VIDEO: હવે વંદે ભારત વિશ્વના સૌથી ઊંચા રેલવે બ્રિજ પર દોડશે, જુઓ મનમોહક નજારો

|

Mar 26, 2023 | 8:49 PM

ચેનાબ નદી બ્રિજ પટથી 359 મીટર ઉપર વિશ્વનો સૌથી ઊંચો રેલવે બ્રિજ છે. અત્યાર સુધી બ્રિજ પર ટ્રેક નાખવાનું કામ પૂર્ણ થયું છે. ટૂંક સમયમાં વિશ્વના સૌથી ઊંચા પુલ પરથી પણ વંદે ભારત પસાર થશે.

VIDEO: હવે વંદે ભારત વિશ્વના સૌથી ઊંચા રેલવે બ્રિજ પર દોડશે, જુઓ મનમોહક નજારો

Follow us on

રેલ્વે મંત્રાલય દેશભરમાં નવા નવા રૂટો ઉપર વંદે ભારત એક્સપ્રેસ દોડાવી રહ્યું છે, જ્યારે આગામી સમયમાં ઘણા નવા રૂટ પર પણ વંદે ભારત દોડશે તેવી જાહેરાત કરવામાં આવી છે. જેમાં ચેનાબ નદી પર બની રહેલા વિશ્વના સૌથી ઊંચા પુલ પરથી પણ વંદે ભારત પસાર થશે

ટૂંક સમયમાં જમ્મુ-કાશ્મીરમાં પણ વંદે ભારત ટ્રેન દોડાવવામાં આવશે. જોકે સૌથી મહત્વની વાત તો એ છે કે આ ટ્રેન ચેનાબ નદી પર બની રહેલા વિશ્વના સૌથી ઊંચા પુલ પરથી પણ પસાર થશે. ચેનાબ નદી પરના આ પુલની વાત કરીએ તો નદીના તટથી 359 મીટર ઉપર વિશ્વનો સૌથી ઊંચો રેલ્વે પુલ છે. હાલ સુધી બ્રિજ પર ટ્રેક નાખવાનું કામ પૂર્ણ થયું છે. રેલ્વે મંત્રીએ ટ્રોલી પર બેસીને રેલ્વે ટ્રેક પર સવારી કરી સમગ્ર કામગીરી અંગે તાત મેળવ્યો હતો. આ વાત વિચારતા જ અનુમાન લગાવી શકાય છે કે જ્યારે વંદે ભારત વિશ્વના સૌથી ઊંચા રેલ પુલ પરથી તેજ ગતિએ પસાર થશે, ત્યારે તે દ્રશ્ય કેટલું સુંદર હશે.

પતિની હારથી નહિ આ કારણે ટેન્શનમાં જોવા મળી ધનશ્રી વર્મા
એક્સપાયરી ડેટ પછી ફેકી ન દેતા આ વસ્તુઓ, જાણો ક્યાં કરી શકો છો ઉપયોગ
Contact Number Recover : Mobile માંથી ડિલિટ થયેલા નંબરને આ રીતે પાછા મેળવો
શું નીતા અંબાણીથી વધારે અમીર છે સાસુ કોકિલાબેન? આટલા કરોડના છે માલિક
ઘરમાં પોતું મારતી વખતે પાણીમાં ઉમેરો આ વસ્તુ, માખી-મચ્છર રહેશે ઘરથી દૂર
સારા તેંડુલકર આ સગાઈથી ખુશ છે, જુઓ ફોટો

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે લીધી મુલાકાત

એકવાર ઉધમપુર-શ્રીનગર-બારામુલ્લા (USBRL) રેલ સંપૂર્ણ રીતે કાર્યરત કરવામાં આવશે પછી વંદે ભારત જમ્મુ અને શ્રીનગરને જોડશે. ચેનાબ નદીના પુલના નિર્માણના સ્થળેથી લોકોને સંબોધતા, રેલ્વે મંત્રી વૈષ્ણવે જણાવ્યું હતું કે, યુએસબીઆરએલ પ્રોજેક્ટ ડિસેમ્બર 2023 અથવા જાન્યુઆરી 2024 સુધીમાં તૈયાર થઈ જશે. વંદે ભારત એક્સપ્રેસની ખાસ સુવિધામાં સરળ સંચાલન માટે જમ્મુ અને કાશ્મીરના બડગામમાં જાળવણી માટે સુવિધાઓ ઉભી કરવામાં આવશે.

ચેનાબ નદી પર રેલવે ટ્રેક કામગીરી

ચેનાબ નદી બ્રિજ પટથી 359 મીટર ઉપર વિશ્વનો સૌથી ઊંચો રેલવે બ્રિજ છે. અત્યાર સુધી બ્રિજ પર ટ્રેક નાખવાનું કામ પૂર્ણ થયું છે. આ 1.3 કિલોમીટર લાંબો પુલ કટરાથી બનિહાલ સુધીના 111 કિલોમીટરના પટ્ટામાં ખૂબ જ મહત્વપૂર્ણ કડી છે. આ પુલ કોંકણ રેલવે કોર્પોરેશન લિમિટેડ દ્વારા અંદાજિત 1486 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવી રહ્યો છે. સૌથી મહત્વની વાત પુલને લઇને છે.

તુફાનને પણ ટક્કર આપશે પુલ

પુલની ઘણી વિશેષતાઓ છે. એક તો આ પુલ 266 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા પવનને પણ સરળતાથી ટકી શકશે. આ ઉપરાંત જો ત્યાં ભૂકંપ આવે તો પણ પુલ તૂટી પડવાનો નથી. આ યુએસબીઆરએલ પ્રોજેક્ટ જમ્મુ અને કાશ્મીરને બાકીના ભારત સાથે જોડશે અને તમામ કનેક્ટિવિટી પ્રદાન કરશે. ભારતીય રેલ્વે આ અંગે પણ ઝડપી ગતિએ કામ કરી રહી છે અને દેશભરના વિવિધ રૂટ પર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનો દોડાવી રહી છે. આવનારા સમયમાં અન્ય રાજ્યોને વંદે ભારત ટ્રેન મળવા જઈ રહી છે. પર્યટકો માટે પણ ખુબ મહત્વનું સાબિત થશે.

સમગ્ર ભારતના સર્વોચ્ચ રેલ્વે બ્રિજ પર સીમલેસ નેટવર્ક કનેક્ટિવિટી દર્શાવતા ઝોનલ હેડક્વાર્ટરમાં બેઠેલા મુખ્ય મેટ્રોને ટાંકીને મીડિયા સાથે પણ વાતચીત કરી. JIO તરફથી 300 MBPS ઈન્ટરનેટ બેન્ડવિડ્થ, 100 MBPS એરટેલ ઈન્ટરનેટ નેટવર્ક, 100 MBPS BSNL ઈન્ટરનેટ તેમજ સલાલથી OFC કેબલ દ્વારા ચિનાબ નદી પરના વિશ્વના સૌથી ઊંચા રેલ્વે બ્રિજ પર વીડિયો અને ઑડિયો વ્યવસ્થા પૂરી પાડવામાં આવી.

Published On - 8:40 pm, Sun, 26 March 23

Next Article