Gujarati NewsNationalKharge PM face first rally patna seat sharing deadline fixed india alliance
ખરગે પીએમ ફેસ, પટનામાં પહેલી રેલી, સીટ શેરીંગની ડેડલાઈન નક્કી, જાણો ? INDIA એલાયન્સની બેઠકની 10 મોટી વાતો
દિલ્હીની અશોકા હોટેલમાં ઈન્ડિયા ગઠબંધનની બેઠકમાં 28 દળોએ ભાગ લીધો હતો. બેઠકમાં ઈન્ડિયા ગઠબંધનની પ્રથમ રેલી, સીટ શેરીંગ અને પીએમ પદના ચહેરાને લઈને ચર્ચા થઈ. આ સાથે જ બેઠકમાં લોકસભા અને રાજ્યસભામાંથી સસ્પેન્ડ થયેલા 141 સાંસદોને લઈને નીંદા પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો.
ઈન્ડિયા ગઠબંધનની મંગળવારે નવી દિલ્હીમાં મળેલી બેઠકમાં 2024ની લોકસભા ચૂંટણીને લઈને સમગ્ર માળખુ તૈયાર કરવામાં આવ્યુ છે. પીએમ નરેન્દ્ર મોદીના વિજયરથને આગળ વધતો રોકવા માટે 28 વિપક્ષી દળોએ એકમતથી ઈન્ડિયા ગઠબંધનના પીએમ પદના ચહેરાનું નામ નક્કીા કરી લીધુ છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે પીએમ પદના ચહેરા તરીકે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગેના નામનો પ્રસ્તાવ મુક્યો.
મંગળવારે દિલ્હીની અશોકા હોટેલમાં ઈન્ડિયા ગઠબંધનની બેઠકમાં 28 દળોએ ભાગ લીધો હતો. બેઠકમાં ઈન્ડિયા ગઠબંધથનની પ્રથમ રેલી, સીટ શેરિંગ અને પીએમના ચહેરાને લઈને ચર્ચા થઈ. આ સાથે જ બેઠકમાં લોકસભા અને રાજ્યસભામાંથી સસ્પેન્ડ કરાયેલા 141 સાંસદોને લઈને નીંદા પ્રસ્તાવ રજૂ કર્યો. વિપક્ષ તરફથી કેન્દ્ર સરકારને ચેતવણી આપતા કહેવામાં આવ્યુ કે 22 ડિસેમ્બરે દેશભરમાં સસ્પેન્શન વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરવામાં આવશે.
આવો જાણીએ ઈન્ડિયા ગઠબંધનની બેઠક સાથે જોડાયેલી 10 વાતો:
ઈન્ડિયા ગઠબંધનની બેઠકમાં ખરગેએ કહ્યુ કે અમે ગૃહમંત્રી અને પ્રધાનમંત્રીને સદનમાં આવવા અને સંસદની સુરક્ષામાં થયેલી ચૂક વિશે વિસ્તારથી વાત કરવા માટે કહી રહ્યા છીએ. ભાજપના બંને નેતા તેના પર સહમત નથી થયા. ખરગેએ કહ્યુ અમે ઘટના ઘટી ત્યારથી કહી રહ્યા છીએ કે ગૃહમંત્રી અને પ્રધાનમંત્રીએ આ અંગે સદનમાં પ્રતિક્રિયા આપવી જોઈએ પરંતુ તેઓ ન માન્યા.
ખરગેએ કહ્યુ સંસદના શીતકાલીન સત્ર દરમિયાન સુરત ડાયમંડ બુર્સનું ઉદ્ઘાટન કરવા જઈ શકે છે. રેલીઓને સંબોધિત કરી શકે છે પરંતુ સંસદમાં બોલી નથી શક્તા. કેન્દ્ર સરકાર લોકતંત્રની હત્યા કરી રહી છે. 141 સાંસદોના સસ્પેન્શનની અમે નીંદા કરીએ છીએ.
