Har Ghar Tiranga : 20 લાખના ઈનામી આતંકીના પરિવારે લહેરાવ્યો તિરંગો, પુત્રને શોધવા સરકારને કરી અપીલ

|

Aug 14, 2023 | 7:06 AM

તારિકે કહ્યું કે અમે અમારા ઘર પર રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો છે અને ઈચ્છીએ છીએ કે દરેક ઘરમાં ત્રિરંગો ફરકાવવામાં આવે. હુસૈનની માતાએ કહ્યું કે તે ઈચ્છે છે કે તેનો પુત્ર પાછો આવે અને સુરક્ષા દળોને આત્મસમર્પણ કરે.

Har Ghar Tiranga : 20 લાખના ઈનામી આતંકીના પરિવારે લહેરાવ્યો તિરંગો, પુત્રને શોધવા સરકારને કરી અપીલ
Image Credit source: Tv9 ભારતવર્ષ

Follow us on

હિઝબુલ મુજાહિદ્દીનના આતંકવાદી મુદસ્સીર હુસૈનના પરિવારે રવિવારે જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડ જિલ્લામાં તેમના ઘરે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો. આ રીતે આ પરિવાર તિરંગો ફરકાવવા માટે સ્વતંત્રતા દિવસ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવેલા ‘હર ઘર તિરંગા અભિયાન’માં જોડાયો હતો. હુસૈનના પિતા તારિકે પહારી જિલ્લાના સુદૂર દચ્છન વિસ્તારમાં કહ્યું કે મારા પુત્રએ ખોટો રસ્તો અપનાવ્યો છે. અમે તેને શોધવા માટે સરકારને વિનંતી કરીએ છીએ.

આ પણ વાંચો: રાષ્ટ્રધ્વજ ફરકાવતી વખતે અપલોડ કરો સેલ્ફી, 15 ઓગસ્ટ પહેલા PM નરેન્દ્ર મોદીની ખાસ અપીલ

તારિકે કહ્યું કે અમે અમારા ઘરે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો છે અને ઈચ્છીએ છીએ કે દરેક ઘરમાં ત્રિરંગો ફરકાવવામાં આવે. હુસૈનની માતાએ કહ્યું કે તે ઈચ્છે છે કે તેનો પુત્ર પાછો આવે અને સુરક્ષા દળોને આત્મસમર્પણ કરે.

આજનું રાશિફળ તારીખ : 20-09-2024
કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List
Phoneને ઝડપી ચાર્જ કરવા માટે શું કરવું? જાણો અહીં સરળ ટ્રિક
આ છે ઢોલીવૂડનું સેલિબ્રિટી કપલ, જુઓ ફોટો
રબરનો છોડ ઘરે ઉગાડવાથી થાય છે અનેક ફાયદા

20 લાખનું ઈનામ

તેમણે કહ્યું કે અમે તેનું સરનામું જાણવાનો પૂરો પ્રયાસ કર્યો, પરંતુ નિષ્ફળ ગયા. સૈન્યએ તેને અમારા માટે શોધવો જોઈએ, કારણ કે અમે તેને પાછા ઈચ્છીએ છીએ. પોલીસના જણાવ્યા અનુસાર, કેન્દ્રશાસિત પ્રદેશના મોસ્ટ વોન્ટેડ આતંકીઓમાંના એક હુસૈનના માથા પર 20 લાખ રૂપિયાનું ઈનામ છે.

આગામી થોડા દિવસોમાં ફરી એકવાર 15મી ઓગસ્ટ આવવાની છે. આ અવસરને ખાસ બનાવવા માટે વડાપ્રધાન મોદીએ ફરીથી દેશવાસીઓને અપીલ કરી છે. પીએમ મોદીએ ટ્વિટ કરીને લખ્યું કે, “હર ઘર તિરંગા” અભિયાને આઝાદીના અમૃત મહોત્સવમાં નવી ઉર્જા ભરી દીધી છે.

દેશવાસીઓએ આ વર્ષે આ અભિયાનને નવી ઊંચાઈએ લઈ જવાનું છે. ચાલો આપણે 13 થી 15 ઓગસ્ટની વચ્ચે દેશના ગૌરવના પ્રતીક એવા રાષ્ટ્રધ્વજને ફરકાવીએ. તિરંગા સાથેની તમારી સેલ્ફી https://harghartiranga.com પર અપલોડ કરો.

ગત વર્ષે પણ પીએમ નરેન્દ્ર મોદીએ કરી હતી અપીલ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગયા વર્ષે ‘હર ઘર તિરંગા’ અભિયાનની શરૂઆત કરી હતી. આ દરમિયાન તેમણે લોકોને અપીલ કરી હતી કે ભારતના દરેક નાગરિકે પોતાના ઘરે ત્રિરંગો ફરકાવવો જોઈએ. તેમણે લોકોને અપીલ કરી હતી કે આ આંદોલનમાં મોટી સંખ્યામાં લોકો જોડાય. આ દરમિયાન પીએમ મોદીએ સ્વતંત્ર ભારતમાં ત્રિરંગો લહેરાવવાનું સપનું જોનારાઓની હિંમત અને પ્રયાસોને યાદ કર્યા.

પીએમ મોદીએ ગત વર્ષે પણ 13 ઓગસ્ટથી 15 ઓગસ્ટ વચ્ચે તિરંગો ફરકાવવાની લોકોને અપીલ કરી હતી. આ સંદર્ભે તેણે ટ્વિટ કરીને એક તસવીર શેર કરી જેમાં પંડિત જવાહરલાલ નેહરુ તિરંગો ફરકાવતા જોવા મળી રહ્યા છે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article