ભારત પાકિસ્તાનની વચ્ચે વધ્યો તણાવ, પાકિસ્તાન લઈ શકે છે આ પગલુ

|

Aug 08, 2019 | 11:01 AM

ભારત અને પાકિસ્તાનની વચ્ચે ફરીથી તણાવ જોવા મળી રહ્યો છે. જમ્મૂ-કાશ્મીરમાંથી કલમ 370ને નાબૂદ કર્યા બાદ ભારતના નિર્ણય પછી પાકિસ્તાનમાં જાણે ભૂકંપ આવી ગયો છે. પાકિસ્તાની સરકાર ભારતના આ મોટા પગલાથી સ્તબ્ધ થઈ ગઈ છે. હવે તે ભારતની વિરૂદ્ધ એક્શન લઈ રહી છે. ભારત સાથે વ્યાપારિક સંબંધો ખત્મ કરીને, રાજનીતિક સંબંધોને બગાડીને પાકિસ્તાને એ બતાવવાના […]

ભારત પાકિસ્તાનની વચ્ચે વધ્યો તણાવ, પાકિસ્તાન લઈ શકે છે આ પગલુ

Follow us on

ભારત અને પાકિસ્તાનની વચ્ચે ફરીથી તણાવ જોવા મળી રહ્યો છે. જમ્મૂ-કાશ્મીરમાંથી કલમ 370ને નાબૂદ કર્યા બાદ ભારતના નિર્ણય પછી પાકિસ્તાનમાં જાણે ભૂકંપ આવી ગયો છે. પાકિસ્તાની સરકાર ભારતના આ મોટા પગલાથી સ્તબ્ધ થઈ ગઈ છે.

હવે તે ભારતની વિરૂદ્ધ એક્શન લઈ રહી છે. ભારત સાથે વ્યાપારિક સંબંધો ખત્મ કરીને, રાજનીતિક સંબંધોને બગાડીને પાકિસ્તાને એ બતાવવાના પ્રયત્ન કરી રહ્યું છે કે તે ભારતના આ નિર્ણયથી કેટલુ વિરૂદ્ધ છે. એટલુ જ નહી પાકિસ્તાને ભારતીય વિમાનો માટે તેમની હવાઈસીમા પણ બંધ કરી દીધી છે. ત્યારે પાકિસ્તાને ભારતની સાથે સમજોતા એક્સપ્રેસને રદ કરવાનો નિર્ણય લીધો છે.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ત્યારે એવી ચર્ચાઓ થઈ રહી છે કે પાકિસ્તાનનું આગામી પગલુ શું હશે. શું પાકિસ્તાન ભારતની વિરૂદ્ધ કોઈ પણ મોટું પગલુ લેવાની તૈયારીમાં છે? ત્યારે પાકિસ્તાને રાષ્ટ્રીય સુરક્ષા સમિતિની બેઠકમાં PM ઈમરાન ખાને પાકિસ્તાની સેનાને એલર્ટ પર રહેવા માટે કહ્યું છે. સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ પાકિસ્તાને ભારતમાં ચાલી રહેલા નિવેદનોથી ડર લાગી રહ્યો છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

જેમાં કહેવામાં આવી રહ્યું છે કે તે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK)ને પણ લેવાના પ્રયત્ન કરી શકે છે પણ આ નિવેદનોને જોતા પાકિસ્તાને તેમની સેનાને એલર્ટ પર રહેવાનો આદેશ આપ્યો છે. કાશ્મીર મામલે છેલ્લા 2 દિવસથી પાકિસ્તાનમાં બેઠકોનો ધમધમાટ ચાલી રહ્યો છે. પાકિસ્તાન આ મામલે તેમની નારાજગી દેખાડવામાં કોઈ કમી રાખી રહ્યું નથી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ભારત સાથે તમામ સંબંધ ખત્મ કરશે પાકિસ્તાન?

આ પહેલા પાકિસ્તાનની રાષ્ટ્રીય સુરક્ષા સમિતીની બેઠક પછી ઈમરાન ખાને નિર્ણય લીધો છે કે તે ભારતની સાથે કૂટનીતિક સંબંધો ઓછા કરશે. તે સિવાય પાકિસ્તાને ભારતની સાથે તમામ દ્વિપક્ષીય વ્યાપારિક સંબંધોને પણ તોડી નાખ્યા છે. પાકિસ્તાન તરફથી કહેવામાં આવ્યું છે કે તે કાશ્મીરના મુદ્દાને UN સુધી ઉઠાવશે.

[yop_poll id=”1″]

આ બેઠક પછી પાકિસ્તાને ભારતના રાજદૂત અજય બિસારીયાને ભારત પરત આવવા માટે કહેવામાં આવ્યુ છે. તે સિવાય પાકિસ્તાન ભારત માટે નિમણુક કરવામાં આવેલા તેમના રાજદુતને દિલ્હી નહી મોકલે. પાકિસ્તાને કહ્યું કે તે કાશ્મીર મામલો UNમાં ઉઠાવશે. UNમાં પાકિસ્તાનની સ્થાયી પ્રતિનિધી મલીહા લોધીએ UN સિક્યુરીટી કાઉન્સીલના સભ્ય જોઆના રોનેકા સાથે ચર્ચા કરી.

આ પણ વાંચો: પાકિસ્તાને રોકી સમજૌતા એક્સપ્રેસ, કહ્યું ડ્રાઈવરને મોકલો અને ટ્રેન લઈ જાઓ પરત

ત્યારબાદ UN માનવાધિકાર પ્રવક્તાએ નિવેદન આપીને જમ્મૂ કાશ્મીરની સ્થિતી પર ચિંતા વ્યક્ત કરી છે. પાકિસ્તાન પહેલા પણ આવા મુદ્દાઓ પર UNમાં દાવો કર્યો છે પણ ત્યારે પણ તેનો કોઈ ખાસ ફાયદો પાકિસ્તાનને મળ્યો ન હતો.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article