જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા દળોને મોટી સફળતા, પુલવામા એન્કાઉન્ટરમાં વોન્ટેડ આતંકવાદી ઠાર

|

May 30, 2022 | 9:07 AM

જમ્મુ-કાશ્મીરના (Jammu Kashmir) પુલવામા જિલ્લામાં રવિવારે સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચેની અથડામણમાં એક આતંકવાદી(Terrorist) ઠાર કરવામાં આવ્યો હતો.

જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા દળોને મોટી સફળતા, પુલવામા એન્કાઉન્ટરમાં વોન્ટેડ આતંકવાદી ઠાર
A terrorist shot dead in the Pulwama encounter

Follow us on

જમ્મુ-કાશ્મીરના (Jammu Kashmir) પુલવામા જિલ્લામાં રવિવારે સુરક્ષાદળો અને આતંકવાદીઓ (Pulwama Encounter) વચ્ચે પુલવામામાં થયેલી અથડામણમાં એક આતંકવાદી (Terrorist) માર્યો ગયો છે. જમ્મુ-કાશ્મીર પોલીસે આ માહિતી આપી છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે દક્ષિણ કાશ્મીરના પુલવામાના ગુંડીપુરા વિસ્તારમાં આતંકવાદીઓની હાજરી અંગે બાતમી મળી હતી. જે બાદ સુરક્ષા દળોએ રવિવારે ત્યાં ઘેરાબંધી કરી અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું.

તેમણે કહ્યું કે સર્ચ ઓપરેશન દરમિયાન આતંકીઓએ સુરક્ષા દળો પર હુમલો કર્યો, તેનો જવાબ આપતા લશ્કરે જવાબી કામગીરી કરતા એન્કાઉન્ટર શરૂ કર્યું હતું. અધિકારીએ સોમવારે કહ્યું કે આ એન્કાઉન્ટરમાં એક આતંકી માર્યો ગયો છે. અગાઉ, અધિકારીઓએ કહ્યું હતું કે શહીદ કોન્સ્ટેબલ રિયાઝ અહેમદના હત્યારાઓમાંના એક સહિત જૈશ-એ-મોહમ્મદના બે સ્થાનિક આતંકવાદીઓ એન્કાઉન્ટરમાં ફસાયા હતા. કાશ્મીર ઝોનના પોલીસ મહાનિરીક્ષક વિજય કુમારે માહિતી આપી હતી કે એન્કાઉન્ટરમાં ફસાયેલા જૈશ-એ-મોહમ્મદના બે આતંકવાદીઓના એન્કાઉન્ટરમાં 13 મેના રોજ પુલવામામાં પોલીસ કોન્સ્ટેબલ રિયાઝ અહેમદની હત્યાનો આરોપી આતંકવાદી પણ સામેલ છે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

 

અનંતનાગ એન્કાઉન્ટરમાં બેના મોત

તે જ સમયે, જમ્મુ અને કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં શનિવારે સુરક્ષા દળો સાથેની અથડામણમાં બે આતંકવાદીઓ ઠાર કરવામાં આવ્યા હતા. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે દક્ષિણ કાશ્મીરના બિજબેહરાના ક્ષિતિપોરા વિસ્તારમાં આતંકવાદીઓની હાજરીની માહિતી મળતાં સુરક્ષાદળોએ ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું. તેમણે જણાવ્યું હતું કે કોર્ડન અને સર્ચ ઓપરેશન દરમિયાન આતંકવાદીઓએ સુરક્ષા દળો પર ગોળીબાર કર્યો હતો અને જવાબી કાર્યવાહીમાં બે આતંકવાદીઓ માર્યાં ગયા હતા.

 

Next Article