ઓડિશાના બાલાસોર ટ્રેન દુર્ઘટનામાં કમિશનર રેલવે સેફ્ટીના અહેવાલ અનુસંધાને CBI એકશનમાં

|

Jul 07, 2023 | 10:07 PM

બાલાસોર ટ્રેન દુર્ઘટનાની સીબીઆઈ તપાસ કરી રહી છે. તેણે બે એન્જિનિયરો-એક ટેકનિશિયનની ધરપકડ કરી છે. મહત્વનુ છે કે આ ભયાનક અકસ્માતમાં 280 થી વધુ લોકોના મોત થયા હતા.

ઓડિશાના બાલાસોર ટ્રેન દુર્ઘટનામાં કમિશનર રેલવે સેફ્ટીના અહેવાલ અનુસંધાને CBI એકશનમાં

Follow us on

ઓડિશાના બાલાસોરમાં ગયા મહિને 2 જૂને થયેલી ટ્રેન દુર્ઘટનાને કોણ ભૂલી શકે. આ અકસ્માતે સૌને ચોંકાવી દીધા હતા. કેન્દ્રીય તપાસ એજન્સી (CBI) દ્વારા તેની તપાસ કરવામાં આવી રહી છે, આ તપાસ દરમ્યાન શુક્રવારે મોટી કાર્યવાહી કરી હતી. તપાસ એજન્સીએ 3 આરોપીઓની ધરપકડ કરી છે. તેમાં બાલાસોરના સિનિયર સેક્શન એન્જિનિયર અરુણ કુમાર મહંતો, સોહોના સિનિયર સેક્શન એન્જિનિયર મોહમ્મદ અમીર ખાન અને ટેકનિશિયનનો સમાવેશ થાય છે. ત્રણેયની આઈપીસીની કલમ 304 અને 201 હેઠળ ધરપકડ કરવામાં આવી છે.

છેલ્લા 25 વર્ષમાં દેશના સૌથી મોટા ટ્રેન અકસ્માતોમાંના એકમાં, ચેન્નાઈ જતી કોરોમંડલ એક્સપ્રેસ, હાવડા જતી SMVT સુપરફાસ્ટ એક્સપ્રેસ અને એક માલસામાન ટ્રેનને બહનાગા બજાર રેલ્વે સ્ટેશન પાસે અકસ્માત થયો હતો. આ ભયાનક અકસ્માતમાં 280 થી વધુ લોકોના મોત થયા હતા અને 1000 થી વધુ લોકો ઘાયલ થયા હતા.

પૂર ઝડપે ચાલતી કોરોમંડલ એક્સપ્રેસ બહાનાગા બજાર રેલ્વે સ્ટેશન પાસે મુખ્ય લાઇનને બદલે પસાર થતી લૂપમાં ઘૂસી ગઈ હતી અને સ્થિર માલસામાન ટ્રેન સાથે અથડાઈ હતી. ટક્કર બાદ અનેક કોચ પાટા પરથી ઉતરી ગયા હતા. ડાઉન લાઇન પર આવી રહેલી SMVT સુપરફાસ્ટ એક્સપ્રેસના પાછળના ભાગ સાથે કેટલાક કોચ અથડાયા હતા.

5,000 રૂપિયાની SIP, 1 કરોડ રૂપિયા બનાવતા કેટલો સમય લાગે ?
સીડી વગર સીલિંગ ફેન પરથી ધૂળ કેવી રીતે સાફ કરવી ?
કોહલી દ્રવિડની કરશે બરાબરી, જાડેજા પાસે કપિલ દેવને પાછળ છોડવાની તક
Vastu shastra : આ 2 ઘરોમાં તુલસીનો છોડ લગાવવો અશુભ, તમે જીવનભર રહેશો ગરીબ
મધમાં પાણી ઘોળીને પીવાના ફાયદા
એન્જિન્યરિંગની નોકરી છોડી સંગીતમાં કારકિર્દી બનાવનાર, ગુજરાતી સિંગર વિશે જાણો

આ દુર્ઘટના બાદ રેલવેએ પહેલા CRS તપાસના આદેશ આપ્યા અને પછી CBI તપાસના આદેશ પણ આપ્યા. દુર્ઘટના પછી, રેલવેએ દક્ષિણ પૂર્વીય રેલવેના ઘણા ઉચ્ચ અધિકારીઓની બદલી કરી હતી, જેમના અધિકારક્ષેત્રમાં આ દુર્ઘટના બની હતી. પ્રારંભિક તપાસમાં અકસ્માતના સંભવિત કારણ તરીકે બેદરકારી અથવા ઇરાદાપૂર્વકની દખલગીરીનો સંકેત આપવામાં આવ્યો હતો.

આ પણ વાંચો  : લેહ પહોંચી વનડે ક્રિકેટ World Cup 2023ની trophy, જુઓ Photos

CRS રિપોર્ટમાં માનવીય ભૂલ સામે આવી

તાજેતરમાં, કમિશનર રેલવે સેફ્ટી (CRS)નો તાજેતરનો અહેવાલ બહાર આવ્યો હતો, જેમાં ટ્રેન દુર્ઘટના પાછળ માનવીય ભૂલ જણાવવામાં આવી હતી. અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે એવા સંકેતો છે કે જો અગાઉની ચેતવણી વિશે માહિતી આપવામાં આવી હોત તો દુર્ઘટના ટાળી શકાઈ હોત. જો કે, “ઘણા સ્તરે ક્ષતિઓ” હોવાની વાત કરવામાં આવી છે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 9:00 pm, Fri, 7 July 23

Next Article