પોસ્ટ ઓફિસની આ બચત યોજના છે ખાસ, માત્ર 5 વર્ષમાં વધારાની 3 લાખની આપે છે આવક, જાણો

જો તમે તમારા પૈસાને સુરક્ષિત રાખીને સારી માસિક આવક કરવા માંગો છો, તો પોસ્ટ ઓફિસની આ સ્કીમ ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. એટલું જ નહીં, 5 વર્ષની પાકતી મુદતમાં તે 3 લાખ રૂપિયાથી વધુની વધારાની આવક આપી શકે છે. જાણો પોસ્ટ ઓફિસની આ ખાસ યોજના વિશે..

પોસ્ટ ઓફિસની આ બચત યોજના છે ખાસ, માત્ર 5 વર્ષમાં વધારાની 3 લાખની આપે છે આવક, જાણો
| Edited By: | Updated on: Feb 15, 2023 | 3:31 PM

મધ્યમ વર્ગના લોકો પોસ્ટ ઓફિસની નાની બચત યોજનાઓને સૌથી સુરક્ષિત બચત યોજના માને છે. હવે જો તમને પોસ્ટ ઓફિસમાં જ એવી કોઈ સ્કીમ મળે કે, જ્યાં તમારા પૈસા સુરક્ષિત હોય અને તમને દર મહિને સારી આવક મળે, તો અમે તમને તેના વિશે સંપૂર્ણ માહિતી આપવા જઈ રહ્યા છીએ. 5 વર્ષની પાકતી મુદતમાં, પોસ્ટ ઓફિસની આ યોજના થકી સામાન્ય લોકોને 3 લાખ રૂપિયાથી વધુની આવક આપે છે.

જો તમે વરિષ્ઠ નાગરિક છો અથવા નિવૃત્ત થયા છો. તો પણ તમે આ યોજનાનો લાભ લઈ શકો છો, કારણ કે આ યોજનામાં રોકાણ કરીને, તમે માસિક આવકનો ઉપયોગ પેન્શન તરીકે કરી શકો છો.

રાષ્ટ્રીય માસિક આવક યોજના ખાતું જાણો

હા, અમે વાત કરી રહ્યા છીએ પોસ્ટ ઓફિસમાં ખોલવામાં આવનાર ‘રાષ્ટ્રીય માસિક આવક યોજના’ ખાતા (પોસ્ટ ઓફિસ MIS એકાઉન્ટ) વિશે. જો કે વ્યક્તિ તેમાં ઓછામાં ઓછી રૂ. 1,000ની રકમ સાથે રોકાણ કરી શકે છે, પરંતુ સારી એવી રકમનું ભંડોળ જમા કરવાથી શ્રેષ્ઠ લાભ પ્રાપ્ત થાય છે.

MIS ખાતામાં એકવાર પૈસા જમા કરાવવાના રહેશે. ત્યારબાદ માસિક ધોરણે વ્યાજ ચૂકવવામાં આવે છે. જાન્યુઆરી-માર્ચ એમ દર ક્વાર્ટર માટે સરકાર આ ખાતા પર વાર્ષિક 7.1 ટકા વ્યાજ ચૂકવશે. જો કે, સમયાંતરે આમાં ફેરફાર થઈ શકે છે.

3 લાખ રૂપિયાથી વધુની વધારાની આવક થશે

હાલમાં, MIS હેઠળ, એક ખાતામાં મહત્તમ રૂ. 4.5 લાખ અને સંયુક્ત ખાતામાં રૂ. 9 લાખની છૂટ છે. હવે નાણામંત્રી નિર્મલા સીતારમણે 2023 ના બજેટમાં ભાષણમાં આની મર્યાદા વધારીને અનુક્રમે 9 લાખ અને 15 લાખ રૂપિયા કરવાની જાહેરાત કરી છે.

ચાલો ધારો કે તમે આ સ્કીમમાં એક જ વારમાં રૂ. 9 લાખનું રોકાણ કરો છો. તેથી વર્તમાન વ્યાજ દર મુજબ, તમને દર વર્ષે 63,900 રૂપિયાની આવક થશે. એટલે કે દર મહિને રૂ. 5,000 થી વધુ, જ્યારે આ ખાતાની પાકતી મુદત 5 વર્ષ છે, તો કુલ તમારી વધારાની આવક રૂ. 3,19,500 જનરેટ થશે.

જો કે, આ યોજનામાં, તમને 1 વર્ષમાં અને 3 વર્ષમાં આ યોજનામાંથી બહાર આવવાની સુવિધા પણ મળે છે. માતાપિતા પણ તેમના બાળકો માટે આ ખાતામાં રોકાણ કરી શકે છે. જ્યારે 10 વર્ષથી વધુ ઉંમરના બાળકોનું ખાતું તેમના પોતાના નામે ખોલવામાં આવે છે.

Published On - 3:29 pm, Wed, 15 February 23