જો તમે આજે ટ્રેનમાં મુસાફરી કરવા જઈ રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે છે. ભારતીય રેલ્વે(Indian Railways)એ બુધવારે જતી ઘણી ટ્રેનો રદ કરી છે. રદ કરાયેલી ટ્રેનોની યાદીમાં ઓછામાં ઓછી 260 ટ્રેનોના નામ સામેલ છે. રેલ્વેના જણાવ્યા અનુસાર જાળવણી અને સંચાલન સંબંધિત કારણોસર ટ્રેનો રદ કરવામાં આવી છે. આઈઆરસીટીસી (IRCTC)એ જણાવ્યું છે કે રદ કરાયેલી ટ્રેનોમાં 216 ટ્રેનો છે જે 13 જુલાઈએ રવાના થવાની હતી. આ સિવાય આવા 50 ગાડીઓ છે જે આંશિક રીતે રદ કરવામાં આવી છે. જો તમે પણ મુસાફરી કરી રહેલા લોકોમાં છો અને 13મી જુલાઈ એ મુસાફરીનો દિવસ છે, તો એકવાર રેલવેના કસ્ટમર કેર નંબર પર કોલ કરો અથવા તમારો મેસેજ ચેક કરો. જો તમારી 13 જુલાઈની ટ્રેન કેન્સલ થઈ છે, તો તેનો મેસેજ તમને પહેલેથી જ મોકલવામાં આવ્યો હશે.
આ પહેલા 10મી જુલાઈ, રવિવારના રોજ પણ ઘણી ટ્રેનો રદ કરવામાં આવી હતી. રેલ્વેએ 190 ટ્રેનોને સંપૂર્ણપણે રદ કરી હતી જ્યારે 37 ટ્રેનો આંશિક રીતે રદ કરવામાં આવી હતી. તે પહેલા 8 જુલાઈએ રેલવેએ 312 ટ્રેનો કેન્સલ કરી હતી અને 41 ટ્રેન આંશિક રીતે રદ કરવામાં આવી હતી. ચાલો જાણીએ કે રદ થયેલી ટ્રેનોની યાદી કેવી રીતે તપાસી શકાય છે.
રદ કરાયેલી ટ્રેનોનું લીસ્ટ જોવા માટે, તમારે પહેલા સ્ટેશન કોડ તપાસવો આવશ્યક છે. આ તમારા કામને વધુ સરળ બનાવશે. તમારે બિનજરૂરી પરેશાનીનો સામનો કરવો નહીં પડે. સ્ટેશન કોડ ચેક કરવાની એક ખાસ રીત છે, જે નીચે જણાવવામાં આવી રહી છે.
નોર્થ વેસ્ટર્ન રેલવેના ચીફ પબ્લિક રિલેશન ઓફિસર કેપ્ટન શશિ કિરણના જણાવ્યા અનુસાર નીચે દર્શાવેલ ટ્રેન સેવાઓને અસર થશે. એકવાર ટ્રેન નંબર અને સ્ટેશનનું નામ તપાસવાનું સુનિશ્ચિત કરો જેથી કરીને તમને મુસાફરી વિશે સંપૂર્ણ માહિતી મળી શકે.
ટ્રેન નંબર 19226, જમ્મુ તાવી-જોધપુર રેલ સેવા જે 12મી જુલાઈના રોજ જમ્મુ તાવીથી નીકળી છે, તે ભટિંડા સ્ટેશન પર 20 મિનિટ માટે નિયંત્રિત રહેશે.
નોર્થઇસ્ટ ફ્રન્ટિયર રેલ્વેની લુમડિંગ જં. ડિવિઝનના લામડિંગ-બદરપુર સેક્શન વચ્ચે માટી ધોવાણ અને પાણી ભરાવાને કારણે રેલ ટ્રાફિકને અસર થશે.
રેકની અછતને કારણે, 02 ટ્રેનો રદ કરવામાં આવશે અને 02 ટ્રેન આંશિક રીતે રદ કરવામાં આવશે. આ બે ટ્રેનોની યાદી નીચે રહે છે. ટ્રેન નંબરની વિગતો પણ આપવામાં આવી રહી છે.
ટ્રેન નંબર 09543, અસારવા-ડુંગરપુર રેલ સેવા જે 12મી જુલાઈના રોજ અસારવાથી ઉપડી છે, તે હિંમતનગર સ્ટેશન સુધી ચાલશે. આ ટ્રેન સેવા હિંમતનગર-ડુંગરપુર વચ્ચે આંશિક રીતે રદ રહેશે. ટ્રેન નંબર 09544, ડુંગરપુર – અસારવા રેલ સેવા ડુંગરપુર – હિંમતનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
આ સાથે, બુધવાર (13 જુલાઈ)ના રોજ ઉપડનારી લગભગ 216 ટ્રેનો કેન્સલ કરવામાં આવી છે, જ્યારે 50 ટ્રેનોનું સમયપત્રક રિશેડ્યુલ કરવામાં આવ્યું છે. રેલવે ટ્રેક પર ચાલી રહેલા બાંધકામ અને કામગીરીની વ્યવસ્થાના ભાગરૂપે ટ્રેનો રદ કરવામાં આવી છે. રેલ્વે અધિકારીઓએ ટ્રેન મુસાફરોને વિનંતી કરી છે કે તેઓ આ રદ કરાયેલી ટ્રેનોના ચાલવા અને ઉપડવાની વિગતો મેળવવા enquiry.indianrail.gov.in/mntes અથવા NTES એપની મુલાકાત લે.