India-Canada Flight: ભારત-કેનેડા ફ્લાઇટ્સ 5 મહિના પછી આજથી ફરી શરૂ, બોર્ડિંગ પહેલા જાણી લો આ મહત્વપૂર્ણ ગાઈડલાઇન્સ

|

Sep 27, 2021 | 9:28 AM

India-Canada Flight Guidelines: ફ્લાઇટ ઉપડવાના સમયથી 18 કલાકની અંદર મુસાફરો પાસે દિલ્હી એરપોર્ટ પરની જેનસ્ટ્રિંગ લેબમાંથી માન્ય કોવિડ નેગેટિવ રિપોર્ટનું પ્રમાણપત્ર હોવું જોઈએ

India-Canada Flight: ભારત-કેનેડા ફ્લાઇટ્સ 5 મહિના પછી આજથી ફરી શરૂ, બોર્ડિંગ પહેલા જાણી લો આ મહત્વપૂર્ણ ગાઈડલાઇન્સ
પ્રતિકાત્મક ફોટો

Follow us on

India-Canada Flight: 5 મહિનાના લાંબા અંતરાલ પછી, ભારતથી સીધી પેસેન્જર ફ્લાઇટ્સ આજથી કેનેડા પહોંચશે કારણ કે રવિવારે કેનેડાએ ભારતથી આવતી ફ્લાઇટ્સ પરનો પ્રતિબંધ હટાવ્યો હતો. ભારતમાં કોવિડ -19 ની બીજી લહેર ફાટી નીકળવાના કારણે કેનેડાએ એપ્રિલમાં દેશમાં આવવા-જવાની તમામ સીધી ફ્લાઇટ્સ પર પ્રતિબંધ મૂક્યો હતો. આ સમયગાળા દરમિયાન ફ્લાઇટ્સ ફરી શરૂ કરવાની તારીખો પણ ઘણી વખત મુલતવી રાખવામાં આવી હતી.

નિર્ણયની જાહેરાત કરતા, ટ્રાન્સપોર્ટ કેનેડાએ શનિવારે ટ્વિટ કર્યું, “27 સપ્ટેમ્બરથી 00:01 EDT પર, ભારતથી સીધી ફ્લાઇટ્સ કેનેડામાં ઉતરાણ કરી શકશે. આ માટે જાહેર આરોગ્યના વધારાના પગલાં અમલમાં મૂકવામાં આવશે. ટ્રાન્સપોર્ટ કેનેડાએ જણાવ્યું હતું કે ફ્લાઇટ ઉપડવાના સમયથી 18 કલાકની અંદર મુસાફરો પાસે દિલ્હી એરપોર્ટ (Delhi Airport) પરની જેનસ્ટ્રિંગ લેબમાંથી માન્ય કોવિડ નેગેટિવ રિપોર્ટનું પ્રમાણપત્ર હોવું જોઈએ.

કેનેડાની સરકારે તેની ટ્રાવેલ એડવાઈઝરીમાં કહ્યું છે કે મુસાફરોએ ફ્લાઇટમાં બેસતા પહેલા આ જનસ્ટ્રિંગ લેબ દ્વારા જારી કરાયેલા ક્યૂઆર કોડ સાથે કોરોના ટેસ્ટ રિપોર્ટ રજૂ કરવો પડશે. ટ્રાન્સપોર્ટ કેનેડાએ આગ્રહ કર્યો હતો કે એરલાઇન્સ આ નિયમોને પૂર્ણ કરવામાં અસમર્થ હોય તેવા કોઈપણ મુસાફરને બોર્ડિંગની મંજૂરી આપશે નહીં. હકીકતમાં, 22 સપ્ટેમ્બરના રોજ, નવી દિલ્હીથી કેનેડા જતા મુસાફરોએ ત્રણ ફ્લાઇટ્સમાં કોરોના માટે નેગેટિવ ટેસ્ટ કર્યા બાદ કેનેડા એરલાઇન્સે પ્રતિબંધ હટાવવાનો નિર્ણય કર્યો હતો.

Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

ભારતમાં કોવિડ -19 (Covid 19) ની બીજી લહેરને જોતા કેનેડાએ એપ્રિલમાં ભારત આવવા-જવાની તમામ સીધી ફ્લાઇટ્સ પર પ્રતિબંધ મૂક્યો હતો. ત્યારથી, ફ્લાઇટ્સ ફરી શરૂ કરવાની તારીખો ઘણી વખત સ્થગિત કરવામાં આવી હતી.

ફ્લાઇટ બોર્ડિંગ પહેલાં આ મહત્વપૂર્ણ માર્ગદર્શિકા જાણો-

1. કોરોનાનો નેગેટિવ ટેસ્ટ રિપોર્ટ પ્રસ્થાનના 18 કલાકની અંદર થવો જોઈએ.

2. બોર્ડિંગ કરતા પહેલા, એર ઓપરેટર મુસાફરોની તપાસ કરશે અને ખાતરી કરશે કે તેઓ કેનેડા મુસાફરી કરવા પાત્ર છે કે નહીં.

3. સંપૂર્ણપણે રસીકરણ કરાયેલા મુસાફરોએ સંબંધિત માહિતી ArriveCAN મોબાઇલ એપ અથવા વેબસાઇટ પર અપલોડ કરવાની રહેશે.

4. જેઓ આ માર્ગદર્શિકાનું પાલન કરતા નથી તેમને ફ્લાઇટમાં બેસવાની મંજૂરી આપવામાં આવશે નહીં.

આ પણ વાંચો: Yogi Cabinet Expansion: ત્રીજા કેબિનેટ વિસ્તરણમાં, જાણો સીએમ યોગીએ કયા ક્યા જાતિ સમીકરણો ઉકેલ્યા

આ પણ વાંચો: Lifestyle : મશરૂમને ઘરે ઉગાડવા માટે ફોલો કરો આ ટિપ્સ, જાણો ક્યાં ક્યાં ઉગાડી શકશો મશરૂમ

Next Article