ખરગેના નામનો પ્રસ્તાવ ભલે મમતા બેનર્જી અને અરવિંદ કેજરીવાલે આપ્યો હોય પરંતુ ખરગે એ કહ્યુ કે પ્રધાનમંત્રી કોણ હશે તેનો નિર્ણય અમે જીત્યા બાદ કરશુ. અમારુ પહેલુ લક્ષ્ય ચૂંટણી જીતવાનુ છે. ત્યારબાદ અમે નક્કી કરશુ કે પ્રધાનમંત્રી કોણ હશે. લોકસભામાં બહુમત આવ્યા બાદ જ અમે પીએમના તહેરાને લઈને કોઈ નિર્ણય લઈશુ.
દિલ્હીની અશોકા હોટેલમાં મળેલી ઈન્ડિયા ગઠબંધનની બેઠકમાં સીટની વહેંચણીને લઈને ચર્ચા થઈ. બેઠકમાં નક્કી કરવામાં આવ્યુ કે 31 ડિસેમ્બર સુધીમાં સીટની વહેંચણીને લઈને કોઈ મોટો નિર્ણય આવી શકે છે.
ઈન્ડિયા ગઠબંધનની બેઠકમાં આ વાત પર પણ ચર્ચા થઈ કે હવે બહુ જલ્દી જ પહેલી સંયુક્ત રેલી આયોજિક કરવી જોઈએ. સૂત્રો અનુસાર ઈન્ડિયા ગઠબંધનની પહેલી રેલી 31 જાન્યુઆરીએ પટનામાં આયોજિત થઈ શકે છે.
ગઠબંધનની બેઠકમાં સામેલ તમામ નેતાઓએ પોતપોતાની વાતો રાખી. બેઠકમાં નક્કી કરવામાં આવ્યુ કે લોકસભા ચૂંટણી માટે આપણે ચૂંટણી પહેલા ખુદને બદલવાની જરૂર છે. એવુ નક્કી કરવામાં આવ્યુ કે સમગ્ર દેશનાં 8 થી 10 બેઠકો કરવામાં આવશે.
ગઠબંધનની બેઠકમાં સ્પષ્ટ કરવામાં આવ્યુ કે જો કોઈપણ દળને કોઈપણ મુદ્દે સમસ્યા હોય તો તેનો ગઠબંધનના નેતા જ ઉકેલ લાવશે. બેઠકમાં કહેવાયુ કે લોકોને એ સંદેશો જવો જોઈએ કે ગઠબંધનના નેતાઓ એક મંચ પર છે.
ઈન્ડિયા ગઠબંધનની બેઠકમાં નક્કી થયુ કે તમામ દળો હવે ચૂંટણીની તૈયારીઓમાં લાગી જાય. બેઠકમાં કહેવાયુ કે ચૂંટણી સંબંધિત તમામ મુદ્દાઓ પર વાત કરવાની જરૂરિયાત છે અને તેના માટે તાબડતોબ બેઠકો યોજવી જોઈએ. એવુ પણ નક્કી થયુ કે 30 જાન્યુઆરીથી 2024ની ચૂંટણી માટે સંયુક્ત કેમ્પેઈન શરૂ કરવામાં આવે.
ઈન્ડિયા ગઠબંધનની બેઠકમાં સંસદમાંથી સસ્પેન્ડ કરાયેલા સાંસદોને લઈને પણ ચર્ચા થઈ. આ કાર્યવાહીને લઈને નીંદા પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો. આ સાથે જ કેન્દ્ર સરકારને ચેતવણી આપતા જણાવ્યુ કે 21 ડિસેમ્બરે દેશભરમાં વિરોધ પ્રદર્શનની વાત કરવામાં આવી છે.
ઈન્ડિયા ગઠબંધનની બેઠકમાં એકવાર ફરી ઈવીએમનો મુદ્દો ઉઠ્યો. આ મુદ્દે ઈન્ડિયા ગઠબંધનની શરદ પવાર અને દિગ્વિજય સિંહના નેતૃત્વમાં પહેલા કમિટીની રચના થઈ ચુકી છે. જે ચૂંટણી આયોગને મળી તેની ફરિયાદ નોંધાવી ચુકી છે. પોતાનો પક્ષ રાખવા માટે આ કમિટીએ ચૂંટણી આયોગે પહેલેથી જ સમય માગેલો છે.