Jahangirpuri Violence: દિલ્હી પોલીસ કમિશનર રાકેશ અસ્થાનાની ચેતવણી, જો અફવા ફેલાવી છે તો ગયા સમજજો, લોકો ખોટી વાતો પર ધ્યાન ન આપે

|

Apr 18, 2022 | 2:31 PM

કમિશનરે કહ્યું કે કેટલાક લોકો સોશિયલ મીડિયા દ્વારા શાંતિ ભંગ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. અમે સોશિયલ મીડિયા (Social Media) પર કડક નજર રાખી રહ્યા છીએ અને ખોટી માહિતી ફેલાવનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

Jahangirpuri Violence: દિલ્હી પોલીસ કમિશનર રાકેશ અસ્થાનાની ચેતવણી, જો અફવા ફેલાવી છે તો ગયા સમજજો, લોકો ખોટી વાતો પર ધ્યાન ન આપે
Delhi Police Commissioner Rakesh Asthana

Follow us on

Jahangirpuri Violence: દિલ્હી પોલીસ કમિશનર રાકેશ અસ્થાના(Rakesh Asthana)એ સોમવારે જહાંગીરપુરી હિંસા કેસમાં પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ દરમિયાન તેમણે અફવા ફેલાવનારાઓને કડક સંદેશ આપ્યો હતો. કમિશનરે કહ્યું કે, કેટલાક લોકો સોશિયલ મીડિયા (Social Media) દ્વારા શાંતિ ભંગ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. અમે સોશિયલ મીડિયા પર કડક નજર રાખી રહ્યા છીએ અને ખોટી માહિતી ફેલાવનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. અફવાઓ પર ધ્યાન ન આપો.

નોઈડા, ગાઝિયાબાદમાં ઉછર્યા કમિશનરે વધુમાં કહ્યું કે, સરઘસના પાછળના ભાગમાં હાજર રહેલા લોકોનો ત્યાં ઉભેલા લોકો સાથે ઘર્ષણ થયો અને પથ્થરમારો શરૂ થયો. હિંસામાં 8 પોલીસ અધિકારીઓ સહિત 9 લોકો ઘાયલ થયા છે. આ કેસમાં અત્યાર સુધીમાં 23 લોકોની ધરપકડ કરવામાં આવી છે. સોશિયલ મીડિયાના વીડિયો ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે.

દરેક એંગલથી તપાસ કરવામાં આવશે

દિલ્હી પોલીસ કમિશનરે કહ્યું કે આ મામલામાં દરેક એંગલથી તપાસ કરવામાં આવશે. આ હિંસામાં પ્રત્યક્ષ કે આડકતરી રીતે સામેલ કોઈપણ વ્યક્તિને બક્ષવામાં આવશે નહીં. તે જ સમયે, મસ્જિદ પર ભગવા ઝંડા ફરકાવવાના પ્રશ્ન પર, કમિશનરે કહ્યું કે આ બાબતમાં કોઈ સત્ય નથી. નાનકડી વાતથી શરૂ થયેલો વિવાદ બાદમાં હિંસામાં ફેરવાઈ ગયો.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

શાંતિ સમિતિ દ્વારા શાંતિપૂર્ણ માહોલ સર્જવાનો પ્રયાસ 

એક પ્રશ્નના જવાબમાં કમિશનર અસ્થાનાએ કહ્યું કે હિંસામાં સામેલ બંને પક્ષના લોકોની ધરપકડ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે ક્રાઈમ બ્રાન્ચ આ મામલે તપાસ કરી રહી છે. ક્રાઈમ બ્રાન્ચની 14 ટીમો બનાવવામાં આવી છે. આ ટીમોએ તપાસ શરૂ કરી છે. વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે. દરેક એંગલથી તપાસ કરવામાં આવી રહી છે. કમિશનરે વધુમાં જણાવ્યું હતું કે ડીજીટલ પુરાવાનું બી-એનાલીસીસ કરવામાં આવી રહ્યું છે. આ કેસમાં સંડોવાયેલા સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. તેમણે કહ્યું કે આ તપાસની સાથે પોલીસે 20 શાંતિ સમિતિઓ સાથે બેઠક કરી છે. અમે શાંતિ સમિતિ દ્વારા સંવેદનશીલ વિસ્તારોમાં શાંતિપૂર્ણ વાતાવરણ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. જહાંગીરપુરી ઉપરાંત અન્ય સંવેદનશીલ વિસ્તારોમાં પણ સુરક્ષા દળો તૈનાત છે. જ્યાં સુધી સ્થિતિ સામાન્ય નહીં થાય ત્યાં સુધી અધિકારીઓ મેદાનમાં રહેશે.

 

આ પણ વાંચો-World Heritage Day 2022: આજે વિશ્વ ધરોહર દિવસની ઉજવણી, આ વર્લ્ડ હેરિટેજ સાઇટ્સ છે આકર્ષણનું કેન્દ્ર

Next Article