India-China Border: ચીનની પહેલ પર 15 ડિસેમ્બર બાદ કમાન્ડર સ્તરની મંત્રણાનો 14 માં રાઉન્ડ યોજાશે, હોટ સ્પ્રિંગ્સ પર અવરોધ દૂર થશે !

|

Dec 02, 2021 | 5:52 PM

સરકારી સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, 14માં રાઉન્ડની વાતચીત માટે ચીન તરફથી આમંત્રણ આવવાનું છે. એવું માનવામાં આવે છે કે આ વાતચીત 15 ડિસેમ્બર પછી ગમે ત્યારે થઈ શકે છે.

India-China Border: ચીનની પહેલ પર 15 ડિસેમ્બર બાદ કમાન્ડર સ્તરની મંત્રણાનો 14 માં રાઉન્ડ યોજાશે, હોટ સ્પ્રિંગ્સ પર અવરોધ દૂર થશે !
India-China Border

Follow us on

ભારત-ચીન (India-China) વચ્ચે વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર ચાલી રહેલા અવરોધને ઉકેલવા માટે 15 ડિસેમ્બર પછી કોર્પ્સ કમાન્ડર-સ્તરની વાટાઘાટોનો 14મો રાઉન્ડ યોજાય તેવી શક્યતા છે. સરકારી સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, 14માં રાઉન્ડની વાતચીત માટે ચીન તરફથી આમંત્રણ આવવાનું છે. એવું માનવામાં આવે છે કે આ વાતચીત 15 ડિસેમ્બર પછી ગમે ત્યારે થઈ શકે છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, ભારત માટે સમય યોગ્ય રહેશે કારણ કે સશસ્ત્ર દળો 1971માં પાકિસ્તાનની (Pakistan) હાર અને ભારતીય સેનાની જીતની સુવર્ણ જયંતિ 16 ડિસેમ્બર સુધી ઉજવશે. ભારત-ચીન સરહદ પરના અવરોધને સમાપ્ત કરવા માટે, તેઓ પૂર્વી લદ્દાખ (Ladakh) ક્ષેત્રમાં LAC પર વાટાઘાટો કરી રહ્યા છે. અત્યાર સુધી બંને દેશો વચ્ચે 13 રાઉન્ડ સુધી વાતચીત થઈ ચૂકી છે.

હોટ સ્પ્રિંગ્સ પર મડાગાંઠ ઉકેલવાનો પ્રયાસ કરી રહ્યાં છે
બંને દેશો વચ્ચે અત્યાર સુધી થયેલી સૈન્ય વાટાઘાટોમાં પેંગોંગ લેક અને ગોગરા હાઈટ્સના કિનારે ઘર્ષણ પોઈન્ટ પરનો અવરોધ ઉકેલાઈ ગયો છે. જો કે, હોટ સ્પ્રિંગ્સ પર ચાલી રહેલા સ્ટેન્ડઓફનો ઉકેલ હજુ સુધી ઉકેલાયો નથી. આ સ્થિતિમાં બંને દેશ હવે તેનો ઉકેલ શોધવા માંગે છે.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

તાજેતરમાં પૂર્વ લદ્દાખ પર ભારત અને ચીન વચ્ચે રાજદ્વારી ચર્ચા થઈ હતી
થોડા સમય પહેલા ભારત-ચીન બોર્ડર અફેર્સ (WMCC) પર પરામર્શ અને સંકલન માટે રાજદ્વારી વાટાઘાટો યોજાઈ હતી. ચર્ચા દરમિયાન બંને પક્ષોએ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ખાતરી આપી હતી.

વિદેશ મંત્રાલયે પૂર્વ લદ્દાખ પર ભારત-ચીન રાજદ્વારી ચર્ચા વિશે જણાવ્યું કે, બંને પક્ષોએ પશ્ચિમી ક્ષેત્રમાં વાસ્તવિક નિયંત્રણ રેખાની સ્થિતિ પર વિગતવાર અને સ્પષ્ટ રીતે ચર્ચા કરી. બંને પક્ષો પૂર્વી લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા પર પડતર મુદ્દાઓના વહેલા ઉકેલની જરૂરિયાત પર સંમત થયા છે. ઉપરાંત, આ વર્ષે 10 ઓક્ટોબરે બંને પક્ષોના વરિષ્ઠ કમાન્ડરોની બેઠક પછીના વિકાસની પણ સમીક્ષા કરવામાં આવી હતી.

 

આ પણ વાંચો : Ayodhya Terror Alert: અયોધ્યામાં હાઈ એલર્ટ, બોમ્બ બ્લાસ્ટની ધમકી બાદ બસ સ્ટેન્ડ અને રેલવે સ્ટેશનો પર સુરક્ષામાં વધારો

આ પણ વાંચો : UP Election: સહારનપુરમાં વધી રહેલા ગુનાખોરીના અખિલેશ યાદવના નિવેદન પર અમિત શાહનો વાર, કહ્યું- તમે કયા ચશ્માથી જોઈ રહ્યા છો ?

Next Article