NDA એ આજે ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે પશ્ચિમ બંગાળના (West Bengal) રાજ્યપાલ જગદીપ ધનખડના (Jagdeep Dhankhar)નામની જાહેરાત કરી છે.આ જાહેરાત બાદ તરત જ, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીને લઈને પૂર્વ નિર્ધારિત કાર્યક્રમને સ્થગિત કરી દીધો છે. તૃણમૂલ કોંગ્રેસના (TMC) નેતા અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ (Mamata banerjee)21 જુલાઈના બદલે હવે 6 ઓગસ્ટે પાર્ટીના લોકસભા અને રાજ્યસભાના સાંસદોની બેઠક બોલાવી છે,જેમાં સંસદના આગામી સત્ર અને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીને લઈને પાર્ટીના કાર્ય યોજના પર ચર્ચા કરવામાં આવશે.
આ બેઠકની જાહેરાતની થોડી જ મિનિટોમાં NDAએ ધનખડને ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે જાહેર કર્યા.આ જાહેરાત બાદ તરત જ તૃણમૂલ કોંગ્રેસ દ્વારા કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો હતો.નવા કાર્યક્રમ હેઠળ હવે TMC સાંસદોની બેઠક 21 જુલાઈના બદલે 6 ઓગસ્ટે યોજાશે. પાર્ટી તરફથી મળેલી માહિતી અનુસાર, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આગામી સંસદ સત્ર અને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે પાર્ટીની રણનીતિ પર ચર્ચા કરવા માટે લોકસભા અને રાજ્યસભાના સાંસદોની બેઠક બોલાવી છે.
West Bengal Chief Minister Mamata Banerjee convenes meeting with TMC MPs on July 21 to discuss party’s strategy for upcoming Parliament session and vice presidential election, scheduled to be held on August 6: Party statement
— Press Trust of India (@PTI_News) July 16, 2022
તમને જણાવી દઈએ કે ભૂતકાળમાં પશ્ચિમ બંગાળના (West Bengal) ગવર્નર જગદીપ ધનખડ અને મુખ્યપ્રધાન મમતા બેનર્જી વચ્ચે ટકરાવની ચર્ચાએ જોર પકડ્યુ હતુ.જ્યા પશ્ચિમ બંગાળ એસેમ્બલીએ CM મમતા બેનર્જીને યુનિવર્સિટીઓના ચાન્સેલર બનાવવાનું બિલ પાસ કર્યું હતુ,પરંતુ રાજ્યપાલે મુખ્યમંત્રી મમતા બેનર્જીને રાજ્યની યુનિવર્સિટીઓના ચાન્સેલર બનાવવાનું બિલ પરત કરી દીધુ હતુ. જે બાદ રાજ્યપાલે તેને મંજૂરી આપી દીધી હતી.
પશ્ચિમ બંગાળ વિધાનસભાએ(West Bengal election) 14 જૂનના રોજ રાજ્યની વિધાનસભામાં પશ્ચિમ બંગાળની યુનિવર્સિટીઓના કુલપતિના રાજ્યપાલને બદલવા માટે એક બિલ પસાર કર્યું હતું. આ સાથે ખાનગી યુનિવર્સિટીઓમાંથી રાજ્યપાલની મુલાકાતને દૂર કરવા માટે એક બિલ પણ પસાર કરવામાં આવ્યું હતું.