Breaking News: તમિલનાડુના કુન્નૂરમાં મોટી દુર્ઘટના, પ્રવાસી બસ ઊંડી ખાઈમાં પડી, 8 લોકોના મોત

એક પ્રવાસી બસ ઊંડી ખીણમાં પડી હતી, જેમાં આઠ લોકોના મોત થયા છે અને ઘણા ઘાયલ હોવાનું કહેવાય છે, જેમને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને તેમની સારવાર કરવામાં આવી રહી છે. જણાવવામાં આવ્યું છે કે ઘાયલોમાં કેટલાકની હાલત નાજુક છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહોને પોતાના કબજામાં લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Breaking News: તમિલનાડુના કુન્નૂરમાં મોટી દુર્ઘટના, પ્રવાસી બસ ઊંડી ખાઈમાં પડી, 8 લોકોના મોત
| Edited By: | Updated on: Sep 30, 2023 | 10:49 PM

તમિલનાડુના કુન્નુરમાં એક મોટો માર્ગ અકસ્માત થયો છે. અહીં એક પ્રવાસી બસ ઊંડી ખીણમાં પડી હતી, જેમાં આઠ લોકોના મોત થયા છે અને ઘણા ઘાયલ હોવાનું કહેવાય છે, જેમને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને તેમની સારવાર કરવામાં આવી રહી છે. જણાવવામાં આવ્યું છે કે ઘાયલોમાં કેટલાકની હાલત નાજુક છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહોને પોતાના કબજામાં લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

આ પણ વાંચો: Breaking News: અમદાવાદમાં દોડતી રિક્ષા અને કેબને ધ્યાને રાખી શહેર પોલીસ કમિશનરનો મોટો નિર્ણય, પેસેન્જર્સ વાંચી શકે તેવી રાખવી પડશે નંબર પ્લેટ

ન્યૂઝ એજન્સી એએનઆઈ સાથે વાત કરતા, કોઈમ્બતુર ઝોનના ડેપ્યુટી ઈન્સ્પેક્ટર જનરલ ઑફ પોલીસ સરવના સુંદરે જણાવ્યું હતું કે શનિવારે સાંજે તમિલનાડુના મરાપલમ નજીક એક પ્રવાસી બસ ખાઈમાં પડી જતાં 3 મહિલાઓ સહિત ઓછામાં ઓછા 8 લોકોના મોત થયા છે અને અન્ય ઘણા લોકોની હાલત ગંભીર છે. અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે.

કુન્નુર સરકારી હોસ્પિટલના જોઈન્ટ ડાયરેક્ટર પલાની સામીએ પણ 8 લોકોના મોતની પુષ્ટિ કરી છે. તેમનું એમ પણ કહેવું છે કે મૃતકોમાં ત્રણ મહિલાઓ અને 5 પુરુષોનો સમાવેશ થાય છે. દુર્ઘટનામાં ઓછામાં ઓછા 25 મુસાફરો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. પોલીસના જણાવ્યા અનુસાર, બસ કોઈમ્બતુર જિલ્લાના ઉટીથી મેટ્ટુપલયમ જઈ રહી હતી ત્યારે આ અકસ્માત થયો હતો. ઘાયલોને સારવાર માટે કુન્નુરની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

આ રીતે અકસ્માત સર્જાયો હતો

હેરપીન ટર્ન રોડ પર મુસાફરી કરતી વખતે બસ અચાનક ખીણમાં પડી ગઈ હતી. સમાચાર સાંભળીને સ્થાનિક અધિકારીઓ અને બચાવકર્મીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. જે મુસાફરોને બચાવી લેવામાં આવ્યા હતા, તેમાંથી આઠને હોસ્પિટલમાં લઈ જવામાં આવતા મૃત જાહેર કરવામાં આવ્યા હતા.

સીએમ સ્ટાલિને વળતરની કરી જાહેરાત

અગાઉ અધિકારીઓએ જણાવ્યું હતું કે બસમાં 55 લોકો સવાર હતા. 35 લોકો ઘાયલ થયા હતા અને તેમને એમ્બ્યુલન્સ દ્વારા કુન્નુરની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે મોકલવામાં આવ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, પ્રાથમિક તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે ડ્રાઈવરે નિયંત્રણ ગુમાવ્યું હતું, જેના પછી આ અકસ્માત થયો હતો. કુન્નૂર નજીક મારાપાલમ ખાતે 100 ફૂટ ઊંડી ખીણમાં પડી ગયા. તમિલનાડુના મુખ્ય પ્રધાન એમકે સ્ટાલિને મૃતકોના પરિવારજનોને 8-8 લાખ રૂપિયા અને ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોને 1-1 લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે. આ સિવાય નાના ઇજાગ્રસ્તો માટે 50,000 રૂપિયાની રકમની જાહેરાત કરવામાં આવી છે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 10:23 pm, Sat, 30 September 23