
સાહિત્યકાર અસગર વજાહતે તેના એક નાટકનું નામ જિન લાહોર નહીં વૈખ્યા ઓ જનમ્યાઈ નઈ (જેમણે લાહોર નથી જોયુ એ જન્મ્યો જ નથી) એવુ રાખ્યુ છે. આ લાહોર અને લાહોરના લોકોનો અલગ જ મિજાજ જોવા મળે છે. 1947માં સર સિરીલ રેડક્લિફે અખંડ ભારતના નક્શા પર કેટલીક રેખાઓ દોરી અને આ સાથે જ કરોડો લોકોની જિંદગીમાં ક્યારેય ન મિટનારી અમીટ રેખા કોતરાઈ ગઈ. પછી જે લોકોની સવાર અમૃતસરમાં પ્રાર્થના કરવામા અને સાંજ લાહોરના બજારોમાં વેપાર કરવામાં વિતતી હતી. તેમના માટે 50 કિલોમીટરનું અંતર ક્યારેય પુરુ ન થનારુ અંતર બનીને રહી ગયુ જે સદાયને માટે ઈતિહાસમાં એક જખ્મ તરીકે અંકિત થઈ ગયુ. પંજાબના સંયુક્ત ઈતિહાસના બે ટૂકડા થઈ ગયા 17 ઓગસ્ટ 1947 ના રોજ, સત્તાવાર રીતે સ્થાપિત થયું કે લાહોર પંજાબથી અલગ થઈ ગયું છે. એવું કહેવાય છે કે તે સમયે પાકિસ્તાનના હિસ્સામાં કોઈ સંપૂર્ણ શહેર આવી રહ્યુ ન હતુ, આથી તેની ભરપાઈ લાહોર દ્વારા કરવામાં આવી. આ સાથે, પંજાબ લાહોરનો સંયુક્ત ઇતિહાસ બે ટૂકડામાં વહેંચાઈ...