પહેલવાનોનાં ધરણા સમાપ્ત થયા પણ હવે તપાસની કુસ્તી શરૂ, તપાસ પુરી ન થાય ત્યાં સુધી WFI પ્રમુખ બ્રિજ ભૂષણ સિંહ હટાવાયા

|

Jan 21, 2023 | 6:40 AM

કુસ્તીબાજ બજરંગ પુનિયાએ કહ્યું કે કેન્દ્રીય મંત્રી (અનુરાગ ઠાકુરે) તમામ ખેલાડીઓને ખાતરી આપી છે. દરેકને સમજાવવામાં આવ્યું છે. અમે ખેલાડીઓ અમારું આંદોલન પાછું ખેંચી રહ્યા છીએ કારણ કે અમને સરકાર દ્વારા ખાતરી આપવામાં આવી છે. અમને વિશ્વાસ છે કે અમને ન્યાય મળશે.

પહેલવાનોનાં ધરણા સમાપ્ત થયા પણ હવે તપાસની કુસ્તી શરૂ, તપાસ પુરી ન થાય ત્યાં સુધી WFI પ્રમુખ બ્રિજ ભૂષણ સિંહ હટાવાયા

Follow us on

ભારતીય રેસલિંગ ફેડરેશનના વડા બ્રિજભૂષણ શરણ સિંહ પર યૌન શોષણના આરોપો બાદ દિલ્હીના જંતર-મંતર પર બે દિવસથી ચાલી રહેલી કુસ્તીબાજોની હડતાળનો અંત આવ્યો છે. કુસ્તીબાજોએ તેમની ફરિયાદોના નિરાકરણની ખાતરી આપ્યા બાદ હડતાલ પાછી ખેંચી છે. તે જ સમયે, બ્રિજ ભૂષણ શરણ સિંહ જ્યાં સુધી આ મામલાની મોનિટરિંગ કમિટી દ્વારા તપાસ ન થાય ત્યાં સુધી પદની જવાબદારીઓથી હટી જશે.

કુસ્તીબાજ બજરંગ પુનિયાએ કહ્યું કે કેન્દ્રીય રમત મંત્રીએ અમારી માંગણીઓ સાંભળી અને યોગ્ય તપાસનું આશ્વાસન આપ્યું. હું તેમનો આભાર માનું છું અને અમને આશા છે કે નિષ્પક્ષ તપાસ થશે, તેથી અમે વિરોધ પાછો ખેંચી રહ્યા છીએ.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

તમને જણાવી દઈએ કે ઓલિમ્પિક મેડલ વિજેતા બજરંગ પુનિયા અને સાક્ષી મલિકા અને વર્લ્ડ ચેમ્પિયનશિપ મેડલિસ્ટ વિનેશ ફોગાટ સહિત ઘણા રેસલર્સે બ્રિજ ભૂષણ શરણ પર યૌન ઉત્પીડન અને ડરાવવાનો આરોપ લગાવ્યો છે.

 

કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરના ઘરે પ્રેસ કોન્ફરન્સ

કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે ખેલાડીઓ સાથે સતત ચર્ચા થઈ રહી છે. બધાએ રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા પર ગંભીર આરોપો લગાવ્યા અને તેઓ શું સુધારા ઈચ્છે છે, આ વાત પણ સામે આવી છે.ઓવરસાઈટ કમિટીની રચના કરવામાં આવશે. જે આગામી 4 સપ્તાહમાં તેની તપાસ પૂર્ણ કરશે. તેમણે કહ્યું કે જ્યાં સુધી તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી એક સમિતિ રોજબરોજની ગતિવિધિઓ પર નજર રાખશે. ત્યાં સુધી રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પ્રેસિડેન્ટ બ્રિજ ભૂષણ સિંહ પોતાને અલગ રાખશે અને તપાસમાં સહયોગ કરશે.

અમને વિશ્વાસ છે કે ન્યાય મળશેઃ બજરંગ

કુસ્તીબાજ બજરંગ પુનિયાએ કહ્યું કે કેન્દ્રીય મંત્રી (અનુરાગ ઠાકુરે) તમામ ખેલાડીઓને ખાતરી આપી છે. દરેકને સમજાવવામાં આવ્યું છે. અમે ખેલાડીઓ અમારું આંદોલન પાછું ખેંચી રહ્યા છીએ કારણ કે અમને સરકાર દ્વારા ખાતરી આપવામાં આવી છે. અમને વિશ્વાસ છે કે અમને ન્યાય મળશે.

સાત સભ્યોની સમિતિની રચના

ભારતીય ઓલિમ્પિક એસોસિએશન (IOA) એ શુક્રવારે WFI પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહ સામે સ્ટાર કુસ્તીબાજો દ્વારા લગાવવામાં આવેલા જાતીય સતામણીના આરોપોની તપાસ માટે સાત સભ્યોની સમિતિની રચના કરી છે, જેમાં એમસી મેરી કોમ અને યોગેશ્વર દત્ત જેવા ખેલાડીઓનો સમાવેશ થાય છે. બોક્સર મેરી કોમ અને કુસ્તીબાજ યોગેશ્વર ઉપરાંત પેનલમાં તીરંદાજ ડોલા બેનર્જી અને ભારતીય વેઈટલિફ્ટિંગ ફેડરેશનના પ્રમુખ સહદેવ યાદવ પણ સામેલ છે.

IOAની એક્ઝિક્યુટિવ કાઉન્સિલની ઈમરજન્સી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ બેઠકમાં IOA પ્રમુખ પીટી ઉષા અને જોઈન્ટ સેક્રેટરી કલ્યાણ ચૌબે ઉપરાંત અભિનવ બિન્દ્રા અને યોગેશ્વર જેવા ખેલાડીઓએ પણ ભાગ લીધો હતો. શિવ કેશવને ખાસ આમંત્રિત તરીકે બેઠકમાં હાજરી આપી હતી.

Published On - 6:40 am, Sat, 21 January 23

Next Article