લ્યો બોલો, ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવભરી સ્થિતિને કારણે’ મૈસુરપાક’ નું જ નામ બદલી દેવાયું, જુઓ Video

ભારત અને પાકિસ્તાન વચ્ચેના વધતા તણાવને કારણે જયપુરની ઘણી મીઠાઈની દુકાનોએ તેમની લોકપ્રિય મીઠાઈઓના નામમાંથી 'પાક' શબ્દ દૂર કર્યો છે. મૈસુરપાક, મોતીપાક જેવી મીઠાઈઓના નામ હવે બદલી દેવામાં આવ્યા છે.

લ્યો બોલો, ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવભરી સ્થિતિને કારણે મૈસુરપાક નું જ નામ બદલી દેવાયું, જુઓ Video
| Updated on: May 24, 2025 | 5:10 PM

ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતી તણાવભરી સ્થિતિને ધ્યાનમાં રાખીને જયપુરની મીઠાઈ દુકાનોએ લોક જનભાવનાઓને માન આપીને એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે – હવે લોકપ્રિય મીઠાઈઓના નામમાંથી ‘પાક’ શબ્દ હટાવી દેવામાં આવ્યો છે.

મૈસુરપાક હવે બની ગયું છે મૈસુર શ્રી,

મોતી પાક, આમ પાક અને ગુંદ પાક હવે મોતી શ્રી, આમ શ્રી અને ગુંદ શ્રી તરીકે ઓળખાશે.
અત્યંત વૈભવી મીઠાઈ સ્વર્ણ ભસ્મ પાક હવે સ્વર્ણ ભસ્મ શ્રી તરીકે ઓળખાશે.

દુકાનદારો કહે છે કે ગ્રાહકો વારંવાર કહી રહ્યા હતા કે ‘પાક’ શબ્દ તેમને પાકિસ્તાનની યાદ અપાવે છે. તેથી લોકભાવનાઓનું માન રાખીને આ પરિવર્તન કરવામાં આવ્યું છે.

આ રીબ્રાન્ડિંગમાં જયપુરની જાણીતી દુકાનો જેમ કે બૉમ્બે મિઠાઈ ભંડાર, ત્યૌહાર સ્વીટ્સ, તેમજ માનસરોવર, રાજા પાર્ક અને વિશ્વાલય વિસ્તારોની મીઠાઈ દુકાનો સામેલ છે.

સોશિયલ મીડિયા પર પણ આ નિર્ણય ચર્ચામાં છે. એક યુઝરે તો રમૂજભર્યા અંદાજમાં લખ્યું:
“અમે માગ કરીએ છીએ કે જ્યારે આપણે પાણીમાં કૂદીએ ત્યારે અવાજ ‘છપકી’ નહિ પરંતુ ‘છશ્રી’ હોવો જોઈએ!”

આ દરમિયાન નેધરલેન્ડના લીડેન યુનિવર્સિટી ખાતે ભારતીય ભાષાઓના વિદ્વાન અભિષેક અવતાંસે આ પગલાની ભાષાવિજી્ઞાન દ્રષ્ટિએ ટીકા કરી છે. તેમણે કહ્યું: ‘પાક’ શબ્દનો અર્થ છે – ચાશની કે મીઠો પાકી બનાવેલો ખોરાક. તે કન્નડના ‘પાકા’ અને સંસ્કૃતના ‘પક્વ’ પરથી આવે છે. તેનો પાકિસ્તાનથી કોઈ લેવાનું ન આપવાનું નથી.”

અંતે પ્રશ્ન એ છે કે ભાષા બદલવાથી ભાવના બદલાય છે કે નહીં? પરંતુ એક વાત ચોક્કસ છે – મીઠાઈઓ હજુ પણ તેટલીછ મીઠી છે..

આર્થિક રીતે તુટી પડેલા અને વૈશ્વિકસ્તરે આતંકની ફેકટરી ગણાતા પાકિસ્તાનને લગતા અનેક નાના મોટા મહત્વના સમાચાર અંગે આપ અમારા ટોપિક પર ક્લિક કરો.