Anju Case: અંજુ કેસમાં ગૃહમંત્રીની એન્ટ્રી, કહ્યું: આંતરરાષ્ટ્રીય ષડયંત્ર છે કે કેમ તેના પર સ્પેશિયલ બ્રાન્ચ કરશે તપાસ, જુઓ Video

|

Jul 31, 2023 | 4:50 PM

મીડિયા સાથે વાત કરતા ગૃહમંત્રીએ કહ્યું કે અંજુના પાકિસ્તાન જવા પર અનેક શંકાઓ ઉભી થઈ છે. તેમણે કહ્યું કે, 'મેં સ્પેશિયલ બ્રાન્ચને તપાસ કરવા સૂચના આપી છે. ટીમ તેની કડીઓ જોડીને તપાસ કરશે. અંજુના પાકિસ્તાન જવા પાછળ કોઈ આંતરરાષ્ટ્રીય કાવતરું છે કે કેમ તેની તપાસ કરવામાં આવશે.

અંજુના પાકિસ્તાન જવા પર મધ્યપ્રદેશના ગૃહમંત્રી ડો.નરોત્તમ મિશ્રાએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે સોમવારે કહ્યું કે અંજુ પાકિસ્તાન પહોંચવા સુધી તપાસ કરવામાં આવશે. આ મામલો ગ્વાલિયર સાથે સંબંધિત છે. મંત્રીને શંકા છે કે અંજુ આંતરરાષ્ટ્રીય ષડયંત્રનો ભાગ હોઈ શકે છે. અંજુનું પાકિસ્તાનમાં જે રીતે સ્વાગત કરવામાં આવી રહ્યું છે તેના પરથી શંકા ઉભી થઈ રહી છે.

આ પણ વાંચો: Anju Love Story: અંજૂ સાથે Pakistanમાં કાવતરું? લગ્નના થોડા કલાકો બાદ નસરુલ્લાએ કહ્યું- હું અંજુને પ્રેમ નથી કરતો

સ્પેશિયલ બ્રાન્ચ તપાસ કરશે

મીડિયા સાથે વાત કરતા મિશ્રાએ કહ્યું કે અંજુના પાકિસ્તાન આવવા પર અનેક શંકાઓ ઉભી થઈ છે. તેણે કહ્યું, ‘મેં સ્પેશિયલ બ્રાન્ચને તપાસ કરવા સૂચના આપી છે. ટીમ તેની કડીઓ જોડીને તપાસ કરશે. અંજુના પાકિસ્તાન જવા પાછળ કોઈ આંતરરાષ્ટ્રીય કાવતરું છે કે કેમ તેની તપાસ કરવામાં આવશે.

આજનું રાશિફળ તારીખ : 20-09-2024
કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List
Phoneને ઝડપી ચાર્જ કરવા માટે શું કરવું? જાણો અહીં સરળ ટ્રિક
આ છે ઢોલીવૂડનું સેલિબ્રિટી કપલ, જુઓ ફોટો
રબરનો છોડ ઘરે ઉગાડવાથી થાય છે અનેક ફાયદા

અંજુને રોકડ અને જમીન આપી

તમને જણાવી દઈએ કે અંજુ નામની એક ભારતીય મહિલા જે પોતાના ફેસબુક ફ્રેન્ડ સાથે લગ્ન કરવા પાકિસ્તાન ગઈ હતી તેને ત્યાં ઘણી મહેમાનગતિ મળી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ઇસ્લામ કબૂલ કર્યા બાદ તેને ભેટમાં રોકડ અને જમીન આપવામાં આવી છે. અંજુએ ઈસ્લામ ધર્મ અંગીકાર કર્યા બાદ 25 જુલાઈએ પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના અપર ડીર જિલ્લામાં તેના મિત્ર નસરુલ્લાસાથે નિકાહ કર્યા હતા. અંજુ હવે ફાતિમા તરીકે ઓળખાશે. બંનેની 2019માં ફેસબુક દ્વારા મિત્રતા થઈ હતી.

અબ્બાસીએ અંજુને 2,722 ચોરસ ફૂટ જમીન આપી

ખૈબર પખ્તુનખ્વા સ્થિત રિયલ એસ્ટેટ કંપનીના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર મોહસિન ખાન અબ્બાસીએ શનિવારે અંજુ અને નસરુલ્લાને તેમના ઘરે મળ્યા હતા. મોહસીન ખાન અબ્બાસીએ અંજુને એક ચેક આપ્યો, જેની રકમનો ખુલાસો કરવામાં આવ્યો નથી. આ સિવાય અંજુને 2,722 ચોરસ ફૂટ જમીનના દસ્તાવેજો પણ આપવામાં આવ્યા હતા, જેથી તે પાકિસ્તાનમાં આરામથી રહી શકે. મોહસીન ખાન અબ્બાસીએ કહ્યું, ‘અંજુએ ભારતથી પાકિસ્તાનનો પ્રવાસ કર્યો અને પોતાનું નવું લગ્ન જીવન શરૂ કરવા માટે ઈસ્લામ ધર્મ અપનાવ્યો. અમે તેમને અમારા ધર્મમાં આવકારવા અને તેમના લગ્ન બદલ અભિનંદન આપવા અહીં આવ્યા છીએ.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 4:22 pm, Mon, 31 July 23

Next Article