New Delhi: ગુજરાત કેડરના 1988 બેચના ભારતીય વહીવટી સેવા (IAS) અધિકારી સ્વૈનને ગુરુવારે હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવવામાં આવશે, એમ અધિકારીઓએ જણાવ્યું હતું. યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) દર વર્ષે IAS, ભારતીય વિદેશ સેવા (IFS) અને ભારતીય પોલીસ સેવા (IPS) માટે અધિકારીઓની પસંદગી કરવા માટે સિવિલ સર્વિસ પરીક્ષાનું આયોજન કરે છે.
કમિશનનું નેતૃત્વ અધ્યક્ષ કરે છે અને તેમાં 10 સભ્યો હોઈ શકે છે. સ્વેનની નિમણૂક થતા હવે ચાર સભ્યોની જગ્યા ખાલી પડી છે. UPSACના સભ્યોની નિમણૂક છ વર્ષની મુદત માટે અથવા તેઓ 65 વર્ષની ઉંમર સુધી પહોંચે ત્યાં સુધી કરવામાં આવે છે. સ્વેન 60 વર્ષના થયા બાદ આ વર્ષે સપ્ટેમ્બરમાં નિવૃત્ત થવાના હતા. 1989 અને 2018ની વચ્ચે, સ્વૈને ગુજરાતને જિલ્લા અને રાજ્ય સ્તરે વિવિધ હોદ્દાઓ પર સેવા આપી હતી.
સ્વૈનની સત્તાવાર પ્રોફાઇલ મુજબ, તેઓ 2018માં ભારત સરકારમાં કોમર્સ વિભાગ, વિશેષ આર્થિક ક્ષેત્રોમાં અધિક સચિવ તરીકે જોડાયા હતા, જે કોમનવેલ્થ ઓફ ઇન્ડિપેન્ડન્ટ સ્ટેટ્સ (CIS) દેશો સાથે ભારતની વેપાર વાટાઘાટો અને નિકાસ વીમાના પ્રભારી હતા. તેમણે કિમ્બર્લી પ્રોટોકોલના અધ્યક્ષ અને વર્લ્ડ એક્સ્પો-દુબઈના કમિશનર જનરલ ઓફ ઈન્ડિયા જેવા વિવિધ હોદ્દા પણ સંભાળ્યા હતા.
સ્વૈને જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (JNU), નવી દિલ્હીમાંથી માસ્ટર્સ ઑફ પોલિટિકલ સાયન્સ (MA) ડિગ્રી અને ધ ઇન્સ્ટિટ્યૂટ ઑફ સોશિયલ સ્ટડીઝ, ધ હેગ, નેધરલેન્ડમાંથી પબ્લિક પોલિસી એન્ડ મેનેજમેન્ટમાં માસ્ટર્સ કર્યું છે.