Kargil Vijay Diwas કારગિલમાં આ રીતે પાકિસ્તાનના છોડાવ્યા હતા છક્કા, જાણો 23 વર્ષ પહેલાના યુદ્ધની શૌર્યગાથા

|

Jul 26, 2022 | 6:50 AM

પાકિસ્તાની સૈન્યના ઘુસણખોરો પર્વતની ટોચ પર બેઠા હતા જ્યારે ભારતીય સૈન્ય પર્વતના ઢોળાવ પર હતા અને તેથી પાકિસ્તાન માટે હુમલો કરવાનું વધુ સરળ હતું અને ભારતીય સૈન્ય જવાનો માટે એટલું જ મુશ્કેલ હતું.

Kargil Vijay Diwas કારગિલમાં આ રીતે પાકિસ્તાનના છોડાવ્યા હતા છક્કા, જાણો 23 વર્ષ પહેલાના યુદ્ધની શૌર્યગાથા
Kargil Victory Day (file photo)

Follow us on

Kargil Vijay Diwas: આજથી બરાબર 23 વર્ષ પહેલા કારગિલ યુદ્ધમાં (Kargil War) ભારતીય સેનાએ પાકિસ્તાની સેનાને (Pakistan Army) જડબાતોડ જવાબ આપ્યો હતો. 1999માં બંને દેશો વચ્ચે લડાયેલા યુદ્ધની જીતની યાદમાં દર વર્ષે 26 જુલાઈએ કારગિલ વિજય દિવસ ઉજવવામાં આવે છે. જે સ્થળોએ પાકિસ્તાની સેનાએ ઘૂસણખોરી કરીને ભારતીય જમીન ઉપર કબજો કર્યો હતો, તે દુર્ગમ સ્થળોએ ભારતના બહાદુર સૈનિકોએ ફરી ત્રિરંગો ફરકાવ્યો હતો. 60 દિવસથી વધુ ચાલેલી આ લડાઈને ઓપરેશન વિજય (Operation Vijay) નામ આપવામાં આવ્યું હતું.

527 ભારતીય સૈનિકોએ બલિદાન આપ્યું હતું

કારગિલ યુદ્ધમાં ભારતના 527 જવાનો શહીદ થયા હતા. સિમલા કરાર હેઠળ, ભારત અને પાકિસ્તાન બંને દેશો શિયાળા દરમિયાન ફોરવર્ડ પોસ્ટ્સ પરથી તેમના સૈનિકોને પાછા ખેંચી લે છે, પરંતુ પાકિસ્તાને કપટ આચરીને આ કરારનો ખોટો ફાયદો ઉઠાવીને ભારતના પ્રદેશો પર કબજો જમાવી લીધો હતો. આની જાણ થતાં જ ભારતીય જવાનોએ જવાબી કાર્યવાહી કરી હતી.

પર્વતની ટોચ પર છુપાયેલી હતી કપટી પાકિસ્તાની સેના

કપટી પાકિસ્તાની સેનાનો મુખ્ય ઉદ્દેશ્ય લદ્દાખ અને કાશ્મીર વચ્ચેનો તમામ પ્રકારનો વ્યવહાર તોડવા અને ભારતીય સરહદ પર તણાવ પેદા કરવાનો હતો. પાકિસ્તાની સૈન્યના ઘુસણખોરો પર્વતની ટોચ પર બેઠા હતા જ્યારે ભારતીય સૈન્ય પર્વતના ઢોળાવ પર હતા અને તેથી પાકિસ્તાન માટે હુમલો કરવાનું વધુ સરળ હતું અને ભારતીય સૈન્ય જવાનો માટે એટલું જ મુશ્કેલ હતું. 3 મે 1999 ના રોજ, પાકિસ્તાને આ યુદ્ધ શરૂ કર્યું જ્યારે તે લગભગ 5000 સૈનિકો સાથે કબજો કરવાનું શરૂ કર્યું. દગાખોરોને પાઠ ભણાવવા માટે જ ઓપરેશન વિજય શરૂ કરવામાં આવ્યું હતું.

શું નીતા અંબાણીથી વધારે અમીર છે સાસુ કોકિલાબેન? આટલા કરોડના છે માલિક
ઘરમાં પોતું મારતી વખતે પાણીમાં ઉમેરો આ વસ્તુ, માખી-મચ્છર રહેશે ઘરથી દૂર
સારા તેંડુલકર આ સગાઈથી ખુશ છે, જુઓ ફોટો
હજારો રોગોનો રામબાણ ઈલાજ કરતી ગિલોય ઘરે જ ઉગાડો, આ રીત અપનાવો
રાહુ મીન રાશિમાં સ્થિત છે,આ રાશિના જાતકોને આગામી 376 દિવસમાં ફાયદો થશે
શું તમે જાણો છો દાંત પર કેટલી મિનીટ સુધી બ્રશ કરવું જોઈએ ?

ભારતીય વાયુસેનાની તાકાત

ગ્રાઉન્ડ એટેક માટે મિગ-2આઈ, મિગ-23એસ, મિગ-27, જગુઆર અને મિરાજ-2000 એરક્રાફ્ટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. પ્રાથમિક રીતે, મિગ-21નું નિર્માણ જમીની હુમલાની ગૌણ ભૂમિકા સાથે હવાઈ હુમલા માટે કરવામાં આવ્યું હતું. મિગ-23 અને 27ને જમીન પરના લક્ષ્યો પર હુમલો કરવા માટે ઑપ્ટિમાઇઝ કરવામાં આવ્યા હતા. પાકિસ્તાનના ઠેકાણાઓ પર ઘણા હવાઈ હુમલાઓ થયા હતા. તેથી, આ યુદ્ધ દરમિયાન IAF ના MiG-21 અને મિરાજ 2000 નો ઉપયોગ ઓપરેશન સફેદ સાગરમાં વ્યાપકપણે કરવામાં આવ્યો હતો.

ટાઇગર હિલ આ રીતે જીતી હતી

આ યુદ્ધમાં મોટી સંખ્યામાં રોકેટ અને બોમ્બનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. લગભગ બે લાખ પચાસ હજાર શેલ, બોમ્બ અને રોકેટ છોડવામાં આવ્યા હતા. લગભગ 5000 આર્ટિલરી શેલ, મોર્ટાર બોમ્બ અને રોકેટ દરરોજ 300 બંદૂકો, મોર્ટાર અને એમબીઆરએલમાંથી દરરોજ છોડવામાં આવ્યા હતા, જ્યારે ટાઇગર હિલને પરત લાવવાના દિવસે 9000 શેલ છોડવામાં આવ્યા હતા. એવું કહેવાય છે કે બીજા વિશ્વ યુદ્ધ પછી આ એકમાત્ર યુદ્ધ હતું જેમાં દુશ્મન દળો પર આટલી મોટી સંખ્યામાં દારુગોળો અને બોમ્બ ધડાકા કરવામાં આવ્યા હતા.

Next Article