
ભારતીય બંધારણમાં ફાંસીની સજાની જોગવાઈ છે. રેર ઓફ ધી રેરની કેટેગરીમાં આવતા ગુન્હાઓ માટે ફાંસીની સજા આપવામાં આવે છે. ભારતમાં છેલ્લે નિર્ભયા કેસના આરોપીઓને ફાંસીની સજા આપવામાં આવી હતી. એ બાદ કોઈને ફાંસી અપાઈ નથી. ત્યારે એ સવાલ થવો સ્વાભાવિક છે કે જો કોઈ ગુનેગારને ફાંસીના માંચડે લટકાવી દેવામાં આવ્યો હોય અને લટકાવ્યાના બે કલાક બાદ પણ જો તે બચી જાય તો શું તેને ફરીથી ફાંસીએ લટકાવવામાં આવે છે. બંધારણમાં તેના વિશે શું જોગવાઈ છે? શું ભૂતકાળમાં કોઈ ગુનેગારના કેસમાં ભારતમાં આવુ બન્યુ છે? તે તમામ પાંસાઓ વિશે આજે વિગતવાર અહી ચર્ચા કરીશુ. સૌપ્રથમ તો જે વ્યક્તિને ફાંસી આપવાની છે તેનુ વજન સામાન્ય હોય તો બે કલાકમાં તેનું મૃત્યુ થઈ જાય છે. પરંતુ જો કોઈ ગુનેગારનુ વજન વધુ પડતુ ઓછુ હોય તો તેનુ મોત થવામાં બે કલાક કરતા વધુ સમય લાગે છે. ભારતમાં એવા કેસની વાત કરીએ તો છેલ્લે જે ગુનેગારોને ફાંસી આપવામાં આવી તેમાં નિર્ભયાકાંડના ગુનેગારોમાં એક ગુનેગારનું મૃત્યુ થવામાં...
Published On - 5:11 pm, Sat, 15 February 25