22 થઈ ગઈ છે. તેમજ મેડિકલ એજ્યુકેશન સેક્ટરને વધુ પારદર્શક બનાવવા માટે વિવિધ સુધારા કરવામાં આવ્યા છે.
કોવિડ-19 રોગચાળા પર વાત કરી
કોરોના વાયરસ અંગે તેમણે કહ્યું, ‘કોવિડ-19 રોગચાળાએ આપણને બતાવ્યું છે કે આરોગ્ય ક્ષેત્ર કેટલું મહત્વપૂર્ણ છે. આવનારુ ભવિષ્ય એવા સમાજનું હશે જે હેલ્થકેરમાં રોકાણ કરે છે. આવનારા સમયમાં ભારત વધુ સારી ગુણવત્તા અને સસ્તા મેડિકલ ખર્ચવાળા દેશ તરીકે ઓળખાશે. મેડિકલ ટુરીઝમના ક્ષેત્રમાં ભારતમાં દરેક જરૂરી ગુણવત્તા છે. હું કહીશ કે તે ડોકટરોની કુશળતા પર આધારિત છે. હું તબીબી ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોને પણ ટેલીમેડિસિન તરફ ધ્યાન આપવા અપીલ કરું છું.
પીએમ તમિલ ભાષામાં બોલ્યા
વડાપ્રધાને કહ્યું, ‘મને હંમેશા તમિલ ભાષા અને સંસ્કૃતિની સમૃદ્ધિ પસંદ છે. મારા જીવનની સૌથી ખુશીની ક્ષણોમાંની એક એ હતી જ્યારે મને યુનાઈટેડ નેશન્સ (United Nations) ખાતે વિશ્વની સૌથી જૂની ભાષા તમિલમાં થોડાક શબ્દો બોલવાનો મોકો મળ્યો. બનારસ હિંદુ યુનિવર્સિટીમાં તમિલ ભણાવવા માટે ‘સુબ્રમણ્ય ભારતી પીઠ’ સ્થાપવાનું સન્માન પણ અમારી સરકારને મળ્યું છે. મારા સંસદીય મતવિસ્તારમાં સ્થિત છે, તે તમિલ વિશે વધુ ઉત્સુકતા પેદા કરશે. એક ભારત, શ્રેષ્ઠ ભારત ‘વિવિધતામાં એકતાની ભાવના કેળવવા અને આપણા લોકોને નજીક લાવવાનો પ્રયાસ કરે છે’.
આ પણ વાંચોઃ
આ પણ વાંચોઃ