દિલ્હીમાં પ્રદૂષણ ઘટતા સરકારે આપી રાહત, બાંધકામ શરૂ કરવા આપી પરવાનગી

|

Nov 22, 2021 | 7:51 PM

દિલ્હીના પર્યાવરણ મંત્રીએ જણાવ્યુ કે, ''નિયમોનું પાલન ન કરનારને દંડ ફટકારવામાં આવશે, બાદમાં નોટિસ આપવામાં આવશે.'' તેમણે કહ્યું કે, ''કામદારોને પડી રહેલી મુશ્કેલીઓને કારણે બાંધકામના કામો ખોલવામાં આવી રહ્યા છે.''

દિલ્હીમાં પ્રદૂષણ ઘટતા સરકારે આપી રાહત, બાંધકામ શરૂ કરવા આપી પરવાનગી
Air Pollution

Follow us on

દિલ્હી (Delhi)માં હવા પ્રદૂષણ(Air pollution) સતત વધતુ રહે છે. જો કે પ્રદૂષણ (Pollution)ને અંકુશમાં લેવા માટે દિલ્હીના તંત્ર દ્વારા વિવિધ નિર્ણયો લેવામાં આવ્યા હતા અને પવનની દિશા બદલાવાને કારણે પ્રદૂષણના સ્તર (Levels of pollution)માં સુધારો થયો છે. પ્રદૂષણ અંગે દિલ્હીના પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે પ્રેસ કોન્ફરન્સ કરી અને કહ્યું કે લીધેલા પગલાથી પ્રદૂષણમાં ઘટાડો થયો છે. તેમણે કહ્યું કે 4 નવેમ્બરથી દિલ્હીની અંદર પ્રદૂષણનું સ્તર સતત વધી રહ્યું છે. AQI 600 પર પહોંચી ગયો હતો. જેને લઈને તંત્રએ પગલા ભરતા હાલ પ્રદૂષણમાં થોડી રાહત છે.

 

પર્યાવરણ મંત્રીનું નિવેદન

દિલ્હીના પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે વધુમાં કહ્યું કે “આજે, ગઈકાલની સરખામણીમાં આનંદ વિહારમાં લગભગ 101 AQI ઘટ્યો છે. ઘણી જગ્યાએ દિલ્હીમાં AQIનું સ્તર 300ની નીચે પહોંચી ગયું છે. જે સવારે 10 વાગ્યા સુધી નોંધાયું હતું. હવાની ગુણવત્તામાં ધીમે ધીમે સુધારો જોવા મળી રહ્યો છે અને તેને ધ્યાનમાં રાખીને કેટલાક નિર્ણયો લેવામાં આવ્યા છે.

 

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

બાંધકામને મંજુરી

ગોપાલ રાયે વધુમાં જણાવ્યું હતું કે દિલ્હીમાં નિર્માણ કાર્ય ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેની કડક દેખરેખ રાખીશું. ધૂળ નિયંત્રણ માર્ગદર્શિકાનું સખતપણે પાલન કરવાનું છે. 585 મોનિટરિંગ ટીમ બનાવવામાં આવી છે, જે સમગ્ર દિલ્હીમાં દેખરેખનું કામ કરશે”

 

તેમણે જણાવ્યુ કે ”નિયમોનું પાલન ન કરનારને દંડ ફટકારવામાં આવશે, બાદમાં નોટિસ આપવામાં આવશે.” તેમણે કહ્યું કે ”કામદારોને પડી રહેલી મુશ્કેલીઓને કારણે બાંધકામના કામો ખોલવામાં આવી રહ્યા છે. સરકારી કર્મચારીઓના ઘરેથી કામ 26 નવેમ્બર સુધી ચાલુ રહેશે.”

 

બિનજરુરી ટ્રકના પ્રવેશ પર પ્રતિબંધ

આ સાથે તેમણે વધુમાં કહ્યું કે 26 નવેમ્બર સુધી દિલ્હીમાં બિનજરૂરી ટ્રકોના પ્રવેશ પર પ્રતિબંધ રહેશે. સીએનજી ટ્રકોને પરવાનગી આપવા અંગે વિચારણા ચાલી રહી છે, જેના માટે 24મીએ બેઠક યોજાશે અને બુધવારે વિચારણા કરીને નિર્ણય લેવાશે.

 

શાળા કોલેજ ખોલવા મામલે 24મીએ નિર્ણય

દિલ્હીમાં માત્ર શાળાઓના ઓનલાઈન વર્ગો ચાલુ છે. આ અંગે ગોપાલ રાયે કહ્યું કે શાળા કોલેજ ખુલ્લી રાખવી કે બંધ રાખવી તે અંગે 24 નવેમ્બરે નિર્ણય લેવામાં આવશે. જો સુધારો ચાલુ રહેશે તો ઓફિસ ખોલવા માટે પણ વિચારણા કરવામાં આવશે. પબ્લિક ટ્રાન્સપોર્ટ વધારવા માટે દિલ્હીની DTC ક્લસ્ટર બસમાં 17 લોકો ઉભા રહીને મુસાફરી કરી શકે છે. મેટ્રોમાં 30 લોકો એક કોચમાં ઉભા રહીને મુસાફરી કરી શકે છે.

 

જાહેર પરિવહનનો ઉપયોગ કરવા વિનંતી

પર્યાવરણ સેવા હેઠળ 1000 CNG બસ ભાડે લેવામાં આવી છે. સામાન્ય લોકો પણ આ બસોમાં ડીટીસીની સુવિધા લઈ શકશે. બસમાં પર્યાવરણ બસ સેવા લખવામાં આવશે. દિલ્હીમાં 31 ટકા પ્રદૂષણ દિલ્હીના સ્ત્રોતોમાંથી થાય છે, જેમાંથી 50 ટકા વાહનોનું પ્રદૂષણ છે. લોકોને વધુમાં વધુ જાહેર પરિવહનનો ઉપયોગ કરવા વિનંતી કરવામાં આવી છે.

 

વાહનો જપ્ત કરવાની ઝુંબેશ ચાલુ રહેશે

તેમણે વધુમાં કહ્યું કે “પેટ્રોલ અને ડીઝલ વાહનોને જપ્ત કરવાની ઝુંબેશ ચાલુ રહેશે. પીયુસી સર્ટિફિકેટ ચેક કરવાની કામગીરી ચાલુ રહેશે. અત્યાર સુધીમાં 4000 લોકોના ચલણ કપાયા છે. દિલ્હીમાં ઈંધણ પર ચાલતા ઉદ્યોગ પર હજુ પણ પ્રતિબંધ છે. દિલ્હીમાં  500 ટેન્કર દ્વારા પાણી છંટકાવનું કામ ચાલી રહ્યું છે.

 

આ પણ વાંચો : Punjab Assembly Election: અરવિંદ કેજરીવાલની મોટી જાહેરાત, સરકાર બનશે તો મહિલાને દર મહિને 1,000 રૂપિયા આપવામાં આવશે

 

આ પણ વાંચો : Uttar Pradesh: સુગર મિલના ઉદ્ઘાટનમાં મંત્રી અજય મિશ્રાને મુખ્ય અતિથિ બનાવવા પર વિવાદ, રાકેશ ટિકૈતે આપી આંદોલનની ચેતવણી

 

Next Article