Lakhimpur Violence : મૃતક ત્રણ ખેડૂતોના અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા, એકના પરિવારે ફરી પોસ્ટમોર્ટમની માંગણી કરી

બે ખેડૂતો લખીમપુર ખીરીના અને બે બહરાઈચ જિલ્લાના હતા, જેઓ રવિવારે લખીમપુર ખેરી જિલ્લાના ટિકોનીયા ખાતે SUV દ્વારા કથિત રીતે કચડાઈ ગયા હતા. ચારેય ખેડૂતોના મૃતદેહ સોમવારે પોસ્ટમોર્ટમ બાદ તેમના પરિવારોને સોંપવામાં આવ્યા હતા.

Lakhimpur Violence : મૃતક ત્રણ ખેડૂતોના અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા, એકના પરિવારે ફરી પોસ્ટમોર્ટમની માંગણી કરી
Lakhimpur Violence Three of the deceased farmers were cremated, the family of one again demanding postmortem
| Edited By: | Updated on: Oct 05, 2021 | 11:22 PM

UTTAR PRADESH : કેન્દ્ર સરકારના કૃષિ કાયદાના વિરોધમાં રવિવારે લખીમપુર ખીરીમાં પ્રદર્શન દરમિયાન કથિત રીતે ઝડપી SUV દ્વારા કચડાયેલા ચાર ખેડૂતોમાંથી ત્રણના મંગળવારે અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા હતા, જ્યારે એક મૃતક ગુરવિંદરના સંબંધીઓએ ફરીથી પોસ્ટમોર્ટમની માંગ કરી હતી અને તેના અંતિમ સંસ્કાર કરવાની ના પાડી દીધી.

એડિશનલ ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસન અધિકારી અને ભારતીય કિસાન યુનિયનના પ્રવક્તા રાકેશ ટીકૈત પણ અંતિમ સંસ્કાર માટે પરિવારના સભ્યોને મનાવવા સ્થળ પર પહોંચ્યા હતા. દરમિયાન, વહીવટીતંત્રે ગુરવિંદરના મૃતદેહનું ફરીથી પોસ્ટમોર્ટમ કરવાની મંજૂરી આપી છે. લખનૌના પોસ્ટમોર્ટમ નિષ્ણાતોની ટીમ મંગળવારે સાંજે હેલિકોપ્ટર દ્વારા બહરાઈચ પોલીસ લાઈન્સ પહોંચી હતી.

બે ખેડૂતો લખીમપુર ખીરીના અને બે બહરાઈચ જિલ્લાના હતા, જેઓ રવિવારે લખીમપુર ખેરી જિલ્લાના ટિકોનીયા ખાતે SUV દ્વારા કથિત રીતે કચડાઈ ગયા હતા. ચારેય ખેડૂતોના મૃતદેહ સોમવારે પોસ્ટમોર્ટમ બાદ તેમના પરિવારોને સોંપવામાં આવ્યા હતા.

રાકેશ ટીકૈતના કહેવાથી અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા
બપોરે સતનામ સિંહે તેમના પુત્ર લવપ્રીત સિંહ (19) ના લખીમપુર ખીરી જિલ્લાના પાલિયામાં અંતિમ સંસ્કાર કર્યા. શરૂઆતમાં સતનામ પોતાના પુત્રના મૃતદેહના અગ્નિસંસ્કાર કરવા તૈયાર ન હતા પરંતુ બાદમાં ખેડૂત નેતા રાકેશ ટીકૈતના હસ્તક્ષેપ પર તેઓ સંમત થયા અને અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા.

ટીકૈતે જિલ્લા મથકથી લગભગ 86 કિમી દૂર પાલિયા ખાતે અંતિમ સંસ્કારમાં હાજરી આપી હતી. લખીમપુર ખીરીમાં, ધૌરહરા તહસીલના નચતાર સિંહ (60-65) ના મૃતદેહને સશસ્ત્ર સીમા બલની તૈનાતીમાં તેમના પુત્ર મનદીપ સિંહે અગ્નિ સંસ્કાર કર્યા.

પોસ્ટમોર્ટમમાં ગોળીથી ઈજાનો કોઈ ઉલ્લેખ નથી
દલજીત સિંહ (42) ના પરિવારના સભ્યોએ બહરાઇચમાં અંતિમ સંસ્કાર કર્યા હતા, પરંતુ બહરાઇચમાં માટેરા તહસીલના ગુરવિંદર સિંહ (22) ના અંતિમ સંસ્કાર કરવાના બાકી છે. માટેરા પોલીસ સ્ટેશન હેઠળ મોહર્નિયા ગામના રહેવાસી ગુરવિંદર સિંહના પરિવારના સભ્યોએ યુવકના અંતિમ સંસ્કાર કરવાની ના પાડી દીધી છે. તેમનો આરોપ છે કે ગુરવિંદરને ગોળી વાગી છે અને પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ગોળીનો કોઈ ઉલ્લેખ નથી.

આ પણ વાંચો : Lakhimpur Violence: PAC ગેસ્ટ હાઉસમાંથી પ્રિયંકા ગાંધીનો ઓડિયો સંદેશ- ગૃહ રાજ્યમંત્રીનું રાજીનામું અને તેમના પુત્રની ધરપકડ ન થાય ત્યાં સુધી સંઘર્ષ કરીશું

આ પણ વાંચો : ઝાયડસ કેડિલાની 2 ડોઝની રસીના ત્રીજા તબક્કાના ટ્રાયલને મંજુરી, 3 ડોઝની રસીની કિંમત પર વાતચીત ચાલુ