Breaking News: AAP સાંસદ સંજય સિંહ સમગ્ર સત્ર માટે રાજ્યસભામાંથી સસ્પેન્ડ, મણિપુર મુદ્દે સંસદમાં હંગામો

મણિપુરમાં મહિલાઓ પર અત્યાચાર અને હિંસાના મુદ્દે વિપક્ષ સતત હંગામો મચાવી રહ્યો છે. વિપક્ષની માંગ છે કે વડાપ્રધાને ગૃહમાં આ અંગે નિવેદન આપવું જોઈએ.

Breaking News: AAP સાંસદ સંજય સિંહ સમગ્ર સત્ર માટે રાજ્યસભામાંથી સસ્પેન્ડ, મણિપુર મુદ્દે સંસદમાં હંગામો
Image Credit source: Tv9 ભારતવર્ષ
| Edited By: | Updated on: Jul 24, 2023 | 12:56 PM

New Delhi: મણિપુર મુદ્દે સંસદના બંને ગૃહોમાં સતત હોબાળો ચાલી રહ્યો છે. સોમવારે રાજ્યસભા અને લોકસભામાં ભારે હંગામો થયો હતો અને આ દરમિયાન રાજ્યસભા અધ્યક્ષે આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહને સસ્પેન્ડ કરી દીધા છે. ચેરમેન જગદીપ ધનખરે સોમવારે આ મોટી કાર્યવાહી કરી, સંજય સિંહ આખા ચોમાસુ સત્ર માટે સંજય સિંહને સસ્પેન્ડ કર્યા છે.

આ પણ વાંચો: Manipur Violence: અનુરાગ ઠાકુરના વિપક્ષ પર પ્રહાર, મણિપુર મામલે આપ્યું મોટું નિવેદન, જુઓ Video

મળતી માહિતી મુજબ, કેન્દ્રીય મંત્રી અને રાજ્યસભામાં ગૃહના નેતા પીયૂષ ગોયલે સંજય સિંહ વિશે અધ્યક્ષને ફરિયાદ કરી હતી. તેમની ફરિયાદના આધારે આ નિર્ણય લેવામાં આવ્યો છે અને સંજય સિંહને ચોમાસુ સત્ર માટે રાજ્યસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

Credit- Twitter@Ani

તાજેતરમાં મણિપુરમાં વાયરલ થયેલા વીડિયો બાદ દેશભરમાં ગુસ્સો છે. વીડિયોમાં બે મહિલાઓને નગ્ન કરીને રસ્તા પર ફેરવવામાં આવી હતી, ત્યારબાદ તેમની સાથે યૌન શોષણ પણ કરવામાં આવ્યું હતું. મણિપુર મુદ્દે સંસદમાં વિપક્ષ સતત હંગામો મચાવી રહ્યો છે અને વડાપ્રધાનના નિવેદનની માંગ કરવામાં આવી રહી છે.

મણિપુર મુદ્દે ગૃહની બહાર નિવેદન આપી ચૂક્યા છે

સરકાર વતી મણિપુર મુદ્દા પર ચર્ચાની વાત કરવામાં આવી છે, જો કે સરકારનું એમ પણ કહેવું છે કે સંબંધિત મંત્રાલય આ અંગે ગૃહમાં નિવેદન આપશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી મણિપુર મુદ્દે ગૃહની બહાર નિવેદન આપી ચૂક્યા છે અને પોતાનો ગુસ્સો વ્યક્ત કરી ચૂક્યા છે.

અનુરાગ ઠાકુરના વિપક્ષ પર પ્રહાર

ઠાકુરે રવિવારે કહ્યું કે, કોઈપણ મહિલા પર અત્યાચાર, બળાત્કાર પીડાદાયક હોય છે, પછી તે કોઈપણ રાજ્યમાં હોય. મહિલાઓ સામે વધતા ગુનાઓને રોકવાની જવાબદારી રાજ્યોની છે. આ મુદ્દે ગૃહમાં સારી ચર્ચા થવી જોઈએ. તમામ પક્ષોએ તેમાં ભાગ લેવો જોઈએ અને કોઈએ ચર્ચાથી ભાગવું જોઈએ નહીં. વિપક્ષને અપીલ છે કે તેઓ ચર્ચામાં જોડાય અને ભાગી ન જાય. ચર્ચામાં રહેવા માટે વિપક્ષ દ્વારા હંગામો મચાવવામાં આવે છે, પરંતુ ચર્ચામાં ભાગ લેવા માટે કંઈ કરવામાં આવતું નથી.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 12:34 pm, Mon, 24 July 23