
ભારતીય રેલવેએ સ્ટેશન પર મુસાફરોની દોડધામ અને પરેશાની ઘટાડવા માટે ઓનલાઇન લગેજ બુકિંગ સુવિધા શરૂ કરી દીધી છે. આ સર્વિસ માત્ર કન્ફર્મ ટિકિટ ધરાવતા મુસાફરોને જ મળશે. ટિકિટ બુકિંગની સાથે શરૂ કરવામાં આવેલી વધારાના સામાનને ડિક્લેર અને બુક કરવાની ઓનલાઇન સુવિધાથી મુસાફરોને રેલવે સ્ટેશન પર પાર્સલ ઓફિસની બહાર લાંબી લાઈનોમાં ઊભા રહેવાની જરૂર નહીં પડે. આ કદમનો હેતુ કાગળની કામગીરી ખતમ કરવાનો અને મુસાફરોનો સમય બચાવવાનો છે. આનાથી દેશભરના મોટા રેલવે સ્ટેશનો પર થતી બિનજરૂરી ભીડમાંથી રાહત મળશે.
રેલવેએ આ ઓનલાઇન સર્વિસ 31 જુલાઈથી શરૂ કરી દીધી છે. રેલવે બોર્ડ દ્વારા આ સર્વિસ શરૂ કરવા માટે તમામ ઝોનલ રેલવેને પત્ર દ્વારા પહેલાથી જ જાણ કરી દેવામાં આવી છે. આ ઓનલાઇન સુવિધાનો લાભ માત્ર એ જ મુસાફરો ઉઠાવી શકશે, જેમના ટિકિટ કન્ફર્મ હશે. ચાલો જાણીએ કે તમે કેવી રીતે આ સર્વિસનો લાભ લઈ શકો છો?
રેલવેએ દરેક ક્લાસના મુસાફરો માટે ફ્રી અને મહત્તમ સામાન લઈ જવાની મર્યાદા નક્કી કરી છે:
વધારાના સામાન પર સ્ટાન્ડર્ડ લગેજ રેટ કરતાં દોઢ ગણો (1.5 ગણો) ચાર્જ લેવામાં આવશે. ઓછામાં ઓછો 30 રૂપિયાનો ચાર્જ નક્કી કરવામાં આવ્યો છે. આની ગણતરી 10 કિલોના સ્લેબમાં કરવામાં આવશે. આ સિવાય, ભાડાની ગણતરી માટે મિનિમમ 50 કિલોમીટરના અંતરનો નિયમ લાગુ પડશે.