
National flag code of India 2022: 15 ઓગસ્ટ 2023ના રોજ દેશ તેની જશ્ન-એ-આઝાદીની વર્ષગાંઠ ઉજવવા જઈ રહ્યો છે. લાલ કિલ્લા પર ભવ્ય કાર્યક્રમની તૈયારીઓ તેના અંતિમ તબક્કામાં છે. દેશવાસીઓ પણ આ ખાસ દિવસની ઉજવણી માટે પોતપોતાના સ્તરે વ્યસ્ત છે. દુકાનો-મોલ, બજારોથી માંડીને સરકારી કચેરીઓ આઝાદીના રંગોથી શણગારવામાં આવી છે. દેશના નાગરિકો પોતપોતાના ઘરે આઝાદીનો તહેવાર ઉજવવાની રાહ જોઈ રહ્યા છે.
આ પણ વાંચો: Independence Day 2023: આ ઓફબીટ સ્થળોએ સ્વતંત્રતા દિવસની કરો ઉજવણી, યાદગાર રહેશે સફર
ઘર હોય કે ઓફિસ, સ્વતંત્રતા દિવસની ઉજવણીથી લઈને તિરંગો ફરકાવવા સુધીના કેટલાક ખાસ નિયમો નક્કી કરવામાં આવ્યા છે. તિરંગા સાથે જોડાયેલી એક ભૂલ પણ તમને મુશ્કેલીમાં મૂકી શકે છે. તેથી, આ રાષ્ટ્રીય દિવસની ઉજવણી કરતા પહેલા, આપણા માટે ‘ભારતીય ધ્વજ સંહિતા 2022’ ના નિયમોને જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. આવો જાણીએ તિરંગાને લઈને શું નિયમ છે અને કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.
ધ ફ્લેગ કોડ ઓફ ઈન્ડિયા, 2002માં સુધારો કરવામાં આવ્યો છે. પોલિએસ્ટર અથવા મશીનથી બનેલા રાષ્ટ્રધ્વજની પરવાનગી છે. કપાસ, પોલિએસ્ટર, વૂલન, સિલ્ક અને ખાદીમાંથી હાથથી વણાયેલા, કાંતેલા અથવા મશીનથી બનેલા ત્રિરંગા બનાવવામાં આવશે.