મણિપુરમાં ભૂસ્ખલનના ભયાનક ફોટોઝ અને વીડિયો થયા વાયરલ, યુઝર્સએ કરી મણિપુરના લોકો માટે પ્રાર્થના

|

Jul 01, 2022 | 11:25 PM

હાલમાં મણિપુરમાં થયેલા ભૂસ્ખલનમાં (Manipur Landslide) 15થી વધુ વ્યક્તિઓના મોત થયા છે. જ્યારે 50થી વધારે લોકો ગુમ થયા હોવાની માહિતી મળી રહી છે.

મણિપુરમાં ભૂસ્ખલનના ભયાનક ફોટોઝ અને વીડિયો થયા વાયરલ, યુઝર્સએ કરી મણિપુરના લોકો માટે પ્રાર્થના
Manipur Landslides
Image Credit source: twitter

Follow us on

કુદરતી આફત ક્યારેય કહીને નથી આવતી પણ જ્યારે આવે છે ત્યારે તબાહી મચાવીને જાય છે. 2013માં ઉત્તરાખંડમાં બનેલી ઘટના કોણ ભુલી શકે છે? કુદરતી આફત લોકોના પરિવારને એક મિનિટમાં વેરવિખેર કરી શકે છે. અવિરત વરસાદને કારણે ભૂસ્ખલનની ઘટનાઓ વારંવાર જોવા અને સાંભળવામાં આવે છે, જેમાંથી કેટલીક ખૂબ જ પીડાદાયક અને હૃદયદ્રાવક હોય છે. આવી જ એક ઘટના બુધવારે રાત્રે મણિપુરમાં (Manipur) બની હતી, જ્યાં નોની જિલ્લાના તુપુલ રેલ્વે સ્ટેશન પાસે ભૂસ્ખલન (Manipur Landslide) થયું હતું અને 107 ટેરિટોરિયલ આર્મી કેમ્પને ટક્કર મારી હતી. આ ભૂસ્ખલનમાં અત્યાર સુધીમાં 15થી વધુ લોકોના મોતના અહેવાલ છે, જ્યારે 50થી વધુ લોકો હજુ પણ લાપતા છે. નદીમાંથી મૃતદેહોને બહાર કાઢવા માટે એક્સેવેટર મશીનો તૈનાત કરવામાં આવી છે. આ સિવાય ભારતીય સેના, આસામ રાઈફલ્સ, ટેરિટોરિયલ આર્મી અને સેન્ટ્રલ અને સ્ટેટ ડિઝાસ્ટર ફોર્સ ઘટનાસ્થળે સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છે.

આ ભૂસ્ખલનને કારણે ગુમ થયેલા લોકોમાંથી ઓછામાં ઓછા અડધા લોકો ટેરિટોરિયલ આર્મીના છે. કાટમાળ નીચે ફસાયેલા લોકોને શોધવા માટે સ્નિફર ડોગ્સને પણ કામે લગાડવામાં આવ્યા છે. આ અકસ્માતની હૃદયદ્રાવક તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે. ટ્વિટર પર #manipurlandslide ખૂબ જ ટ્રેન્ડ કરી રહી છે.

ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ

મણિપુર ભૂસ્ખલનના વાયરલ ફોટોઝ અને વીડિયો

 

 

 

 

 

આ દુર્ઘટના સાથે જોડાયેલા આવા વીડિયો વાયરલ થઈ રહ્યા છે, જેને જોયા પછી લોકોમાં શોકની લાગણી જોવા મળી રહી છે. મણિપુરના મુખ્યમંત્રી એન. બિરેન સિંહે માર્યા ગયેલા લોકોના પરિવારજનોને 5 લાખ રૂપિયા અને ઘાયલોને 50,000 રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી છે.

Next Article