
ભારતીય રેલવે કરોડો ભારતીયોની લાઈફલાઈન છે. દરરોજ કરોડો લોકો અલગ-અલગ ટ્રેનોમાં મુસાફરી કરે છે. અન્યની સરખામણીમાં ટ્રેનમાં મુસાફરી કરવી એ ખૂબ જ સુરક્ષિત મુસાફરી માનવામાં આવે છે. પરંતુ ભારતની લાઈફલાઈન હવે કોઈની નજર લાગી ગઈ છે. કારણ કે વારંવાર ટ્રેનોને નિશાન બનાવવામાં આવી રહી છે. તાજેતરમાં કાનપુરથી અજમેર જતી ટ્રેનને પાટા પરથી ઉતારવાનું મોટું ષડયંત્ર સામે આવ્યું છે. કાનપુરમાં રેલવે ટ્રેક પર સિલિન્ડર મળ્યા બાદ હવે રાજસ્થાનના અજમેર જિલ્લામાં રેલવે ટ્રેક પર અલગ-અલગ જગ્યાએ લગભગ એક ક્વિન્ટલના સિમેન્ટના બ્લોક્સ મળી આવ્યા છે. દિલ્હી-હાવડા રેલવે સેક્શનને સૌથી વધુ નિશાન બનાવવામાં આવી રહી છે. રેલવેને નિશાન બનાવવામાં આવી રહી હોવાનું એટલા માટે કહી શકાય, કારણ કે છેલ્લા એક અઠવાડિયામાં ભારતીય રેલવે સાથે અકસ્માતની 6 ઘટનાઓ બની છે. જેમાં 2 પથ્થરમારાની ઘટનાઓ અને 4 ઘટનામાં રેલવેને પાટા પરથી ઉતારવાના પ્રયાસો થયા છે. જો કે, હજુ સુધી દુશ્મનો તેમની યોજનામાં સફળ થયા નથી. આ ઘટનાઓ સિવાય, આ વર્ષે રેલવેમાં એવા ઘણા અકસ્માતો થયા છે, જેમાં ટ્રેક...