જગદગુરુ પરમહંસ આચાર્યને તાજમહેલમાં પ્રવેશતા અટકાવ્યા, ભગવા કપડાને કારણે પરત ફરવુ પડ્યુ

|

Apr 27, 2022 | 11:36 AM

જગદગુરુ પરમહંસચાર્યને આગરાના તાજમહેલમાં પ્રવેશવા દેવામાં આવ્યો ન હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેણે ભગવા કપડા પહેર્યા હતા અને તેના હાથમાં બ્રહ્મા દંડ હતું, જેના કારણે તેમને પ્રવેસ આપવામાં ન આવ્યા હોવાનું કારણ દર્શાવ્યુ છે. જગદગુરુ પરમહંસચાર્ય અયોધ્યાથી આગ્રા આવ્યા છે.

જગદગુરુ પરમહંસ આચાર્યને તાજમહેલમાં પ્રવેશતા અટકાવ્યા, ભગવા કપડાને કારણે પરત ફરવુ પડ્યુ
Jagadguru Paramhans Acharya (File image)

Follow us on

જગદગુરુ પરમહંસ આચાર્યને આગરાના તાજમહેલ (Taj Mahal)માં પ્રવેશવા દેવામાં આવ્યા ન હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેણે ભગવા કપડા (Saffron clothes )પહેર્યા હતા અને તેના હાથમાં બ્રહ્મ દંડ હતો, જેના કારણે પ્રવેશ આપવામાં ન આવ્યા હોવાનું કારણ જણાવવામાં આવી રહ્યું છે.

જગદગુરુ પરમહંસચાર્ય અયોધ્યાથી આગ્રા આવ્યા છે

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હકીકતમાં પરમહંસ આચાર્ય વિશ્વની સાત અજાયબીઓમાંની એક તાજમહેલની મુલાકાત લેવા માટે અયોધ્યાથી આગ્રા આવ્યા હતા, જેને પ્રેમની નિશાની કહેવામાં આવે છે. તેમના શિષ્ય પાસે આગ્રા જવાની ટિકિટ પણ હતી. પરંતુ આગ્રા તાજમહેલમાં હાજર CISF જવાનોએ પરમહંસ આચાર્યને તાજમહેલમાં પ્રવેશતા અટકાવ્યા હતા. આ પછી પરમહંસ આચાર્યએ સ્થળ પર હાજર લોકોને આશીર્વાદ આપ્યા અને પરત ફર્યા.

શું કહ્યું પુરાતત્વ વિભાગના અધિકારીઓએ…

તાજમહેલની જાળવણીની જવાબદારી સંભાળી રહેલા આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા (ASI)ના અધિક્ષક પુરાતત્વવિદ્ રાજકુમાર પટેલ આ સમગ્ર મામલાની તપાસની વાત કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે પ્રારંભિક માહિતી મળી છે કે સંત દંડ લઈને આવ્યા હતા, જેના કારણે તેમને પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી નથી. તેને દંડ પ્રવેશદ્વાર પર રાખવા અને અંદર જવા માટે કહેવામાં આવ્યું હતું પરંતુ તે તેના માટે સંમત ન થયા ન હતા. તેઓને ભગવા કપડા માટે રોકાયા ન હતા. તે જ સમયે, સંત પરમહંસ કહે છે કે ધર્મ દંડ લોખંડ માંથી નથી બનાવામાં આવ્યો, તે વાંસ અને ખાસ લાકડામાંથી બનેલો છે અને મંત્રો દ્વારા આહવાન બનાવામાં આવ્યો છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

કોણ છે પરમહંસ આચાર્ય, હિન્દુ રાષ્ટ્રની માંગ

જગદગુરુ પરમહંસચાર્ય અગાઉ ચર્ચામાં આવ્યા હતા જ્યારે તેમણે ભારતને હિન્દુ રાષ્ટ્ર જાહેર કરવાની માંગ કરી હતી. એટલું જ નહીં, તેમણે સરકારને અલ્ટીમેટમ આપ્યું હતું કે જો ભારત સરકાર 2 ઓક્ટોબર સુધીમાં હિન્દુ રાષ્ટ્ર જાહેર નહીં કરે તો તેઓ જળ સમાધિ લેશે. જોકે, તે જળ સમાધિ લે તે પહેલા જ તેની ધરપકડ કરવામાં આવી હતી.

 

Published On - 11:11 am, Wed, 27 April 22

Next Article