શું IndiGo Airlines એ જાતે અરાજક્તાનો માહોલ ઉભો કરી મુસાફરોને પરેશાનીમાં નાખ્યા? કંપનીનો નફો બચાવવા ખેલ્યો ગંદો ખેલ ?

ઇન્ડિગો એરલાઇન્સ દ્વારા DGCAના નવા નિયમો લાગુ કરવામાં બેદરકારીને કારણે લાખો મુસાફરો મુશ્કેલીમાં મુકાયા છે. આરોપો છે કે ઇન્ડિગોએ જાણી જોઈને અરાજકતા સર્જી જેથી DGCA નિયમો પાછા ખેંચી લે અને કંપની નફો બચાવી શકે. પાઇલટ્સની સુરક્ષા માટેના આ નિયમોને કારણે ઇન્ડિગોને વધુ સ્ટાફ રાખવો પડ્યો હોત, જે ટાળવા કંપનીએ આ ‘ખેલ’ કર્યો.

શું IndiGo Airlines એ જાતે અરાજક્તાનો માહોલ ઉભો કરી મુસાફરોને પરેશાનીમાં નાખ્યા? કંપનીનો નફો બચાવવા ખેલ્યો ગંદો ખેલ ?
| Updated on: Dec 19, 2025 | 12:54 PM

દેશની સૌથી મોટી એરલાઈન ઈન્ડીંગોની ફ્લાઈટ્સ કેન્સલ થવાનો સિલસિલો આજે 9માં દિવસે પણ યથાવત્ છે. આ દરમિયાન લગભગ 5000 થી વધુ ફ્લાઈટ્સ કેન્સલ થઈ ચુકી છે. જેનાથી યાત્રિકો પારાવાર મુશ્કેલીમાં મુકાયા છે અને હવે આ મુદ્દો સંસદ થી લઈને કોર્ટ સુધી પહોંચી ગયો છે.  છેલ્લા 9દિવસથી IndiGo Airlines ની બેદરકારીની સજા મુસાફરો ભોગવી રહ્યા છે. DGCA એ પાયલટ્સ અને ક્રુ મેમ્બરના હિતોને ધ્યાનમાં રાખીને કેટલાક નિયમો બનાવ્યા હતા. પરંતુ આને તમે ઈન્ડીગોની બેદરકારી સમજો કે સમજી વિચારીને ઘડેલી રણનીતિ.. તેમણે DGCA ના આ નિયમો લાગુ કરવા માટે કોઈ આગોતરુ આયોજન ન કર્યુ અને કોઈ જ તૈયારી વિના અચાનક આ નિયમો લાગુ કરી દીધા. જેના કારણે જ સમગ્ર અફરાતફરી સર્જાઈ ગઈ. પાયલોટ્સ અને ક્રુ ની શિફ્ટ ખોરવાઈ ગઈ. જેના કારણે વિમાનો ઍરપોર્ટ પરથી ઉડાન જ ન ભરી શક્યા. કારણ કે તેમને ઉડાડનારુ જ કોઈ ન હતુ. આનાથી લાખો પેસેન્જર્સ ઍરપોર્ટ્સ પર ભૂખ્યા અને તરસ્યા ફસાયેલા રહ્યા. ઈન્ડીંગોના જણાવ્યા અનુસાર તેમણે 1 થી...

Published On - 7:43 pm, Tue, 9 December 25

સંપૂર્ણ વાર્તા વાંચવા માટે TV9 એપ્લિકેશન ડાઉનલોડ કરો

20 થી વધુ વિશિષ્ટ સમાચારોની અમર્યાદિત ઍક્સેસ TV9 એપ પર ચાલુ રાખો