India Omicron Update: દેશમાં આ 17 રાજ્યમાં સામે આવી ચૂક્યા છે ઓમિક્રોન વેરિયન્ટના 436 કેસ, મહારાષ્ટ્ર-દિલ્હી અને ગુજરાતમાં સ્થિતિ ગંભીર

|

Dec 25, 2021 | 10:50 PM

અત્યાર સુધીમાં દેશના 17 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી ઓમિક્રોન વેરિઅન્ટના કેસ નોંધાયા છે. તે જ સમયે સરકારી ડેટાનું વિશ્લેષણ દર્શાવે છે કે 183 લોકો Omicron વેરિયન્ટ્સથી સંક્રમિત જોવા મળે છે.

India Omicron Update: દેશમાં આ 17 રાજ્યમાં સામે આવી ચૂક્યા છે ઓમિક્રોન વેરિયન્ટના 436 કેસ, મહારાષ્ટ્ર-દિલ્હી અને ગુજરાતમાં સ્થિતિ ગંભીર
File Image

Follow us on

India Omicron Update: ભારતમાં કોરોના વાઈરસ (Corona Virus) ઓમિક્રોન (Omicron)ના નવા પ્રકારને લઈને ચિંતા વધી રહી છે. Omicron વેરિઅન્ટને અત્યાર સુધીમાં ઘણા દેશોમાં વિસ્તરણ કરવામાં આવ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ વેરિઅન્ટ (Coronavirus New Variant Omicron) અન્ય વેરિઅન્ટની સરખામણીમાં વધુ ઝડપથી ફેલાઈ રહ્યું છે. ભારતમાં ઓમિક્રોન વેરિઅન્ટના કુલ કેસની સંખ્યા 400ને વટાવી ગઈ છે. ઓમિક્રોન સાથે જે રાજ્યોમાં સ્થિતિ ગંભીર છે તેમાં મહારાષ્ટ્ર, દિલ્હી અને ગુજરાતનો સમાવેશ થાય છે. કારણ કે આ રાજ્યોમાં નવા વેરિઅન્ટના કેસ અન્ય રાજ્યો કરતા વધુ છે.

 

 

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

નવા અપડેટ અનુસાર દેશમાં કોવિડ -19ના નવા પ્રકારથી સંક્રમિત લોકોની સંખ્યા હવે વધીને 436 થઈ ગઈ છે. શુક્રવાર સુધી આ સંખ્યા 415 હતી. જો કે શનિવારે કેરળ, ગુજરાત અને રાજસ્થાન સહિત ઘણા રાજ્યોમાંથી નવા વેરિઅન્ટના કેસ સામે આવ્યા બાદ તેની સંખ્યા 436 પર પહોંચી ગઈ છે. સ્વાસ્થ્ય મંત્રાલયના ડેટા અનુસાર અત્યાર સુધીમાં આ પ્રકારથી સંક્રમિત 115 લોકો સાજા થઈ ચૂક્યા છે. જ્યારે 301 દર્દીઓ હાલ સારવાર હેઠળ છે. મંત્રાલયે કહ્યું કે મહારાષ્ટ્રમાં સૌથી વધુ 108 લોકો ઓમિક્રોનથી સંક્રમિત છે. આ પછી દિલ્હીમાં 79, ગુજરાતમાં 49, તેલંગાણામાં 38, કેરળમાં 38, તમિલનાડુમાં 34 અને કર્ણાટકમાં 31 છે.

 

માત્ર રસીકરણ અને માસ્ક પૂરતું નથી

અત્યાર સુધીમાં દેશના 17 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી ઓમિક્રોન વેરિઅન્ટના કેસ નોંધાયા છે. તે જ સમયે સરકારી ડેટાનું વિશ્લેષણ દર્શાવે છે કે 183 લોકો Omicron વેરિયન્ટ્સથી સંક્રમિત જોવા મળે છે, લગભગ 50 ટકા એટલે કે 87 લોકોને સંપૂર્ણ રસી આપવામાં આવી છે. સરકારી આરોગ્ય અધિકારીઓએ કહ્યું કે રોગચાળાને રોકવા માટે માત્ર રસીકરણ અને માસ્ક લગાવવા પૂરતું નથી. આ માટે વધુ સાવચેતીના પગલાંની જરૂર છે.

 

 

આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર 183 દર્દીઓ પર વિશ્લેષણ કરવામાં આવ્યું હતું, જેમાં જાણવા મળ્યું હતું કે આમાંથી 121 લોકોએ વિદેશ પ્રવાસ કર્યો હતો. કેન્દ્ર સરકારે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ના તથ્યોને ટાંકીને કહ્યું કે ઓમિક્રોન ડેલ્ટા વેરિઅન્ટ કરતા વધુ ઝડપથી સમુદાયોમાં ફેલાઈ રહ્યો છે અને તેના કેસ 1.5થી ત્રણ દિવસમાં બમણા થઈ રહ્યા છે.

 

આગામી 2 મહિનામાં આંકડો 10 લાખ સુધી પહોંચી શકે છે

તે જ સમયે કેરળની કોવિડ એક્સપર્ટ કમિટીના સભ્ય ડૉ. ટી.એસ. અનીશે કહ્યું કે જો વૈશ્વિક વલણો પર નજર કરીએ તો દેશમાં ઓમિક્રોન કેસની સંખ્યા 2-3 અઠવાડિયામાં 1,000 સુધી પહોંચી જશે અને આગામી 2માં મહિનામાં તે 1 મિલિયનનો આંકડો પાર કરી શકે છે. તેમણે કહ્યું કે ભારતમાં કોવિડ સંક્રમણની મોટી લહેર પહેલા અમારી પાસે 1 મહિનાથી વધુ સમય નથી, તેને રોકવાની જરૂર છે.

 

 

આ પણ વાંચો: PM MODIએ કરી જાહેરાત, ભારતમાં 3 જાન્યુઆરીથી 15 થી 18 વર્ષના બાળકોનું રસીકરણ શરૂ થશે

 

આ પણ વાંચો: Free Gift અને કૂપનની લાલચ તમને બનાવી શકે છે કંગાળ, લોભામણી ઓનલાઈન ઑફર્સથી સાવધાન!

Next Article