Omicron Variant: દિલ્હી-મુંબઈ સહિત આ 6 શહેરમાંથી આવનારા આંતરરાષ્ટ્રીય મુસાફરોને RTPCR ટેસ્ટનું પ્રી બુકિંગ કરાવવુ જરૂરી, કેન્દ્ર સરકારનો નિર્ણય

|

Dec 14, 2021 | 6:42 PM

આ આદેશ મુજબ 20 ડિસેમ્બરથી દિલ્હી, મુંબઈ, કોલકતા, ચેન્નાઈ, બેંગ્લોર અને હૈદરાબાદના એરપોર્ટ પર આવનારા જોખમવાળા દેશોના તમામ આંતરરાષ્ટ્રીય મુસાફરોને ફરજિયાતપણે RTPCR ટેસ્ટનું પ્રીબુકિંગ કરવું પડશે.

Omicron Variant: દિલ્હી-મુંબઈ સહિત આ 6 શહેરમાંથી આવનારા આંતરરાષ્ટ્રીય મુસાફરોને RTPCR ટેસ્ટનું પ્રી બુકિંગ કરાવવુ જરૂરી, કેન્દ્ર સરકારનો નિર્ણય
File Image

Follow us on

દેશમાં કોરોનાના ઓમીક્રોન વેરિએન્ટના (Corona Omicron Variant) વધતા કેસોને ધ્યાનમાં રાખતા કેન્દ્ર સરકાર (Central Government) તરફથી મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેની હેઠળ જોખમવાળા દેશોથી આવનારા તમામ આંતરરાષ્ટ્રીય મુસાફરોને ફરજિયાતપણે RTPCR ટેસ્ટની પ્રીબુકિંગ કરવી પડશે.

 

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

 

આ આદેશ 20 ડિસેમ્બરથી લાગુ પડશે. આ આદેશ મુજબ 20 ડિસેમ્બરથી દિલ્હી, મુંબઈ, કોલકતા, ચેન્નાઈ, બેંગ્લોર અને હૈદરાબાદના એરપોર્ટ પર આવનારા જોખમવાળા દેશોના તમામ આંતરરાષ્ટ્રીય મુસાફરોને ફરજિયાતપણે RTPCR ટેસ્ટનું પ્રીબુકિંગ કરવું પડશે. આ નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે, જ્યારે ઓમીક્રોન વેરિએન્ટ દુનિયાના ઘણા દેશોમાં પોતાનો પગપેસારો કરી ચૂક્યો છે. એટલું જ નહીં બ્રિટેનમાં ઓમીક્રોનથી પ્રથમ મોતનો કેસ પણ સામે આવી ચૂક્યો છે.

 

 

દેશમાં ઓમીક્રોન વેરિએન્ટના 49 કેસ

ત્યારે વાત કરીએ ભારતની તો અહીં ઓમીક્રોન વેરિએન્ટના કુલ કેસની સંખ્યા 49 થઈ ચૂકી છે. મંગળવારે દિલ્હી અને રાજસ્થાનથી 4-4 નવા કેસ સામે આવ્યા. દિલ્હીમાં ઓમીક્રોનના 4 નવા કેસ સામે આવ્યા બાદ હવે રાજ્યમાં તેની કુલ સંખ્યા 6 થઈ ગઈ છે. ત્યારે રાજસ્થાનથી અત્યાર સુધી ઓમીક્રોનના 13 કેસ સામે આવી ચૂક્યા છે. વાત કરીએ અન્ય રાજ્યોની તો અત્યાર સુધી મહારાષ્ટ્રથી ઓમીક્રોનના 20, કર્ણાટકમાંથી 3, ગુજરાતમાંથી 4, કેરળમાંથી 1, આંધ્રપ્રદેશથી 1 અને ચંદીગઢથી 1 કેસ સામે આવી ચૂક્યો છે.

 

મહારાષ્ટ્રમાં સૌથી વધારે કેસ

જાણકારી મુજબ સમગ્ર દેશની તુલનામાં મહારાષ્ટ્રમાં સૌથી વધારે ઓમીક્રોન સંક્રમિત કેસ મળ્યા છે. મુંબઈમાં કલમ 144 લાગી ચૂકી છે. વારંવાર એ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે ઓમીક્રોન ભારતમાં ત્રીજી લહેર માટે જવાબદાર હોઈ શકે છે અને તેનું કારણ એ છે કે છેલ્લી બે લહેરમાં કોરોના વાઈરસ જે ઝડપે ઘરે-ઘરે પહોંચ્યો હતો, તેના કરતા અનેકગણી ઝડપથી ફેલાવવાની ક્ષમતા ઓમિક્રોનમાં છે. આ પહેલા વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને (WHO) કહ્યું હતું કે અત્યાર સુધી 63 દેશમાં કોરોના વાઈરસના ઓમીક્રોન વેરિએન્ટ જોવા મળ્યો છે અને તે તેની ફેલાવવાની ઝડપમાં ડેલ્ટા વેરિઅન્ટને પાછળ છોડી દેશે.

 

આ પણ વાંચો: બૂસ્ટર ડોઝને લઈને પરિણામ એકત્ર કરવામાં વ્યસ્ત સરકાર, ડોક્ટરે કહ્યું- રસીથી કોરોના વેવને રોકવો મુશ્કેલ

 

આ પણ વાંચો: RAJKOT : મહાનગરપાલિકાએ ટેક્સ કલેક્શન માટે રિક્વરી સેલ અને એસેસમેન્ટ સેલની રચના કરી, ખાસ આસિસ્ટન્ટ મેનેજરની નિમણુંક કરાઇ

Next Article