Odisha Train Accident: 30 કલાકથી બાલાસોરમાં ખડેપગે ઉભા છે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ, દરેક વસ્તુઓ પર રાખી રહ્યા છે ચાંપતી નજર

|

Jun 04, 2023 | 4:43 PM

બાલાસોરમાં રાહત અને બચાવની વચ્ચે અશ્વિની વૈષ્ણવ ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. એક તસવીરમાં તે ટ્રેક પર બે પલટી ગયેલા કોચની વચ્ચેથી બહાર નીકળતા જોવા મળે છે.

Odisha Train Accident: 30 કલાકથી બાલાસોરમાં ખડેપગે ઉભા છે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ, દરેક વસ્તુઓ પર રાખી રહ્યા છે ચાંપતી નજર
ashwini vaishnav at Balasore

Follow us on

Odisha: ઓડિશાના બાલાસોરમાં શનિવારે થયેલી દર્દનાક ટ્રેન દુર્ઘટનામાં 275 લોકોના મોત થયા હતા. દુર્ઘટના બાદ રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ (ashwini vaishnav) વિપક્ષી પક્ષોના નિશાને આવ્યા અને તેમના રાજીનામાની માંગ કરવા લાગ્યા. જોકે, વૈષ્ણવે આ ઘટના પર રાજનીતિ ન કરવાની સલાહ આપી છે. દુર્ઘટના બાદ રેલ્વે મંત્રી શનિવારે સવારે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને ત્યારથી છેલ્લા 30 કલાકથી ત્યાં ઉભા છે અને દરેક વસ્તુ પર ચાંપતી નજર રાખી રહ્યા છે.

બાલાસોરમાં રાહત અને બચાવની વચ્ચે તેમની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. એક તસવીરમાં તે ટ્રેક પર બે પલટી ગયેલા કોચની વચ્ચેથી બહાર નીકળતા જોવા મળે છે. જ્યારે બીજી તસ્વીરમાં તે રાત્રે અકસ્માત સ્થળે બેઠા છે. ઘટનાના બે દિવસ બાદ પણ ઘણા લોકોએ બાલાસોરમાં રેલ મંત્રીની હાજરી માટે તેમના વખાણ કર્યા છે. બીજેપીના ઘણા નેતાઓએ પણ તેમની તસવીર શેર કરી છે.

રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય

મહારાષ્ટ્રના ભાજપ નેતા નિતેશ રાણેએ ઘટનાસ્થળે રેલવે મંત્રીની હાજરીની તસવીરની તુલના મહારાષ્ટ્રના પૂર્વ સીએમ ઉદ્ધવ ઠાકરે સાથે કરી હતી. તેમણે કહ્યું કે કોરોનાના કારણે લાખો લોકોના મોત થયા, ત્યારે ક્યારેય ઘરની બહાર ન નીકળેલા મુખ્યમંત્રી હોવાને કારણે તેમને ક્યારેય રાજીનામું આપવા માટે કહેવામાં આવ્યું નહોતું, પરંતુ જે ઘટના બાદથી ઘટનાસ્થળે છે તેને રાજીનામું આપવાનું કહેવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો: ઓડિશા ટ્રેન દુર્ઘટના અંગે મોટો ખુલાસોઃ લૂપ લાઇન પર ઉભી હતી માલગાડી, તેમ છતાં કોરોમંડલ એક્સપ્રેસને મળ્યુ ગ્રીન સિગ્નલ, જુઓ Video

તે જ સમયે, રેલ્વે મંત્રીનો વીડિયો શેર કરતા તમિલનાડુના એક ભાજપ નેતાએ કહ્યું કે દુર્ઘટના બાદ કેટલાક લોકો રેલ્વે મંત્રીના રાજીનામાની માંગ કરી રહ્યા છે, પરંતુ ભારતના લોકો ઈચ્છે છે કે તેઓ તેમના પદ પર ચાલુ રહે અને બચાવ કામગીરી ઝડપી બનાવે, અમને ખાતરી છે કે ગુનેગારોને જેલમાં મોકલવામાં આવશે. તમને જણાવી દઈએ કે દુર્ઘટના બાદ શનિવારે આખી રાત કાટમાળ હટાવવાનું કામ ચાલી રહ્યું હતું.

રેલ્વે મંત્રીએ રવિવારે કહ્યું કે અકસ્માત પાછળનું કારણ જાણી લેવામાં આવ્યું છે. સેફ્ટી કમિશનર ટૂંક સમયમાં રિપોર્ટ આપશે. અમે રૂટ પર ટ્રેન સેવા પુનઃસ્થાપિત કરવા માટે ટ્રેકને ફરીથી ગોઠવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. તમામ મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે અમારો ટાર્ગેટ છે કે બુધવારે સવાર સુધીમાં આ રૂટ પર ટ્રેનોનું સંચાલન શરૂ થઈ જાય.

તમને જણાવી દઈએ કે આ ઘટના શુક્રવારે બની હતી, જ્યારે કોરોમંડલ એક્સપ્રેસ પાટા પરથી ઉતરી ગઈ હતી. પાટા પરથી ઉતર્યા બાદ તે લૂપ લાઈન પર ઉભેલી માલગાડી સાથે અથડાઈ હતી. આ પછી યશવંતપુર એક્સપ્રેસ પણ આવી અને પાટા પર પડેલા કોચ સાથે અથડાઈ. બંને ટ્રેન પેસેન્જર ટ્રેન હતી. જ્યારે ગુડ્સ ટ્રેન લૂપ લાઈન પર ઉભી હતી.

Published On - 4:42 pm, Sun, 4 June 23

Next Article