ભારતીય સેના LOC પર સર્જિકલ સ્ટ્રાઇકથી પણ મોટી કાર્યવાહી માટે તૈયાર, બસ એક ‘હા’નો ઇંતેજાર, પાકિસ્તાની સેના અને આતંકીઓમાં ફફડાટ

|

Feb 21, 2019 | 3:11 AM

પાકિસ્તાનને બોધપાઠ ભણાવવા માટે સેના સંપૂર્ણપણએ તૈયાર છે. બસ LOC પર તહેનાત જવાનો અને અધિકારીઓને એક ‘હા’નો ઇંતેજાર છે. TV9 Gujarati   Web Stories View more મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો IPL 2024માં […]

ભારતીય સેના LOC પર સર્જિકલ સ્ટ્રાઇકથી પણ મોટી કાર્યવાહી માટે તૈયાર, બસ એક ‘હા’નો ઇંતેજાર, પાકિસ્તાની સેના અને આતંકીઓમાં ફફડાટ

Follow us on

પાકિસ્તાનને બોધપાઠ ભણાવવા માટે સેના સંપૂર્ણપણએ તૈયાર છે. બસ LOC પર તહેનાત જવાનો અને અધિકારીઓને એક ‘હા’નો ઇંતેજાર છે.

TV9 Gujarati

 

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

સૂત્રોએ જણાવ્યું કે રાજૌરી, પુંછથી સ્પર્શતા પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK)માં કોલી, મીરપુર, કુરેટા પર સેના મોટી કાર્યવાહી કરવાની તૈયારી કરી ચુકી છે. બીજી બાજુ પાકિસ્તાની સેનાએ પણ પોતાના તરફથી સૈનિકોની તહેનાતીમાં વધારો કર્યો છે. સૂત્રોનું કહેવું છે કે ભારતીય સેના પાકિસ્તાનમાં ઘુસીને મોટી કાર્યવાહીને અંજામ આપશે. તેના માટે ખુફિયા તંત્રને પણ સક્રિય કરી દેવાયું છે.

સૂત્રોએ જણાવ્યું કે આ વખતે સર્જિકલ સ્ટ્રાઇક કરતા પણ મોટી કાર્યવાહી થશે. સેના શું કરવાની છે, તે હાલમાં માત્ર સેનાને જ ખબર છે. એલઓસી પર સેનાની તહેનાતીમાં વધારો કરાયો છે, પરંતુ સરહદ પાર આતંકીઓની હિલચાલ થંભી ગઈ છે.

સેનાની તૈયારીનો ખોફ પાકિસ્તાની સેના અને ત્યાં સંતાને બેઠેલા આતંકીઓમાં પણ પેદા થઈ ગયો છે. રાજોરી તથા પુંઝ જિલ્લાઓની સામે પીઓકેમાં પાકિસ્તાની સેનાની 120 ફૉરવર્ડ પોસ્ટ છે. પાકિસ્તાની સેનાએ ચીનની સેના સાથે મળી એલઓસી પર કૉંક્રીટના લગભગ 30 બંકરો બનાવ્યા છે. આ બંકરો અને ફૉરવર્ડ પોસ્ટો પર પાકિસ્તાની સૈનિકોની સાથે-સાથે લશ્કર એ તૈયબા (LET) તથા જૈશ એ મોહમ્મદ (JEM)ના આતંકીઓ પણ તહેનાત રહે છે કે જે હંમેશા પાકિસ્તાની સેનાની બૉર્ડર એક્શન ટીમ (BAT) હુમલા તથા સ્નાઇપરથી હુમલા માટે તૈયાર રહે છે.

હાલમાં આ બધા લોકો બંકરો અને પોસ્ટ છોડીને પાછળ ભાગી ગયા છે. એલઓસી પર વીરપુર વિસ્તારમાં બનેલી મસ્જિદોમાં ઘણા આતંકીઓએ પનાહ લીધેલી હતી, તેઓ પણ ત્યાંથી ભાગી ગયા છે. પાકિસ્તાની સેનાએ પોતાની પોસ્ટો પર સૈનિકોની સંખ્યા વધારી દીધી છે. સૂત્રોએ જણાવ્યું કે પીઓકેના કોટલીમાં બનેલા આતંકી કૅમ્પ પરથી આતંકીઓ હટાવી લેવાયા છે. આ આતંકીઓને પાકિસ્તાની સેનાએ પોતાના બટાલિયન હૅડક્વૉર્ટરમાં આશ્રય આપ્યું છે.

[yop_poll id=1645]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article