“આપ પહલે સે નંગે ફીર કપડે ઉતારને કી જરૂરત કયું..?” કોંગ્રેસ ના શર્ટલેસ પ્રદર્શન પર PM મોદી આકરા પાણીએ, જુઓ Video

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મેરઠમાં કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા. તેમણે કોંગ્રેસ પર વૈશ્વિક AI સમિટ જેવા રાષ્ટ્રીય ગૌરવના કાર્યક્રમોનું રાજકીયકરણ કરવાનો આરોપ લગાવ્યો.

આપ પહલે સે નંગે ફીર કપડે ઉતારને કી જરૂરત કયું..? કોંગ્રેસ ના શર્ટલેસ પ્રદર્શન પર PM મોદી આકરા પાણીએ, જુઓ Video
| Updated on: Feb 22, 2026 | 4:57 PM

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મેરઠમાં યોજાયેલી જાહેર રેલી દરમિયાન કોંગ્રેસ પર કડક પ્રહાર કર્યા. મેરઠ મેટ્રોના ઉદ્ઘાટન પછી ઉત્તર પ્રદેશમાં સંબોધન કરતાં તેમણે કહ્યું કે કેટલાક રાજકીય પક્ષો ભારતની સફળતા સહન કરી શકતા નથી.

20 દેશોના રાષ્ટ્રીય અધ્યક્ષો દિલ્હીમાં

ભારતમાં આયોજિત વિશ્વના સૌથી મોટા કૃત્રિમ બુદ્ધિ (AI) સંમેલનનો ઉલ્લેખ કરતાં પીએમ મોદીએ જણાવ્યું કે 80થી વધુ દેશોના પ્રતિનિધિઓ અને 20 દેશોના રાષ્ટ્રીય અધ્યક્ષો દિલ્હીમાં ઉપસ્થિત રહ્યા હતા. તેમના અનુસાર, વિકાસશીલ દેશોમાં આ પ્રકારનું વિશાળ પરિષદ પહેલાં ક્યારેય યોજાયું નહોતું, જે ભારત માટે ગર્વની બાબત છે.

તેમણે આરોપ લગાવ્યો કે કોંગ્રેસે આવા વૈશ્વિક કાર્યક્રમને પણ પોતાના રાજકીય હિત માટે વાપરવાનો પ્રયાસ કર્યો. પીએમ મોદીએ પ્રશ્ન કર્યો કે કોંગ્રેસ વૈચારિક રીતે કેટલી નબળી થઈ ગઈ છે. તેમના કહેવા મુજબ, દેશના સન્માન સાથે જોડાયેલા કાર્યક્રમને રાજકીય રંગ આપવો યોગ્ય નથી.

સમિટમાં ભાજપનો કોઈ નેતા હાજર નહોતો

પીએમ મોદીએ કહ્યું કે એઆઈ સમિટ કોઈ રાજકીય પક્ષનો કાર્યક્રમ નહોતો, પરંતુ રાષ્ટ્રીય ગૌરવ સાથે જોડાયેલો કાર્યક્રમ હતો. તેમણે ઉમેર્યું કે આ સમિટમાં ભાજપનો કોઈ નેતા હાજર નહોતો અને તેને રાજકીય મુદ્દો બનાવવો ખોટો છે.

તેમણે કોંગ્રેસ પર આરોપ લગાવ્યો કે તે દેશને બદનામ કરવાનો પ્રયાસ કરી રહી છે. તેમણે ઉદાહરણ આપતાં કહ્યું કે જેમ ગામમાં લગ્ન પ્રસંગે આખું ગામ મળીને મહેમાનો સામે સારી છબી ઉભી કરવા પ્રયત્ન કરે છે, તેમ દેશના કાર્યક્રમોમાં પણ સૌએ એકતા દર્શાવવી જોઈએ.

આગળ તેઓએ કહ્યું કે કોંગ્રેસ પોતાના સાથીદારોને પણ સંસદમાં યોગ્ય રીતે બોલવાની તક આપતી નથી અને સંસદની કામગીરીને અસર પહોંચાડે છે. તેમના અનુસાર, કોંગ્રેસની રાજનીતિથી તેના ઘણા સાથીદારો પણ દૂર થઈ રહ્યા છે.

શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ વિરુદ્ધ યૌન શોષણની ફરિયાદ

Published On - 4:45 pm, Sun, 22 February 26