જ્યારે પાકિસ્તાને માત્ર 13 દિવસમાં જ ભારત સામે સ્વીકારી હતી શરણાગતિ…1971ના યુદ્ધની સંપૂર્ણ કહાની

1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધમાં પાકિસ્તાને માત્ર 13 દિવસમાં જ ભારત સામે ઘૂંટણિયે પડી ગયું હતું. જનરલ નિયાઝી અને ભારતીય સેનાના કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ જગજીતસિંહ અરોરાની 'ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ સરેન્ડર' પર હસ્તાક્ષર કરતી તસવીર આજે પણ ફેમસ છે. ત્યારે આ લેખમાં 1971ના યુદ્ધ કેમ થયું અને માત્ર 13 દિવસમાં જ પાકિસ્તાન ભારત સામે કેવી રીતે ઝૂકી ગયું તેના વિશે જાણીશું.

જ્યારે પાકિસ્તાને માત્ર 13 દિવસમાં જ ભારત સામે સ્વીકારી હતી શરણાગતિ...1971ના યુદ્ધની સંપૂર્ણ કહાની
Indo Pak War
| Updated on: Dec 16, 2024 | 7:19 PM

16 ડિસેમ્બર 1971ની એ સાંજ, જ્યારે પાકિસ્તાની સેનાના પૂર્વ કમાન્ડરને ભારતીય સેના સમક્ષ આત્મસમર્પણ કરવાની ફરજ પડી હતી. 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધમાં પાકિસ્તાને માત્ર 13 દિવસમાં જ ભારત સામે ઘૂંટણિયે પડી ગયું હતું. પૂર્વ પાકિસ્તાનના ઢાકામાં પાકિસ્તાની સેનાના જનરલ નિયાઝી ભારતીય સેના સામે સરેન્ડર કરતા પહેલા રડી પડ્યા હતા. જનરલ નિયાઝી અને ભારતીય સેનાના ઈસ્ટર્ન કમાન્ડના કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ જગજીતસિંહ અરોરાની ‘ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ સરેન્ડર’ પર હસ્તાક્ષર કરતી તસવીર આજે પણ ફેમસ છે. આ તસવીર ફરી ચર્ચામાં આવી છે, કારણ કે આજે એ યુદ્ધને 53 વર્ષ પૂરા થયા છે, ત્યારે આ લેખમાં 1971ના યુદ્ધ કેમ થયું અને માત્ર 13 દિવસમાં જ પાકિસ્તાન ભારત સામે કેવી રીતે ઝૂકી ગયું તેના વિશે જાણીશું. પાકિસ્તાનથી અલગ દેશ બાંગ્લાદેશનો પાયો નંખાયો પાકિસ્તાનમાં 1970માં સામાન્ય ચૂંટણીઓ યોજાઈ હતી. આ ચૂંટણીના પરિણામોએ પશ્ચિમ પાકિસ્તાન અને પૂર્વ પાકિસ્તાન વચ્ચે અલગતાનો પાયો નાખ્યો. હકીકતમાં, આ ચૂંટણીમાં પૂર્વ પાકિસ્તાનના નેતા શેખ મુજીબુર રહેમાનની પાર્ટી અવામી લીગને 167 બેઠકો મળી હતી. જે 313 બેઠકોવાળી પાકિસ્તાની...

Published On - 6:22 pm, Mon, 16 December 24

સંપૂર્ણ વાર્તા વાંચવા માટે TV9 એપ્લિકેશન ડાઉનલોડ કરો

20 થી વધુ વિશિષ્ટ સમાચારોની અમર્યાદિત ઍક્સેસ TV9 એપ પર ચાલુ રાખો